Nov 30, 2017

પતંજલિના યોગસૂત્રો-12-Yogsutra of Patanjali-Gujarati

આત્મા જયારે મુક્ત બને ત્યારે બધી ભ્રમણાઓ દૂર થઇ જાય છે.
ભારતીય "સાંખ્ય-દર્શન" કહે છે કે-આ જગતનો-જો- કોઈ ઈશ્વર-પરમાત્મા હોઈ શકે -
તો તે એક મુક્ત-આત્મા જ હોઈ શકે બીજો કોઈ (દેવો-રૂપે) નહિ.આત્મા એ જ પરમાત્મા છે.અને તે આત્મા કાં તો બદ્ધ (બંધન-વાળો) હોય છે -કે કાં તો મુક્ત હોય છે.

તેઓ (સાંખ્યો)કહે છે કે-જે આત્મા (દાખલા તરીકે-દેવો) પ્રકૃતિથી બદ્ધ (બંધન-વાળો) હોય અને 
જો પ્રકૃતિ તેના પર કાબુ ધરાવતી હોય તો (પ્રકૃતિ જો તેના પર બંધન કરતી હોય)
તે સૃષ્ટિ ઉત્પન્ન કરી જ કેવી રીતે શકે? 
કારણ કે -તે-પ્રમાણે-તો-પોતે (દેવો-રૂપી-આત્મા) એ "પ્રકૃતિ"નો ગુલામ છે.એમ કહેવાય!!!

અને આ જ આત્મા જો મુક્ત હોય તો-શા માટે આ બધો સંસાર ઉત્પન્ન કરે ને તેનું સંચાલન કરે?
તેને તો જો-પોતાને કોઈ ઈચ્છાઓ નથી,તો પછી તેને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની જરૂર નથી.

વળી સાંખ્ય-દર્શન કહે છે કે-આ જગતની બનતી બધી જ ઘટનાઓનો (વ્યવહારો નો-ક્રિયાઓનો)
ખુલાસો "પ્રકૃતિ"માંથી મળી રહે છે.(સાંખ્યો,સૃષ્ટિનું કારણ પ્રકૃતિ છે-એમ કહે છે)

તો આવી પછી,ઘટનાઓમાં (વ્યવહારોમાં-ક્રિયાઓમાં) પછી કોઈ પણ પ્રકારના ઈશ્વરનો ઉપયોગ શું?
જુદા ઈશ્વરને (દેવોને) કલ્પવાનો કે માનવાની કોઈ જરૂર નથી.પણ આ આત્મા એ જ પરમાત્મા છે.


સિદ્ધિઓમાં (પ્રકૃતિમાં) લીન થયેલ આત્મા એ પૂર્ણ-પણે મુક્ત નથી,

પણ પ્રકૃતિથી પર થયેલો કે પ્રકૃતિનો માલિક થયેલ એ પૂર્ણાવસ્થા (સંપૂર્ણ મુક્તિ) પામે છે.
કે જે અવસ્થામાં પ્રકૃતિ રહેતી નથી,પણ જે પૂર્ણ પરમાત્મા રહે છે તેનો સાક્ષાત્કાર થાય છે.
ત્યારે કોઈ ઘટના-વ્યવહાર,પ્રકૃતિ-કે-ક્રિયા રહેતી નથી.
અને આ અવસ્થાને પામવા માટે -જ -ઈશ્વરનો ઉપયોગ છે-
દુનિયાની ઘટનાઓ.વ્યવહારો,ક્રિયાઓ -કે જે પ્રકૃતિનું નિર્માણ છે-જેનાથી અલગ થઇ ને ઈશ્વરને 
પામવાના છે.-તે ઈશ્વર ને પામી શકાય છે-કે જેનું સ્વરૂપ-નિરાકાર અને સત્-ચિત્-આનંદ-છે..!!!!

સાંખ્યના આચાર્ય-કપિલમુનિ કહે છે કે-
એવા કેટલાયે આત્માઓ છે કે-જેઓ પૂર્ણ અવસ્થાએ પહોંચ્યા હોય,
તેમ,છતાં સિદ્ધિઓનો ત્યાગ -ન-કરી શકવાને લીધે સંપૂર્ણ મુક્ત અવસ્થાથી થોડે દૂર હોય છે.
કારણકે-તેવાઓનાં મન અમુક સમય માટે પ્રકૃતિમાં લીન થાય છે,
પણ પછી પ્રકૃતિના માલિક બની બહાર આવે છે.ત્યારે સંપૂર્ણ પૂર્ણાવસ્થા (સંપૂર્ણ મુક્તિ) ને પામે છે.

આવા સિદ્ધો છે,અને દરેક મનુષ્ય (આત્મા) ને આવા સિદ્ધ થવાનું છે.
સાંખ્યો ના મત પ્રમાણે-તો -વેદમાં જે ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-તેનો ખરો અર્થ આ છે.
એટલે કે સાચો ઈશ્વર,એ આવા સિદ્ધ -સંપૂર્ણ મુક્ત માંહે જ-કે જે- "આત્મા-રૂપે" છે,
તેનાથી જુદો-બીજો,કોઈ, એક,નિત્ય,મુક્ત જગત-કર્તા ઈશ્વર (દેવો) હોઈ શકે નહિ.
એટલે કે -જે-એ "આત્મા" છે -એ જ "પરમાત્મા" -કે ઈશ્વર છે.

આ છે સાંખ્યો નો મત-તેની સામે યોગીઓ (પતંજલિ) થોડાક ફરક સાથે-પોતાની રીતે કહે છે કે-
અલગ ઈશ્વર છે.(દેવ-રૂપે-જેમ કે રામ-કૃષ્ણ વગેરે)
(આ ભક્તિ-યોગ છે-કે જેમાં આત્મા અને પરમાત્મા ને છૂટા પાડવામાં આવે છે)
અને તે બધા આત્માઓથી અલગ એક આત્મા (દેવ-રૂપે) છે,
અને સાથે સાથે-તે સમસ્ત સૃષ્ટિ નો માલિક છે.સદા-મુક્ત છે અને ગુરુઓનો પણ ગુરૂ છે.
જો કે યોગીઓ (પતંજલિ) સાંખ્યોની "પ્રકૃતિ-લીન" અને "પ્રકૃતિથી પર" - સિદ્ધો (આત્મા=પરમાત્મા) 
નો પણ સ્વીકાર કરે છે.


  • भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम्  (૧૯)


ઉપર બતાવ્યા તેવા પ્રકૃતિ-લીન પુરુષો (સિદ્ધો-દેવો) - (આ અસંપ્રજ્ઞાત સમાધિમાં પણ)
તીવ્ર વૈરાગ્ય ની ખામીને લીધે,પુનર્જન્મ પામે છે. (૧૯)


ભારતીય શાસ્ત્રોમાં "અમુક જાતની ઉંચી પદવીઓ ભોગવનાર આત્માઓ" ને "દેવ"માનવામાં આવે છે.
અને એ (સિદ્ધોની-દેવોની) પદવીઓ પર ક્રમ પ્રમાણે જુદા જુદા આત્માઓ આવે છે.
પરંતુ  તેઓમાંનો એક પણ પૂર્ણાવસ્થાએ પહોંચેલો હોતો નથી.


  • श्रद्धावीर्यस्मृतिसमाधिप्रज्ञापूर्वक इतरेषाम्  (૨૦)


આ દેવો કે -જે લોક્પાલો બનેલા હોવાને લીધે અને તીવ્ર વૈરાગ્યની કમીને લીધે,મોક્ષને પ્રાપ્ત થતા નથી,
જયારે બીજાઓ,દેવો જેવી- લોકપાલની પદવી ઇચ્છતા નથી,અને તેમને (આ અસંપ્રજ્ઞાત સમાધિ)
શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-ચિત્ત ની એકાગ્રતા-અને નિત્ય વસ્તુ ના વિવેકથી થાય છે ને મોક્ષ મેળવે છે.(૨૦)


  • तीव्रसंवेगानाम् आसन्नः (૨૧)


જેઓ અત્યંત ઉત્સાહી હોય છે,તેમણે સફળતા જલ્દી પ્રાપ્ત થાય છે. (૨૧)