Feb 6, 2024

બાલા જોગણ-By-અનિલ શુક્લ

 


માધવની મૂર્તિ પર મોહી,મીરા સજળ નયને રોઈ,

રે ફકીરા,તડપાવે શાને? માધવ મારો મને દઈ દેઈ.


માન્યો નહિ ને ચાલી ગયો ફકીરો,મૂર્તિ સંગમાં લેઇ,

અન્ન જળ છોડ્યા મીરાંએ,રોઈરોઈ માધવ વિરહી થેઇ.


આવ્યા માધવ સ્વપ્નમાં,રે ફકીરા,શાની રાખે છે ઠેસ?

સાચવનાર તું હતો મૂર્તિનો,જા,જઈને મીરાને જ દઈ દેઈ.


દોડ્યો ફકીરો,પડ્યો પગે મીરાંને,મોહન મૂર્તિ દેઇ,

હૃદયે ચાંપી,બની બાવરી મીરાં,બાલા જોગણ થેઈ 


અનિલ 

જૂન-16-2023



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com