Apr 6, 2024

અનહત-નાદ-By અનિલ શુક્લ

 

સમ થયા શ્વાસોશ્વાસ,તો અચાનક સુગંધમયતા થઇ ક્યાંથી?
બંધ-વજનહીન થઇ આંખો,તો પ્રકાશમય જ્યોતિ થઇ ક્યાંથી?

ચોંટી જઈને તાળવે, જીભ કોઈ ગજબ અમૃતપાન કરતી લાગે,
સૂર અંદરના સાંભળવા કાન પણ ઉત્સુક થયા હોય એમ લાગે.

પ્રણવના અ-ઉ-મ- અક્ષરોને,નિહાળું,સાંભળું,અનુભવું શ્વાસથી,
સુગંધમય,અમૃતમય,પ્રકાશતો,અનહત-નાદ વાગી ગયો ક્યાંથી?

અનિલ
નવેમ્બર,૨૨-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com