Mar 24, 2024

પ્રજ્ઞા-By અનિલ શુક્લ

 

તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.

શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.

પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.

અનિલ
ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com