Feb 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-91



"ચૈતન્ય" એ સર્વદા દ્રશ્યો થી રહિત છે."નામ"થી રહિત છે.અને-
તેનું જે વિસ્તીર્ણ સ્વ-રૂપવાળું "રૂપ" છે તે જ "સ્ફુરણ-પામેલા-જગત" નું રૂપ છે.

મન,બુદ્ધિ,અહંકાર,પ્રાણીઓ,પર્વતો અને દિશાઓ-વગેરે,જે જે રચનાઓ છે તે ચૈતન્ય ની જ રચનાઓ છે.
કારણ કે  જગતની સ્થિતિ ચૈતન્ય-રૂપ છે.
માટે જગત ને ચૈતન્ય ના ધર્મ-રૂપ સમજો,જગત વિના ચૈતન્ય-પણું છે જ  નહિ,
જો જગત ના હોય--તો--ચૈતન્ય પોતાના ચમત્કાર વિનાનું જ થઇ જાય.
માટે જગતમાં અને ચૈતન્ય માં માત્ર કહેવા-માત્ર થી જ ભેદ છે,વાસ્તવિક ભેદ નથી.
એટલે પછી જગત ની જુદી સત્તા ક્યાંથી રહી?

સ્ફૂરણના બીજ-રૂપ-ચૈતન્ય માં તેનો પોતાનો જે ચમત્કાર છે-તે "જીવ અને તન્માત્રા-રૂપ" છે,
અને જે "અહંકાર" છે તે ચૈતન્યની "શક્તિ" નો જ વિલાસ છે.
એ (અહંકારના) "વિલાસ"માં -"ચૈતન્યના જ વિલાસ-રૂપ" -"ચલન-ક્રિયા" પ્રાપ્ત થાય છે-
એટલે તેનું ભવિષ્ય-કાળમાં "જીવ" એવું નામ કહેવાય છે.

જો કે-છતાંય ચૈતન્ય અને ચૈતન્ય-રૂપે પ્રકાશ કરનાર "અહંકાર" -વગેરે-પોતાના વિકારો થી વિભક્ત (જુદા)
થઇ "જીવ" વગેરે નામો ધારણ કરે છે,તો પણ વિકારો મિથ્યા-હોવાને કારણે-જુદા છે જ નહિ.
એટલે જીવ અને બ્રહ્મ માં કશો ભેદ (જુદાઈ) નથી.
ચૈતન્ય  "શક્તિ-રૂપ" હોવાને લીધે-તેણે કરેલા જેવો તેનો (ચૈતન્યનો) જે વિલાસ છે-તે જ "જીવ"કહેવાય છે.
આમ,જીવ અને જીવો નું મન એ એ બંને ચૈતન્ય ના વિલાસ-રૂપ જ છે.
અને જે "મન" છે તે જ "ઇન્દ્રિયો-રૂપ" થયેલું છે.માટે એક જ "બ્રહ્મ" એ અનેક-રૂપે સત્તા પામેલું છે.

ચૈતન્ય ના પ્રકાશ ની સત્તા-રૂપ આ જગત સઘળા ભેદોથી રહિત એવું ચૈતન્ય-રૂપ જ છે.
કાર્યો અને કારણો -વગેરે કંઈ પણ બ્રહ્મ થી ભિન્ન નથી.

આ ઉપરથી-હંમેશા એવો નિશ્ચય રાખવો કે-
"હું (આત્મા-પરમાત્મા) છેદન પામવાને અશક્ય,બળવાને માટે અશક્ય,પલાળવાને અશક્ય,
શોષાવાને માટે અશક્ય- એવો-નિત્ય છું,વ્યાપક છું,અવિનાશી છું અને અચળ છું"

પોતપોતાના ભ્રમો થી બીજાઓને ભમાવતા-અને વાંધાઓ લેતા "વાદીઓ" (ખંડન-મંડન કરીને)
આ વિષયમાં વિવાદ કરે છે-પણ અમને તો ભ્રાંતિ ટળીને આ વિષયમાં પાકો નિશ્ચય થયો છે.

અજ્ઞાનીઓ એ દૃઢ કરીને માનેલા આ સાકાર જગતમાં વિકાર-વગેરે જુદા દેખાય છે,પણ,
જ્ઞાનીઓએ જગત નો  નિષેધ કરીને-નિરાકાર અને સર્વ ના અધિષ્ઠાન-રૂપ બ્રહ્મ નું જ અનુસંધાન કર્યું છે.
તે બ્રહ્મમાં,જગતમાં, અને વિકાર-વગેરેને  જુદા દેખતા નથી.
જયારે-ચૈતન્ય-રૂપ-વૃક્ષમાં; દૃશ્ય ના અનુસંધાન-રૂપ જળ સિંચાય છે-ત્યારે-
ચૈતન્ય-રૂપ-વસંત ની સ્વાભાવિક શોભા-રૂપ "માયા" -એ-
"આકાશ" માં પ્રફુલ્લિત થનારી,"કાળ-આદિ" નામ વાળી પોતાની મંજરી ને વિસ્તારે છે.

એ ચૈતન્ય પોતે છિદ્ર વગરનું છે છતાં,છિદ્ર-વાળા આકાશમાં સ્ફૂરે છે,
ચલન વગરનું છે છતાં,ચલન-વાળા વાયુ-રૂપે સ્ફૂરે છે,
આકાર વગરનું છે,છતાં પૃથ્વી ના વિચિત્ર રસો ને ઉલ્લાસ આપનાર સૂર્ય (અગ્નિ)-વગેરે રૂપે સ્ફૂરે છે,
દ્રવ્યતા વગરનું છે,છતાં,પૃથ્વી ની સૃષ્ટિ નહિ બની હોવાથી જળ રૂપે સ્ફૂરે છે.
કઠિન-પણા વગરનું છે,છતાં ધાતુઓ-શરીરો વગેરે ના ઉપાદાન-રૂપ પૃથ્વી-રૂપે સ્ફૂરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE