અધ્યાય-૧૦-યુગ પ્રમાણે આયુષ્યનું વર્ણન
II धृतराष्ट्र उवाच II भारतस्यास्य वर्षस्य तथा हैमवतस्य च I प्रमाणमामुषः सुत बलं चापि शुभाशुभं II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સૂત,આ ભારતવર્ષ,હૈમવત,અને હરિવર્ષ-આ ત્રણે ખંડના લોકોનાં આયુષ્યનું
પ્રમાણ અને બળ તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું શુભાશુભ એ સર્વ તું મને વિસ્તારથી કહે.
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,ભારતવર્ષમાં સત્ય(કૃત),ત્રેતા,દ્વાપર અને કળિ-એવા (ક્રમથી થતા) ચાર યુગો છે.એમાં સત્યયુગમાં મનુષ્યોનું આયુષ્ય ચાર હજાર વર્ષ,ત્રેતાયુગમાં ત્રણ હજાર વર્ષ અને દ્વાપરયુગમાં બેહજાર વર્ષનું છે.કળિયુગમાં મનુષ્યોના આયુષ્યનું કોઈ ઠેકાણું નથી,કારણકે કળિયુગના મનુષ્યો ગર્ભમાં પણ મરે છે ને ઉત્પન્ન થઈને પણ મરે છે.(7)
સત્યયુગમાં ઉત્પન્ન થયેલા લોકો મહાબળવાન,બુદ્ધિમાન,ગુણવાન,ધનવાન અને પ્રિયદર્શન હોય છે,ને તેઓ સેંકડો ને હજારો પ્રજાઓ ઉત્પન્ન કરે છે,તથા તેમાં તપરૂપી ધનવાળા મુનિઓ ઉત્પન્ન થાય છે.ત્રેતાયુગમાં મહાત્મા,ધાર્મિક,સત્યવાદી,
દેખાવડા,ધનુર્ધર અને યુદ્ધમાં શ્રેષ્ઠ એવા ક્ષત્રિયો ઉત્પન્ન થાય છે અને તે સર્વે ચક્રવર્તી રાજાઓ થાય છે.
દ્વાપરયુગમાં સર્વદા સર્વ વર્ણના લોકો ઉત્પન્ન થાય છે અને તેઓ મોટા ઉત્સાહવાળા,વીર્યવાન અને પરસ્પરના જયની ઈચ્છાવાળા હોય છે.કળિયુગમાં અલ્પ તેજવાળા,ક્રોધી,લોભી અને અસત્યવાદી પુરુષો ઉત્પન્ન થાય છે.
હે રાજા,કળિયુગના લોકોમાં ઈર્ષા,માન,ક્રોધ,કપટ,લોભ,વિષયપ્રીતિ અને પારકાના ગુણમાં દોષ પ્રગટ કરવાની ટેવવાળા હોય છે,
આ (હાલના)દ્વાપરયુગમાં સદગુણો સંકોચાઈ ગયા છે.ભરતખંડ કરતાં હૈમવતખંડ અધિક ગુણવાળો છે.અને હરિખંડ તો તેનાથી પણ અધિક ગુણવાળો છે (15)
અધ્યાય-10-સમાપ્ત
જંબુખંડવિનિર્માણ પર્વ સમાપ્ત