Feb 9, 2024

ભૂલ કોની?-By-અનિલ શુક્લ

 

ઉધાર લીધો પંખીનો કંઠ,સાંભળાવવા તેં તારા મધુર સંગીતને,

ફૂલમાં વસી રહ્યો તું,દર્શાવ્યું તારું રૂપ,ને આકર્ષણ કર્યું રૂપથી, 


નયન બનીને,નયનોથી જ તો કર્યું હતું,તેં તારા સંગનું નિમંત્રણ,

પણ,અસંગ બની,સમાધિમાં બંધ કર્યા નયનો,તો ભૂલ કોની?


તારી જ બનાવેલી માયામાં તો તું વસી રહ્યો જ હતો ને પ્રભુ ?

પીઠ ફેરવી લીધી ને ના સાંભળી તારી પુકારને,તો ભૂલ કોની?


અનિલ 

ઓગસ્ટ,12,2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com