Feb 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-79



વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલય થતાં સઘળાં કારણો ના "કારણ-રૂપ"જે "પર-બ્રહ્મ" બાકી રહે છે -
તેનું રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો.

--સમાધિ માં "વૃત્તિઓ નો ક્ષય" થાય છે,ત્યારે "મન" ના રૂપ નો પણ નાશ કરીને-
"જેનું કોઈ રીતે નિરૂપણ  ના થઇ શકે" તેવું- સદ-રૂપ રહે છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે.
--સમાધિ માં "દ્રશ્ય-રૂપ" જગત રહેતું નથી,તેથી દ્રષ્ટા (જીવ) નો અભાવ થવાથી,
જે એક-રૂપ જેવું "સાક્ષી-રૂપ" પ્રતીત થાય છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે.
--જે બ્રહ્મ વિષે તે ભવિષ્યમાં જીવ નું સ્વરૂપ લે છે તેમ માનવામાં આવે છે, તે બ્રહ્મ, દૃશ્ય (જગત)માં
મળેલું નથી અને તેનું ચિન્માત્ર,નિર્મળ અને શાંત-એવું જે રૂપ છે -તે પર-બ્રહ્મ નું રૂપ છે.

--શરીર ને પવન-વગેરે લાગવા છતાં,પણ તેના (પવનના) સ્પર્શ -વગેરે નો અનુભવ ના થતાં,
જે રૂપ સમાધિ માં જીવતા યોગીઓ જુએ છે તે પર-બ્રહ્મ નું રૂપ છે.
--સ્વપ્ન વિનાની,કોઈ પીડાથી (માંકડ -વગેરે કરડવાથી) નહિ તૂટતી અને અંદર પ્રકાશ વાળી-
જે "સુષુપ્તિ-અવસ્થા" છે-તે ઘણીવાર સુધી રહે છે ત્યારે તેનું જે "ચૈતન્ય-રૂપ" છે-તે-પર-બ્રહ્મ નું રૂપ છે.
--આકાશના અવકાશ જેવું,શિલા ના એક-રસ-પણા જેવું અને પવનના પૂર્ણ-પણા જેવું -
ચિદ્રુપ પરમાત્મા નું જે રૂપ છે-તે પર-બ્રહ્મ નું  રૂપ છે.

--જીવતા હોવા છતાં-દૃશ્ય નો અને મનનો ત્યાગ કરી દેતાં-
સ્વ-રૂપ ની જે -શાંત અને પર-"સ્થિતિ" રહે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--આનંદમય કોશ ની અંદર,સૂર્ય ની અંદર,આકાશની અંદર,અને વૃત્તિઓની અંદર-
જે એક "પ્રકાશ" સ્ફૂરે છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--બુદ્ધિ ની વૃત્તિ ના,પદાર્થોના સ્ફૂરણ ના,તથા અજ્ઞાન ના સાક્ષી-રૂપ અને-
આદિ-અંત-વગરનું જે જ્ઞાન છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--આ જગત કદી ઉત્પન્ન થયું જ નથી,પણ જેનાથી તે ઉત્પન્ન થયા જેવું જણાય છે,અને
જેનાથી અભિન્ન હોવા છતાં પણ તે ભિન્ન જેવું જણાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.

--જ્ઞાની પુરુષ,એ વ્યવહારમાં લાગ્યા છતાં પાષાણના જેવી અવિચળ સ્થિતિ માં રહે છે તથા
જે અખંડિત છતાં જગત ને અવકાશ આપે છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--પ્રમાતા(ચિદાભાસ) પ્રમાણ (ઇન્દ્રિયો ની વૃત્તિ) અને પ્રમેય (વિષયો)  એ ત્રણે જેમાં ઉદય પામે છે,
અને જેમાં અસ્ત પામે છે તે-પરમ દુર્લભ-એવું-પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--બુદ્ધિ વગેરે થી રહિત-એવા જે મોટા અરીસામાં પ્રમાતા-પણું,પ્રમાણ-પણું અને પ્રમેય-પણું,
પ્રતિબિમ્બિત થયેલું છે તે પરમાત્મા નું સ્વરૂપ છે.

--જાગ્રતથી,સ્વપ્નથી તથા સુષુપ્તિથી રહિત-એવું જે મહા-ચૈતન્ય નું સ્વ-રૂપ છે,અને,
સ્થાવર-જંગમમાં જે પ્રતીત થાય છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે. (અને તે જ પ્રલય માં અવશેષ રહે છે.)
--સ્થાવર નું રૂપ કે જે મનથી,બુદ્ધિથી રહિત છે-તે
જો જ્ઞાન-મય હોય તો તેને પરમાત્મા ના રૂપ ની ઉપમા આપી શકાય.

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-સૂર્ય-ઇન્દ્ર-વગેરે નો નાશ થતાં-
સુખ-રૂપ સઘળી  ઉપાધિઓ નો નાશ થવાથી-
ભેદ-રહિત,ચૈતન્ય-માત્ર,અને જેમાં જગત નો સંગ રહેતો નથી-
એવું એક "પરમ-સ્વ-રૂપ" (પરમાત્મા-પર બ્રહ્મ) માત્ર  પ્રલય-કાળ માં શેષ રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE