Apr 18, 2024

કૃપા અનંતની-By અનિલ શુક્લ

 

નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
કે  પામી અસ્થિરતાને,તે શું પવન નામે થયો હતો?

પણ,શું બન્યું,આજ,કે સ્થિરતા થઇ ગઈ પ્રચંડ,પવનને.
બની ફરી વાયુ,ચૂપચાપ  આકાશમાં સમાઈ ગયો લાગે.

થઇ હતી ઘોષણા અનંતની,કે બની રહી કૃપા અનંતની?
પવન,નથી રહ્યો પવન હવે,અનંતમાં સમાઈ ગયો લાગે.

અનિલ શુક્લ
નવેમ્બર-૧૮,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com