Feb 17, 2024

અચળ ભક્તિ-By અનિલ શુક્લ

 

હરી જતો જે સર્વનાં મન,તે  જ મનહરનું મન,

હરી ગઈ,રાધાજી ને ગોકુળની નટખટ ગોપીઓ.

કોણ કહી શકે કે જગદીશ્વરને કોઈ ખોટ નથી?
મનની જ ખોટ પડી ગઈ,લાગે,જશોદાના લાલને.

હે હરિ,દઈ દઉ છું,મન, મારુ,પ્રેમથી સ્વીકારજો.
ચરણકમળમાં રહું સદા,ભક્તિ અચળ આપજો.

અનિલ 

7-29-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com