Oct 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-655

 

અધ્યાય-૧૮-યુધિષ્ઠિરને સાંત્વન આપી શલ્ય દુર્યોધન પાસે ગયો 


II शल्य उवाच II ततः शक्रः स्तुयमानो गन्धर्वाप्सरसां गणैः I ऐरावतं समारुह्य द्विपेन्द्र लक्षणैर्युतम् II १ II

શલ્યે કહ્યું-પછી,ગંધર્વો અને અપ્સરાઓએ જેની સ્તુતિ કરી તેવો તે વૃત્રસંહારક ઇન્દ્ર,સુંદર લક્ષણવાળા ઐરાવત હાથી પર બેસીને,અગ્નિ,બૃહસ્પતિ,યમ,વરુણ,કુબેર,સર્વ દેવતા,ગંધર્વો અને અપ્સરાઓથી વીંટાઇને સ્વર્ગમાં ગયો.

ત્યાં તે ઇન્દ્ર ઈન્દ્રાણીને મળીને આનંદ પામ્યો અને સર્વ લોકનું પાલન કરવા લાગ્યો.

તે પછી,ત્યાં અંગિરામુનિ આવ્યા અને તેમણે,અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રની સ્તુતિ કરી.કે જેથી ઇન્દ્રે પ્રસન્ન થઈને અંગિરામુનિને વર આપ્યો કે-અથર્વવેદમાં તમારું નામ અથર્વાગિરસ તરીકે પ્રસિદ્ધ થશો.એમાં પ્રમાણ તમે જે અથર્વવાક્ય (अथ वेदरूपं यस्य वाक्यं स ऋषि) બોલ્યા તે જ થશે.વળી તમને યજ્ઞમાં ભાગ પણ મળશે.

આમ કહીને ઇન્દ્રે અથર્વાગિરાનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા.(9)

Oct 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-654

 

અધ્યાય-૧૭-નહુષ સર્પ થઈને પડ્યો 


II शल्य उवाच II अथ संचित्यानास्य देवराजस्य धीमतः I नहुषस्य वधोपायं लोकपालैः सदैवतैः II १ II

શલ્યે કહ્યું-'પછી,બુદ્ધિમાન ઇન્દ્ર,લોકપાલો અને દેવતાઓની સાથે નહુષના વધનો વિચાર કરતો હતો,એટલામાં ત્યાં અગસ્ત્ય ઋષિ દ્રષ્ટિ ગોચર થયા,તેમણે દેવેન્દ્રનું સન્માન કરીને કહ્યું કે-તમે વૃદ્ધિ પામ્યા તે સારું થયું.આજે જ નહુષ દેવરાજ્યથી ભ્રષ્ટ થયો છે,એ તમારું મહદભાગ્ય છે.હે ઇન્દ્ર,હવે હું તમને શત્રુ રહિત થયેલા જોઉં છું'

ઇન્દ્રે તેમનું પૂજન કરીને પૂછ્યું કે-તે નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?તે હું સાંભળવા ઈચ્છું છું'

Oct 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-653

 

અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ 


II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II

બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.

તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.

Oct 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-652

 

અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ 


II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II

શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'

Oct 19, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬-Gita Rahasya-Gnaneshvari-6-Adhyaya-2

હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે-
તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે.આત્મા દેખી શકાય તેવો નથી.
એટલે તેને સમજાવવામાં પુસ્તકોની થપ્પીઓની થપ્પીઓ છે.
તર્કથી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ.
જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ?
પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-651

 

અધ્યાય-૧૪-ઈન્દ્રાણીને ઇંદ્રનાં દર્શન 


II शल्य उवाच II अथैना रूपिणी साध्वींमुपातिष्ठदुपश्रुतिः I तां वयो रूपसंपन्नां द्रष्ट्वा देवीमुपस्थिताम् II १ II

શલ્યે કહ્યું-પછી,ઉપશ્રુતિ દેવી મૂર્તિમંત થઈને સાધ્વી ઈન્દ્રાણી પાસે આવીને ઉભી.તેને જોઈને ઈન્દ્રાણી મનમાં 

બહુ પ્રસન્ન થઈને બોલી-'હે સુંદરમુખી,તને જાણવાની હું ઈચ્છા રાખું છું,માટે બોલ તું કોણ છે?'

ઉપશ્રુતિ બોલી-'હે દેવી,હું ઉપશ્રુતિ છું,તારા સત્યને લીધે હું તારી પાસે આવી છું,હું તને ઇંદ્રનાં દર્શન કરાવીશ,

તું મારી પાછળ ચાલ એટલે તને તે દેવેન્દ્રનાં દર્શન થશે' આમ કહી તે આગળ ચાલી ને તેની પાછળ ઈન્દ્રાણી ચાલી.

Oct 18, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫-અધ્યાય -2-Gita Rahasya-Gnaneshvari-5-Adhyaya-2

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગની પણ વાત છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-650

 

અધ્યાય-૧૩-ઇન્દ્ર જડ્યો ને ફરી સંતાયો 


II शल्य उवाच II अथ तामब्रवीद्रष्ट्वा नहुषो देवराट् तदा I त्रयाणामपि लोकानामहमिद्रः शुचिस्मिते II १ II

શલ્યે કહ્યું-તે વખતે ઈન્દ્રાણીને જોઈને દેવોનો રાજા નહુષ કહેવા લાગ્યો કે-'હે શુદ્ધ હાસ્યવાળી શચી,હું ત્રણે લોકનો ઇન્દ્ર છું,માટે તું મને પતિ તરીકે સ્વીકાર' ત્યારે ઈન્દ્રાણી ભયથી ઉદ્વેગ પામીને બોલી-'હે સુરેશ્વર,હું તમારી પાસેથી થોડા સમયનો અવધિ માંગવા ઈચ્છું છું.ઇન્દ્રના સંબંધમાં પાકી શોધ કર્યા પછી તે જો તે કોઈ પણ રીતે જડશે નહિ તો હું તમારી પાસે આવીશ,હું આ તમને સત્ય કહું છું' ત્યારે નહુષે કહ્યું કે*'ભલે તેમ થાઓ'

Oct 17, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪-અધ્યાય - 2-Gita Rahasya-Gnaneshvari-4-Adhyaya-2

અધ્યાય-૨ -૩
હવે પછીના આ ગીતાના અગિયારમા શ્લોકને ગીતાનું બીજ પણ કહે છે.
ભવિષ્યમાં ફરીથી ગીતા વાંચવાની શરૂઆત અહીંથી પણ કરી શકાય.???
જે આગળ જોઈ- એ વાત-ગીતા કયા સંજોગોમાં અને ક્યારે કહેવામાં આવી તેની પ્રસ્તાવના છે.તે જમાનાનેને અનુરૂપ યુદ્ધનો પ્રસંગ બતાવ્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-649

 

અધ્યાય-૧૨-કામમોહિત નહુષ પાસે ઈન્દ્રાણી 


II शल्य उवाच II क्रुद्धं तु नहुष द्रष्ट्वा देव ऋषिपुरोगमाः I अब्रुवन्देवराजा नहुषं घोरदर्शनम् II १ II

શલ્યે કહ્યું-નહુષને કોપેલો જોઈને દેવો તેને કહેવા લાગ્યા કે-'હે પ્રભો,તમારા કોપવાથી આ જગત ત્રાસ પામે છે,તમે આ કોપનો ત્યાગ કરો.દેવી ઈન્દ્રાણી પારકાની પત્ની છે માટે તમે કૃપા કરો અને પરસ્ત્રીસેવનરૂપી પાપથી તમારા મનને પાછું વાળો.તમારું કલ્યાણ થાઓ,તમે દેવતાઓના રાજા છો માટે ધર્મથી પ્રજાપાલન કરો.'