Mar 28, 2024

માયાધામ-By અનિલ શુક્લ

 

'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com