Jun 12, 2022

બિલ્વાષ્ટક્મ-Bilvashtakam with gujarati meaning

त्रिदलं त्रिगुणाकारं त्रिनॆत्रं च त्रियायुधं ।
त्रिजन्म पापसंहारम् ऎकबिल्वं शिवार्पणं ॥१॥


ત્રણ પત્રવાળું,ત્રણ ગુણસ્વરૂપ,ત્રણ નેત્રરૂપ,ત્રણ આયુધસ્વરૂપ,અને ત્રણ જન્મનાં પાપોનો વિનાશ કરનારું,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

त्रिशाखैः बिल्वपत्रैश्च ह्यच्छिद्रैः कोमलैस्तथा ।
शिवपूजां करिष्यामि ह्येकबिल्वं शिवार्पणम् ॥ २॥


છિદ્ર રહિત,કોમળ અને ઉત્તમ પ્રકારના ત્રણ શાખાવાળા બિલ્વપત્રોથી હું શંકરનું પૂજન કરું છું,અને તેમાં,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

अखण्ड बिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे ।
शुद्ध्यन्ति सर्वपापेभ्यो ह्येकबिल्वं शिवार्पणम् ॥३॥


અખંડ બિલ્વપત્રથી નંદીકેશ્વર શંકરનું પૂજન કરવાથી (મનુષ્ય) સર્વ પાપોથી શુદ્ધ થાય છે માટે,
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

शालिग्राम शिलामेकां विप्राणां जातु अर्पयेत् ।
सोमयज्ञ महापुण्यं एकबिल्वं शिवार्पणम् ॥४॥


શાલિગ્રામની એક શિલા,ક્વચિત બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવે,તો તેનાથી મળતા પુણ્ય સમાન અને સોમયજ્ઞથી મળતા પુણ્ય સમાન-આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

दन्तिकोटि सहस्राणी ह्यश्वमेध शतानि च ।
कोटिकन्या महादानं एकबिल्वं शिवार्पणम् ॥५॥


કરોડો કે હજારો હાથી,સેંકડો અશ્વમેધ યજ્ઞો કે કરોડો કન્યાઓના દાનથી જે પુણ્ય મળે,(તેવું પુણ્ય આ એક બિલ્વપત્રથી જ મળે છે) તેવું આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

लक्ष्म्या:स्तनत उत्पन्नं महादेव सदा प्रियम् ।
बिल्वपत्र प्रयच्छामि ह्येकबिल्वं शिवार्पणम् ॥६॥

આ બિલ્વપત્ર,માતા લક્ષ્મી દ્વારા ઉતપન્ન થયું છે ને તે મહાદેવને સદા પ્રિય છે,તેથી
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् ।
अघोरपापसंहारं एकबिल्वं शिवर्पणम् ॥ ७॥


બિલ્વપત્રના વૃક્ષના સ્પર્શમાત્રથી સર્વ પાપોનો નાશ થાય છે,એવા અઘોર પાપનો નાશ કરનારા
આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे ।
अग्रतः शिवरूपाय ह्येकबिल्वं शिवार्पणम् ॥ ८॥


બિલ્વપત્રના મૂળ(જડ)માં બ્રહ્માનો વાસ છે,મધ્ય ભાગમાં વિષ્ણુનો વાસ છે,અને અગર ભાગમાં શિવનો વાસ છે,તેવા આ એક બિલ્વ-પત્ર હું શંકરને અર્પણ કરું છું

बिल्वाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ ।
सर्वपाप विनिर्मुक्तः शिवलोकमवाप्नुयात् ॥ ९ II


બિલ્વાષ્ટકના આ શ્લોકો (પાઠ)નો જે કોઈ પાઠ કરે છે,તે પુણ્યને પ્રાપ્ત કરે છે અને
સર્વ પાપોથી મુક્ત થઈને શિવલોક પ્રતિ ગતિ કરે છે.