Apr 15, 2024

ધ્યાન-By અનિલ શુક્લ


વ્યાપી રહ્યો સર્વ સ્થાને,તો એ પવનને કરવો પ્રવાસ શું?
ક્યાં પહોંચવું રહ્યું તેને? કે કરવો રહ્યો પાંગળો પ્રયાસ શું?

ક્યાંથી આવે ને ક્યાં જાય છે,તેનો વિચાર માત્ર  શું કરવો?
છોડાવી સ્થિરતા,કદી,આંખનો પલકારો કરી જાતો એ શું?

ઘડી અંદર તો ઘડી બહાર,આવ જ કરે છે,એ શ્વાસ બની,
તો ઘડી નાદ અનહતનો બની,રાસ-રચૈયો તો નથી એ શું?

અટકી ગયો જો પૂર્ણતાથી,તો મરણ કહેશે એને જગત,
થનગનાટ કે નાદને છોડી,બને સ્થિર તો ધ્યાન નથી શું?

અનિલ શુક્લ 
માર્ચ-૧૯-૨૦૧૭ 

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com