Jun 12, 2022

લિંગાષ્ટકમ-Lingashtakam with gujarati meaning

ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।
जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥ १॥


જે બ્રહ્મા,વિષ્ણુ અને સર્વ દેવોના ઇષ્ટદેવ છે,જે પરમ,પવિત્ર,નિર્મલ તથા સર્વ જીવોની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે,જે લિંગ-સ્વરૂપે ચરાચર જગતમાં સ્થાપિત થયા છે,જે સંસારને સંહારનાર છે અને જે જન્મ-મૃત્યુના દુઃખોનો વિનાશ કરે છે,એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहम् करुणाकर लिङ्गम् ।
रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ २॥


જે ભગવાન સદાશિવના લિંગ-રૂપનું ઋષિઓ અને દેવતાઓ દ્વારા પૂજન થાય છે,જે કામનો વિનાશ કરે છે,
જે દયા (કરુણા)ના સાગર છે,જેમણે રાવણના અહંકારનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।
सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ३॥


જેમનું લિંગ-સ્વરૂપ,સુગંધિત અત્તરોથી લેપિત છે,જે બુદ્ધિથી આત્મજ્ઞાનની વૃદ્ધિ થવાનું કારણ છે,
જે સિદ્ધ મુનિઓ,દેવતાઓ ને દાનવો એ સર્વ દ્વારા પૂજાય છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कनकमहामणिभूषितलिङ्गं फनिपतिवेष्टित शोभित लिङ्गम् ।
दक्षसुयज्ञ विनाशन लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ४॥


જે લિંગ સ્વરૂપ સોના અને રત્નજડિત આભૂષણોથી સુસજ્જ છે,જે ચારે બાજુથી સર્પથી ઘેરાયેલ છે,
અને જેમણે (માતા સતીના પિતા) દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।
सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ५॥


જે લિંગ સ્વરૂપ,કંકુ અને ચંદનથી લેપાયેલ છે,જે સુંદર કમળોના હારથી શોભાયમાન છે,તથા
જે સંચિત પાપકર્મોનો વિનાશક છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

देवगणार्चित सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ।
दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ६॥


જે લિંગ સ્વરૂપ,દેવગણો દ્વારા પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી પૂજાય છે,જે હજારો સૂર્ય સમાન તેજસ્વી છે,
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।
अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ७॥


જે લિંગ સ્વરૂપ,પુષ્પના અષ્ટદલના માધ્યમ વિરાજમાન છે,જે સૃષ્ટિની સર્વ ઘટનાઓના રચયિતા છે,અને
જે આઠ પ્રકારની દરિદ્રતા હરનાર છે એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

सुरगुरुसुरवरपूजित लिङ्गं सुरवनपुष्प सदार्चित लिङ्गम् ।
परात्परं परमात्मक लिङ्गं तत् प्रणमामि सदाशिव लिङ्गम् ॥ ८॥


જે લિંગ સ્વરૂપ,દેવતાઓ,ગુરુજનો દ્વારા પૂજિત છે,જેની પૂજા દેવતાઓના દિવ્ય-બગીચાઓના ફૂલોથી થાય છે,
જે પરબ્રહ્મ-રૂપ છે,જે અનાદિ (આદિ-અંત વિનાના) છે
એવા લિંગ-રૂપ-ભગવાન સદાશિવને નિત્ય-નિરંતર પ્રણામ છે.

लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते ॥


જે કોઈ,શિવજી કે શિવલિંગ પાસે બેસી આ લિંગાષ્ટકનો શ્રદ્ધા-સહિત પાઠ કરે છે,તેને શિવલોક પ્રાપ્ત થાય છે.
અને ભગવાન સદાશિવ (ભોલેનાથ) તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે.