Feb 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-90


આ સૂક્ષ્મ ચિદાકાશ-રૂપ "બ્રહ્મ" માં સમષ્ટિઓ કે વ્યષ્ટિઓ -એ કંઈ પણ નથી,તો પણ,
ચમત્કાર ને લીધે,તે જાણે "હોય" (છે) એવું પ્રતીત થાય છે.
તેમની એ પ્રતીતિ -અધિષ્ઠાનની સત્તા ને લીધે જ થાય છે.

બ્રહ્મ માં પોતાની મેળે જ જે ચમત્કાર ઉઠે છે તે "અહંભાવ" કહેવાય છે,અને,
તેનાં ભવિષ્યકાળમાં નામો તથા રૂપો કલ્પી લેવામાં આવે છે.
બ્રહ્મ ને પોતાનાથી અભિન્ન (પોતાનાથી જુદું નથી તેવું) અહંકાર નું જે અનુસંધાન થાય છે-તે-જ-
આ મહાવિસ્તીર્ણ (ફેલાયેલા) સંસાર-રૂપે બ્રહ્મ માં સ્ફૂરે છે.અને તે બ્રહ્મ-મય હોવાને લીધે અનંત છે.
આમ,બ્રહ્મ માં પ્રતીત થયેલા "બ્રહ્મ-રૂપ-દૃશ્ય" ને બ્રહ્મ થી જુદું પાડવું અશક્ય છે.-તો પણ,
પોતાની "શક્તિ"ને લીધે જ તે "પરિણામ-અને વિકાર" એવા શબ્દોના વ્યવહારમાં આવીને -
તે (બ્રહ્મ) જુદા જેવું જણાય છે.

ચૈતન્ય-અને ચૈતન્ય ને અધીન -"પ્રકાશ-વાળો-દૃશ્ય-વર્ગ" સ્વાભાવિક રીતે જુદો કરી શકાય નહિ-
એવા સ્વભાવને પામે છે,ત્યારે તેનો જે અનુભવ થાય છે તે-જ-"ભ્રાંતિ" થી "જગત" કહેવાય છે.

આકાશ કરતાં પણ સૂક્ષ્મતા-વાળી અને અત્યંત વિસ્તાર-વાળી,એવી જે ચૈતન્ય ની "શક્તિ" છે-
તે પ્રથમ સ્વાભાવિક રીતે જ "અહંકાર" નું અનુસંધાન  કરે છે.
જયારે પોતાનામાં પોતાની મેળે જ -પોતા-રૂપ જ એવા અહંકાર નું ઝાંઝવાના જળ ની પેઠે સ્ફુરણ થાય છે-
ત્યારે તે ચૈતન્ય-વધી વધી ને બ્રહ્માંડ-રૂપે પરિણામ પામેલા,"સૂક્ષ્મ-અહંકાર" ને દેખે છે.
"ચમત્કાર" કરનારું એ ચૈતન્ય-પોતે જ પોતામાં એક અપૂર્વ ચમત્કાર કરે છે-
અને તેને "જગત" એવું નામ આપવામાં આવે છે.

હે,રાઘવ,અહંકાર ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે,અને જગત ની કલ્પના એ ચૈતન્ય ને આધીન છે.
માટે "અહંકાર અને જગત" -એ "ચૈતન્ય-રૂપ" છે.
તો પછી એવા અખંડ ચૈતન્ય માં "દ્વૈત અને અદ્વૈત" ક્યાંથી રહ્યા?

વાસના અને કર્મ આદિ ને "જીવ-ભાવ" નાં કારણ-રૂપ માનવામાં આવે છે,તો તેમનો ત્યાગ કરીને તમે-
"તું" અને "હું" એ ભાવ નો પણ ત્યાગ કરો,એટલે-
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) ના માધ્યમથી કેવળ "સત્તા" જ અવશેષ (બાકી) રહેશે.

પ્રથમ થી જ સિદ્ધ એવી અધિષ્ઠાન ની સત્તા-એ જુદી દેખાતી દૃશ્ય ની સત્તા ને ગળી જાય છે એટલે-કે-
જેમ,વાદળાં ટળી જતાં -એક આકાશની જ સત્તા ઉદય પામે છે-તેમ,અધિષ્ઠાન ની સત્તા ઉદય પામે છે.
અને એ સત્તામાં જગતની સત્તા કે અસત્તા -કશું જાણવામાં આવતું નથી.

મન ની ચેષ્ટા-રૂપ "સુક્ષ્મ જગત" પણ "શૂન્ય" છે અને

ઇન્દ્રિય -વગેરે ના વિષય-રૂપ આ "સાકાર-સ્થૂળ-જગત" પણ "શૂન્ય" છે.
એ બંને ચૈતન્ય ના ચમત્કાર-રૂપ છે,માટે ચૈતન્યથી ભિન્ન કઈ છે જ નહિ.

"અવયવ-વાળા-પદાર્થો" માં પણ-જે જેના વિલાસ-રૂપ હોય-તે તેથી કદી જુદો પડતો નથી,
તો પછી-"અવયવ-વગરના-ચૈતન્ય" ના વિલાસોમાં તો ચૈતન્ય થી ભિન્નપણાની વાત જ શી  કરવી?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE