Jan 31, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-66



જેમ કમળ ના બીજ માં કમળ નો આખો વેલો રહેલો હોય છે,તેમ સૂક્ષ્મ ચૈતન્ય ની અંદર  દૃશ્ય જગત રહેલું છે.
જેમ સોનાના આભુષણ ની સત્તા એ સોના ની સત્તાથી જુદી નથી,તેમ દૃશ્ય ની સત્તા દ્રષ્ટા થી જુદી નથી.
આમ દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશ્ય (જગત) પણું "સ્વ-ભાવ-રૂપે" રહેલું છે. અને તે,
તમારા મન-રૂપી દર્પણ ના મેલ-રૂપ છે.માટે તેને પણ હું હવે તુરત લુછી નાખું છું.

જયારે દૃશ્ય (જગત) ની જુદી સત્તા માનવામાં આવે જ નહિ (એટલે કે દૃશ્ય-મિથ્યા થાય)
ત્યારે દૃશ્ય (જગત) ના અભાવને લીધે, દ્રષ્ટા (પરમાત્મા) માં દ્રષ્ટા-પણું રહે નહિ,
એટલે કે સત્ય એવા દ્રષ્ટા (પરમાત્મા-આત્મા-સત્ય) ને "કેવળ-પણું"  (કેવળ-એક-પણું) પ્રાપ્ત થાય છે .

જેમ,વાયુ નું હાલવું-ચાલવું બંધ પડે એટલે પાંદડાં નું હલન-ચલન પણ બંધ થાય છે,
તેમ,કૈવલ્ય ના બોધ થી મન કેવળ "આત્મા-રૂપ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે,
અને જેથી,રાગ-દ્વેષ -વગેરે વાસનાઓ પણ બંધ પડી જાય છે.

જેમ દર્પણ ની આસપાસ ના પદાર્થો નું પ્રતિબિંબ દર્પણ માં નહિ પડવાથી ,
દર્પણને તેનું "સ્વ-રૂપાત્મક" (પોતાનું) "કેવળ-પણું" રહે છે
તેમ,"હું ,તું અને જગત" વગેરે દૃશ્ય નો ભ્રમ શાંત થતાં -દ્રષ્ટા પણા થી રહિત થયેલા -
આત્મા (પરમાત્મા) નું પણ "કેવળ-પણું" પ્રાપ્ત થાય છે.

રામ બોલ્યા-જો દૃશ્ય (જગત) -એ-ના જ હોય તો આત્મા (પરમાત્મા) કેવળ-પણું પામે,પણ
દૃશ્ય (જગત) તો પ્રત્યક્ષ રીતે સત્તા-વાળું (નજર-સમક્ષ-સત્ ની જેમ-સાચું હોય તેમ ) જોવામાં આવે છે,
અને જે સત્ હોય તેનો અભાવ હોય નહિ. અનેક પીડાઓ (દુઃખો) આપનાર આ દૃશ્ય (જગત) નો અભાવ
થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી.માટે હે, બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનાર અને
દુઃખના સમુહો ને આપનાર આ દ્રશ્ય (જગત) કેવી રીતે શાંત થાય છે?

વશિષ્ઠ બોલ્યા-હે,રામ,આ દૃશ્ય-રૂપી પિશાચ ની શાંતિ માટે આ મંત્ર-રૂપ ઉપદેશ કહું છું તે સાંભળો.
કે જેનાથી તે (દૃશ્ય) પિશાચ મરણતોલ થઈને નાશ પામે છે.

જે પદાર્થ (વસ્તુ) હોય તો તેનો નાશ થઇ શકે નહિ.માટે જો દૃશ્ય -પદાર્થ હોય તો તેનો નાશ સંભવે નહિ.
કદાચ તે અંતર્ધાન થઇ જાય,અને જો તે હ્રદયની અંદર બીજ રૂપે રહે -તો- તે ચિદાકાશમાં
"દૃશ્યતા" પાછી (ફરીથી) ઉત્પન્ન થાય.અને પર્વત-વગેરે જેવા આકારવાળા પ્રપંચ-રૂપ દોષો ઉત્પન્ન કરે.

આમ,દૃશ્ય જો બીજ-રૂપે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મોક્ષ થવાનો સંભવ નથી.
પરંતુ આપણે જીવન-મુક્ત મહર્ષિઓ-દેવર્ષિઓ ને (આંખોથી) પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.
આ પરથી સિદ્ધ થાય છે કે-દૃશ્ય-એ બીજ-રૂપે પણ રહેતું નથી.
આવી રીતે-દૃશ્ય પદાર્થ -ભલે અંદર કે બહાર હોય,તો પણ તેની સ્થિતિ -કેવળ "નાશ" જ  કરે છે.

હે,રામ, બીજા વાદીઓ (જુદા જુદા વાદ ના વાદીઓ) ને અત્યંત ભયંકર લાગે તેવી,આ એક પ્રતિજ્ઞા હું કરું છું,
તે તમે હવે સાંભળો,કે એ પ્રતિજ્ઞા હવે પછી ઉત્તર-ગ્રંથ થી તમારા હૃદય માં ઉતરશે.

આ આકાશ-વગેરે પંચ-ભૂતો,હું અને તું-વગેરે રૂપ -જગત-શબ્દ- નો જે અર્થ છે,તે કંઈ પણ નથી.
આપણી નજર સમક્ષ જે કંઈ દૃશ્ય જોવામાં આવે છે-તે-સઘળું અજર,અમર અને અવ્યય-"પર-બ્રહ્મ" જ છે.
આ સઘળું દૃશ્ય (પ્રપંચ) -પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ માં પૂર્ણ રીતે પ્રસરી રહે છે,અને શાંત-પણે રહે છે.
જેમ, આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ -આકાશ-રૂપ જ છે.
તેમ,બ્રહ્મ માં ઉદય પામેલા :જીવ " એ બ્રહ્મ-રૂપ જ છે.
દૃશ્ય (જગત) દ્રષ્ટા (પરમાત્મા) કે દર્શન -એ કોઈની સત્તા "બ્રહ્મ" થી જુદી નથી.
જે બ્રહ્મ છે તે શૂન્ય નથી,જડ નથી,અને બુદ્ધિમાં પ્રતિબિમ્બિત પણ નથી.માટે તે વ્યાપક એવા શાંત છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE