Jan 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-60


માટે જો દૃશ્ય (જગત) ની સત્તા રહેશે તો -
અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં તે સમાધિમાં દૃશ્ય (જગત) ની પ્રતીતિ  થશે જ.
કારણકે જ્યાં ચૈતન્ય (દૃશ્ય-પરમાત્મા)રહે છે ત્યાં તેને લગતો-જગત-રૂપી-ભ્રમ આવ્યા વિના રહેશે નહિ.
અને,કદાચ જીવ -સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણ (પથ્થર) -પણા ની ભાવના કરે
તો પણ -સમાધિ ના અંતમાં દૃશ્ય (જગત) નો ઉદય થયા વગર રહેશે જ નહિ.

આમ,આથી,જો દૃશ્ય -એ જો પર-બ્રહ્મ થી જુદી સત્તા-વાળું હોય તો-તે કદી પણ શાંત થાય નહિ.
તપથી,જપ થી અને ધ્યાન થી તે દૃશ્ય ની શાંતિ થશે-એ તો મૂર્ખાઓની કલ્પના છે.

જેમ કમળકાકડી ના ગર્ભ માં કમળ ના બીજ રૂપ સૂક્ષ્મ તંતુ રહે છે
તેમ-દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશ્ય (જગત) બીજ રૂપે રહેલ છે.
જેમ,તલ-વગેરેમાં તેલ,જેમ,પદાર્થોમાં રસ છે,અને પુષ્પોમાં સુગંધ છે-
તેમ દ્રષ્ટા માં દૃશ્ય નો અનુભવ સર્વદા હોય છે જ.

જેમ,કપૂર -વગેરે પદાર્થો ને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય પણ
તેમની સુગંધ નો ઉદય થયા વિના રહેતો નથી,
તેમ,ચૈતન્ય-રૂપ આત્મા ને સંધિમાં રાખવામાં આવ્યો હોય -તો પણ
તેના ઉદરમાં જગત નો ઉદય થયા વિના રહેતો નથી,.
મનુષ્ય ના નાના હૃદયમાં પણ-જેમ,મોટામોટા સંકલ્પો,સ્વપ્નો અને મનો-રાજ્યો રહેલા છે-
તેમ,ચૈતન્ય (પરમાત્મા-દ્રષ્ટા) ના સૂક્ષ્મ ઉદરમાં સઘળું "દૃશ્ય"  (જગત)રહેલ છે.

જેમ (બાળકના ) મનની કલ્પનામાં રહેલ પિશાચ (ભૂત) -તે બાળક ને દુઃખી કર્યાવગર રહે જ નહિ,
તેમ,સર્વદા વળગી રહેલ આ "દૃશ્ય-રૂપી-ચુડેલ" જીવ ને દુઃખી કર્યા વગર રહે જ નહિ.

જેમ,બીજ ની અંદર રહેલો અંકુર,
દેશ-કાળ (અનુકૂળ સ્થિતિ) મળતા પોતાના દેહને અંકુરિત થઇ પ્રકાશિત કરે છે,અને
જેમ,બીજ (સૂક્ષ્મ-ગર્ભ) ની અંદર
અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની,અવિનાશી શક્તિ -સર્વદા રહેલી છે-
તેમ,ચૈતન્ય-રૂપ-આત્મા (પરમાત્મા) ની અંદર "સ્વ-ભાવ-રૂપ-જગત" (દૃશ્ય) ની સ્થિતિ સર્વદા રહેલી છે.

(૨) આકાશજ -નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા.

વશિષ્ઠ કહે હે કે-હે,રાઘવ, હવે તમને શ્રવણ ના અલંકાર-રૂપ એવું "આકાશજ" નામના બ્રાહ્મણનું  આખ્યાન
કહું છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉત્પત્તિ-પ્રકરણ" સારી રીતે સમજાશે,

આકાશજ નામે એક ધર્માત્મા બ્રાહ્મણ હતો,તે ધ્યાનમાં નિષ્ઠા રાખતો હતો અને પ્રજાનું હિત કરવામાં તત્પર
રહેતો હતો.એ ઘણું લાંબુ જીવ્યો. "મૃત્યુ" તે બ્રાહ્મણ ને મારવા મેરુ-પર્વત પરના તેના નગરમાં ગયો. અને
જેવો તે નગરમાં પેસવા ગયો,કે અગ્નિ -કે જેને તે બ્રાહ્મણે કિલ્લા-રૂપે રાખ્યો હતો -
તે "મૃત્યુ" ને બાળવા લાગ્યો.આમ છતાં -મૃત્યુ- એ અગ્નિની જ્વાળાઓને  ચીરીને -નગરની અંદર પ્રવેશ્યો,
અને તે બ્રાહ્મણ ને જોઈને,પ્રયત્ન-પૂર્વક તે બ્રાહ્મણ ને હાથથી પકડવા નો પ્રયત્ન કરવા લાગ્યો.

પણ જેમ,કોઈ મહા-બળવાન પુરુષ પણ -"સંકલ્પ થી ઉભા થયેલા પુરુષ" ને પોતાના સેંકડો હાથ થી પણ
પકડી શકે નહિ,તેમ,"મૃત્યુ" પણ તે બ્રાહ્મણ ને પકડી શક્યો નહિ.
એ બ્રાહ્મણ તેને પોતાની આંખ આગળ બેઠેલો જણાતો  હતો,તેમ છતાં તેને પકડી શકતો નહોતો.
આથી તે મૃત્યુ પાછો ફરીને યમરાજાની પાસે આવ્યો અને તેમને પૂછ્યું કે-
હે,પ્રભુ,આ આકાશજ બ્રાહ્મણ ને કેમ હું પકડી શકતો? તે મારો કોળિયો કેમ થતો નથી?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-59


જે અવિદ્યા (અજ્ઞાન-માયા) ને લઈને આ જગતનું ખોટા-પણું છે,
તે અવિદ્યા નાં-"બંધ,માયા,મોહ,મહત્,તમ, અને સંસૃતિ" એવાં નામ વિદ્વાનો એ "કલ્પ્યાં" છે.
હે,રામ, પ્રથમ હું "બંધ" નું સ્વરૂપ તમને કહું છું.તે તમે સાંભળો,તે પછી તમે મોક્ષ નું સ્વરૂપ જાણી શકશો.

"દ્રષ્ટા (આત્મા-પરમાત્મા) પર દૃશ્ય (જગત) ની" જે સત્તા થાય છે-તે જ "બંધ " (બંધન) કહેવાય છે.
આમ દ્રષ્ટા એ દૃશ્ય ના બળ થી જ (મિથ્યા) બંધાયેલો છે-
પણ જો દૃશ્ય (જગત) નો  બાધ થઇ જાય,અથવા તો
"દૃશ્ય (જગત) એ મિથ્યા છે"  -તેવું જ્ઞાન થઇ જાય તો દ્રષ્ટા (આત્મા) મુક્તિ પામે છે.

જગત-તું અને હું -વગેરે પદાર્થો "દૃશ્ય" કહેવાય છે,અને 
જ્યાં સુધી એ દૃશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ-હોતો  નથી.
"આ દ્રશ્ય નથી-આ દૃશ્ય નથી" (આ દ્રશ્ય એ સાચું નથી) એવા વ્યર્થ બક્વાદો થી દૃશ્ય શાંત થતું નથી.
કારણકે-એથી-"આ દ્રશ્ય નથી -તો બીજું કંઇક દૃશ્ય છે" એવા સંકલ્પો ઉઠે છે,અને દૃશ્ય-રૂપી રોગ ઉલટો વધે છે.

વળી,તીર્થ-નિયમ-વગેરે થી પણ તે દ્રશ્ય શાંત થતું નથી,
દ્રશ્ય-રૂપી જગતનો બાધ કરવા નો ઉપાય તો "વિચાર" જ છે.
જો જગત-રૂપી -દૃશ્ય -એ બ્રહ્મ થી જુદું જ સત્તા વાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહિ,
કારણકે-અસત્ પદાર્થ નો ભાવ (સત્તા) હોતો નથી અને સત્ નો અભાવ હોતો નથી (સત્ ની જ સત્તા છે)
એટલે "વિચાર" વિના બીજા કોઈ પણ ઉપાય થી આત્મા જાણવામાં આવી શકતો જ નથી.

દ્રષ્ટા (પરમાત્મા) ની સત્તાથી દૃશ્ય (જગત) પદાર્થની -સત્તા જુદી નથી,
માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય,ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિ થી દૃશ્ય નો ઉદય થાય છે.
માટે "આ જગત આત્માથી સ્વતંત્ર સત્તા-વાળું છે,કે (જેથી)
જેને,મેં તપથી,જપથી ને ધ્યાન થી છોડી દીધું છે"એમ સમજવું એ સાચું નથી.

હે,રામ,જે દૃશ્ય (જગત) પદાર્થ,જુદી સત્તા-વાળો હોય તો
સૂક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્ય-રૂપી (પરમાત્મા-રૂપી) દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ.
જેમ,દર્પણ ગમે તે સ્થળમાં હશે પણ તેમાં સમુદ્ર,પર્વત,નદી,પૃથ્વી અને જળ વગેરેનું
પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહિ.
તેમ,ચૈતન્ય-રૂપી દર્પણ (પરમાત્મા-દ્રષ્ટા) ગમે ત્યાં હશે,તો પણ તેમાં જગત (દૃશ્ય)નું પ્રતિબિંબ પડ્યા વગર
રહેશે નહિ,અને આમ,તે પ્રતિબિંબ પડશે,એટલે ત્યાં પણ દુઃખ-જરા -મરણ અને જન્મ ના તેમજ
જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા,નાના-મોટા પદાર્થો નો ત્યાગ અને સ્વીકાર મટશે જ નહિ.

"આ દૃશ્ય ને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ (ધ્યાન ની) સ્થિતિમાં આવ્યો છું"
એમ જો સમાધિમાં પ્રતીત થાય તો -તે સમાધિમાં -
સંસાર (દૃશ્ય) ના સ્મરણ નું એ જ અક્ષય બીજ  હજુ  પણ રહ્યું છે-એમ સમજવું.
પરંતુ, જો દૃશ્ય ના રહ્યું હોય-તો -જ-નિર્વિકલ્પ સમાધિ માં "તુરીયાવસ્થા -રૂપ" બ્રહ્મ-પણા નો અનુભવ થાય છે.

હે,રામ,જેમ સુષુપ્તિ ના અંતમાં સર્વ જગત પાછું,પ્રતીત થાય છે.તેમ,(જો સંસારને ટાળ્યો ના હોય)
તો, સમાધિ ના અંતે આ અખંડિત દુઃખ-રૂપ જગત જેવું છે તેવું જ પ્રતીત  થયા વિના રહેશે  નહિ.
અને એમ થાય તો સમાધિ ની મહેનત થી શું મળ્યું? (કશું જ નહિ)
અને આમ અનર્થ જ જો પાછો આવે તો-પછી જરાવાર રહેનારી સમાધિ માં શું સુખ છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-58-ઉત્પત્તિ પ્રકરણ



ઉત્પત્તિ પ્રકરણ

(૧) જ્ઞાનથી જ મોક્ષ થાય છે,કર્મ કે યોગ થી નહિ

વશિષ્ઠ કહે છે કે-"બ્રહ્મ-રૂપ" -(એવો) -"બ્રહ્મ-વેતા" (મનુષ્ય) જ -
મહાવાક્યો થી પ્રાપ્ત થયેલા,બોધ-રૂપી પ્રકાશથી પૂર્ણ-સ્વ-રૂપે પ્રકાશે છે.
કારણ કે આ જે "દૃશ્ય-પદાર્થ-રૂપ" જે "જગત" છે તે-"સ્વપ્ન ની પેઠે"-- "આત્મા"માં જ પ્રગટ થયેલું છે.

જે કોઈ મનુષ્ય -"શ્રવણાદિક ઉપાયો થી,બ્રહ્મ ને જાણે છે-તે બ્રહ્મ નો સાક્ષાત્કાર પામે છે"
અને આ ન્યાય પ્રમાણે સઘળી સૃષ્ટિ બ્રહ્મ-માત્ર-માં જ છે.
માટે આ જગત શું છે?કોનું છે? અને શામાં રહ્યું છે? વગેરે શંકાઓ નો અવકાશ જ રહેતો નથી.

હે રામ,આ જગત -જે રીતે મેં જાણ્યું છે,તે જે વસ્તુ-રૂપ છે અને  તે જે  ક્રમથી ગોઠવાયું છે-
તે સઘળું,સાંભળનાર (શ્રોતા) ના મનમાં ઉત્તરે તે રીતે હું તમને કહું છું. તે તમે સાંભળો.

ચિદાકાશ પોતે જ જીવ-રૂપ થઈને -પોતામાં જ -સ્વપ્ન ની પેઠે ઉત્પન્ન થયેલા જગતને દેખે છે. (એટલે)
દ્રષ્ટા (પરમાત્મા) અને દૃશ્ય (જગત) -સાથેના 
આ "જગત" ને "સ્વપ્ન માં પ્રતીત થયેલા સંસાર" નું જ દ્રષ્ટાંત લાગુ પડે છે.

આમ,દૃશ્ય પદાર્થો (જગત) ની સ્થિતિ થી બંધન દેખાય છે,
અને દ્રશ્યો (જગત) નો બાધ થઇ જાય તો બંધન રહેતું  જ નથી.

માટે હવે દ્રશ્યો (જગત) નો કઈ રીતે બાધ થઇ શકે તે હું તમને અનુંક્રમથી કહું છું.

આ જગતમાં જે પદાર્થ ઉત્પન્ન થાય છે,તે જ વૃદ્ધિ પામે છે,તે જ સ્વર્ગ-નર્ક માં જાય છે,
કે મોક્ષ નો અનુભવ કરે છે.
આથી હું તમને તમારા "સ્વ-રૂપ" નો બોધ થાય,એ માટે પ્રથમ તમને આ પ્રકરણ નો  સંક્ષેપ થી અર્થ કહું છું.,
પછી તમારી ઈચ્છા પ્રમાણે વિસ્તારથી કહીશ.

જેમ "સ્વપ્ન" એ "સુષુપ્તિ" માં -લય પામે છે,
તેમ જે આ સ્થાવર અને જંગમ -જગત જોવામાં આવે છે તે -
પ્રલય કાળમાં લય પામે છે.અને 
એ સમયે--સ્થિર,ગંભીર અને તેજ થી ન્યારું (જુદું).વ્યાપક
અને "નામ-રૂપ વગરનું" કોઈ એક "સદ-વસ્તુ" બાકી રહે છે.

વિદ્વાનો એ ઉપદેશ ની સગવડ માટે-
એ "સદ-વસ્તુ" નાં નામ "આત્મા,પરમાત્મા,પરબ્રહ્મ,સત્ય" વગેરે
નામો "કલ્પેલાં" છે. એ આત્મા કોઈ પણ વિકાર પામતો નથી,
છતાં તે કોઈ બીજી જ રીતનો (જાતનો) હોય તેમ,
"પ્રકાશ ને પામીને,ભવિષ્ય ની "ભ્રાંતિ" ને લીધે "જીવ" એવું શૂદ્ર નામ ધારણ કરે છે.

"પ્રાણ ને ધારણ કરવો" એ "જીવ" શબ્દ નો અર્થ છે. 
તે (પ્રાણ ને) ધારણ કરવાથી "જીવ" ચંચળપણું  પામે છે.
અને "સંકલ્પ" આદિ નું મનન કરવાથી એ "મંન " થઇ જાય છે.અને "રૂપ" ધારણ કરે છે.
એ "મન"- "લિંગ-શરીર" કહેવાય છે.

આ રીતે-જેમ સ્થિર આકાર-વાળા સમુદ્રમાંથી,અસ્થિર આકાર-વાળો-"તરંગ" ઉત્પન્ન થાય છે-
તેમ,વ્યાપક પરમાત્મા માં થી મન ઉત્પન્ન થાય છે.કે જે "હિરણ્ય-ગર્ભ -રૂપ-બ્રહ્મા" કહેવાય છે.
અને તે તરત જ,પોતાની મેળે જ,પોતાની ઈચ્છા પ્રમાણે સંકલ્પો કર્યા કરે છે.
તેથી,તે  સંકલ્પો  (તરંગો) થી આ વિસ્તાર-વાળી "જગત-રૂપ-ઇન્દ્રજાળ" ઉભી થઇ છે.

આમ,જેમ સુવર્ણ ના કડાં નો અર્થ સુવર્ણ થી જુદો નથી-તેમ જગત -શબ્દ નો અર્થ પર-બ્રહ્મ થી જુદો નથી.
આ અનંત પ્રકારો વાળું જગત -એ સંપૂર્ણ રીતે બ્રહ્મ માં જ રહેલું છે,તેમ છતાં,
જેમ, સુવર્ણ માં "કડા-પણું" નથી,તેમ બ્રહ્મ માં "જગત-રૂપ-પણું" નથી.

જેમ ઝાંઝવા (મૃગજળ) નાં પાણી ની નદી,એ સાચી જણાય-એવી ખોટી ચંચળ લહરીઓ ઉત્પન્ન કર્યા કરે છે,
તેમ,મન પણ સાચી જણાતી,"જગત-સંબંધી" ખોટ અને ચંચળ એવી ઇન્દ્રજાળ ની શોભા ઉત્પન્ન કર્યા કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 22, 2015

રાજ-વિદ્યા-રાજ-ગુહ્યયોગ-ગીતા અધ્યાય-૯


શ્રી ભગવાનુવાચ-
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે,જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેશુભાત્.(૧)

ગીતા ના નવમા અધ્યાય ના આ પ્રથમ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ-અર્જુન ને-શા માટે
ગુહ્યતમં- એટલે કે અત્યંત ગુહ્ય જ્ઞાન આપી રહ્યા છે?

કારણ એક જ છે-અને તે એ છે કે-અર્જુન -અનસૂયુ-એટલે કે ઈર્ષ્યા-રહિત (ઈર્ષ્યા-વગરનો) છે.

આપણા સામાન્ય રોજબરોજ ના જીવનમાં-આપણાથી કોઈ મોટો હોય,વધુ પ્રખ્યાત હોય,કે
વધુ પૈસાવાળો હોય તો -આપણે આપોઆપ તેની ઈર્ષ્યા કરવા લાગીએ છીએ.
આપસમાં એક બીજા પ્રત્યે ઈર્ષા તો સામાન્ય  છે,પણ ભગવાન ની પણ ઈર્ષ્યા કરવાનું આપણે
છોડતા નથી.કારણ જો શ્રીકૃષ્ણ કહે કે -હું સર્વનો સ્વામી છું-તો તેમના વાક્ય પર વિશ્વાસ નથી.

પણ અહીં ગીતામાં અર્જુન એ આપણાથી જુદો છે,તે કોઈ વિવાદ કરતો નથી,અને શ્રીકૃષ્ણ
જે કંઈ કહે છે તેની સાથે સંમત થાય છે.તેને ભગવાન ના વાક્ય વિષે વિશ્વાસ છે. શ્રદ્ધા છે.
અર્જુન ની આ એક વિશિષ્ટ યોગ્યતા છે,

અને ગીતા ને સમજવાની આ એક જ રીત છે.
મનથી અનેક જાતના તર્ક અને અનેક જાતની અટકળો કરીને ભગવાન ને સમજવું અશક્ય છે.
એને માટે આપણે શ્રીકૃષ્ણ કહે છે તે -સાંભળવું અને સ્વીકારવું પડશે.

આમ,અર્જુન ઈર્ષાળુ નથી તો -ભગવાન તેને "અત્યંત-ગુહ્ય-જ્ઞાન" કહે છે.પણ સાથે સાથે તે એમ ને એમ
આ સૈધાંતિક જ્ઞાનને -ભાવના-વશ કે ધર્માન્ધતા થી-માની લેવાનું કહેતા નથી,
પણ "વિજ્ઞાન-સહિતમ" એટલે કે વ્યવહારિક રીતે (વિજ્ઞાન ની રીતે) સમજાવે છે.

અને વચન (ખાત્રી) આપે છે-"યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેશુભાત્"
એટલે કે આ વિજ્ઞાન-મય જ્ઞાન ને જાણી ને -તું અજ્ઞાન માંથી મુક્ત થઇશ.(મુક્તિ)

રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્,પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્.(૨)

નવમો અધ્યાય એ "રાજ-વિદ્યા" ના વિષય પર રચાયો છે.
રાજ-એટલે રાજા અને વિદ્યા-એટલે જ્ઞાન, એમ સમજીએ તો -આ જ્ઞાન એ સર્વ જ્ઞાન નો રાજા છે.

"રાજ-ગુહ્યમ" શબ્દથી કહે છે કે-આ રાજ-વિદ્યા એ અત્યંત ગુપ્ત,પવિત્ર અને ઉત્તમ છે.
ઉત્તમ=ઉદ્+તમ. અહીં- "ઉદ્" એટલે પાર કરવું અને "તમ" એટલે અંધકાર.
આ જ્ઞાન એ "પ્રકાશ" નું જ્ઞાન છે,અંધકાર (અજ્ઞાન) ને હટાવવાનું જ્ઞાન છે.

અને આ જ્ઞાન એ કંઈ બહુ અઘરું નથી પણ "પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમ"  એટલે કે-
પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું છે.
અને....છેલ્લે-"અવ્યયમ"  શબ્દ થી એ પણ કહે છે કે-આ જ્ઞાન અવિનાશી છે.

અત્યાર ની ભૌતિક જિંદગીમાં આપણે -શરૂઆતમાં શિક્ષણ અને પછી સંપત્તિ -માટે  ક્રિયાઓ (કર્મો)
કરે જઈએ છીએ.કે જે સર્વ અવિનાશી નથી.શરીર નો અંત આવતાં એ બધાનો અંત આવે છે.
મૃત્યુ ની સાથે જ -ઉચ્ચ શિક્ષણ,ઉચ્ચ પદવી,બેંક બેલેન્સ,કુટુંબ-એ બધું સમાપ્ત થાય છે.
પણ આ જ્ઞાન તેવું નથી-આ જ્ઞાન શાશ્વત-અવિનાશી છે.

સ્કુલ અને કોલેજ ના શિક્ષણ (જ્ઞાન) માટે -આપણે ભલે અભિમાન કરીએ,પણ જયારે પ્રશ્ન આવે કે-
"આપણે શું છીએ?" ત્યારે તેનો જવાબ મોટા ભાગના લોકો આપી શકતા નથી.
લગભગ દરેક ની કલ્પના એવી જ હોય છે કે-"આ શરીર છે -એ જ એ પોતે છે" (હું=શરીર)

વાસ્તવમાં ગીતા અને વૈદિક સાહિત્ય ના આધારે -જયારે-આપણે જાણીએ કે-
"આપણે આ શરીરો નથી" ત્યારે જ આપણો "સત્ય-જ્ઞાન" માં કંઈક પ્રવેશ થાય છે,
કે સત્ય-જ્ઞાન ની અહીંથી શરૂઆત થાય છે.

એટલે જ આ બાબતે -આ અધ્યાય માં શ્રી કૃષ્ણ આગળ કહે છે
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્,પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્.(૧૧)

મેં મનુષ્ય દેહ ધારણ કરેલો છે. તેથી મૂઢ મનુષ્યો મારી અવજ્ઞા કરે છે.
હું સર્વ ભૂતોનો ઈશ્વર છું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તેનું જ્ઞાન તેમને હોતું નથી.(૧૧)

અહીં --શ્રીકૃષ્ણે મનુષ્ય-દેહ ધારણ કર્યો  છે-એટલે લોકો તે "દેહ" ને સામાન્ય માનવીના દેહ જેવો
માની ને તેમને ભજતા નથી,તેમનામાં વિશ્વાસ મૂકતા નથી,તેમનામાં શ્રદ્ધા દાખવી શક્તા નથી,
તેમના બોલેલા વાક્ય પર વિશ્વાસ મૂકતા નથી કે તેમની સાથે સંમત થતા નથી.
અહમ થી પોતાના શૈક્ષણિક જ્ઞાન પર કુદમકુદ કરતા આપણે -પરમાત્મા ના એ ઉત્કૃષ્ટ સ્વ-રૂપ
વિષે વિચારી શકતા નથી કે તેનું આપણને જ્ઞાન પણ નથી.

હાલના સમયમાં દુનિયાના અનેક જુદાજુદા ધર્મો ના મનુષ્યો "પોતે -ધર્મ માં શ્રદ્ધા રાખે છે"
એવો દાવો  કરે છે.પણ હકીકતમાં ખરેખર જોવા જાવ-તો તેઓ "ધર્મ-શાસ્ત્ર" માં સંપૂર્ણ પણે વિશ્વાસ
ધરાવતા હોતા નથી.પણ હા,મોટે ભાગે ધર્મ ના પવિત્ર કાર્યોમાં (ધાર્મિક કર્મો) માત્ર જોડાયેલા હોય છે.
અને મંદિર બનાવવાં,મંદિર માં જવું,મંદિર ની પ્રવૃત્તિઓ કરવી,પૂજા કરવી,યજ્ઞ-દાન-તપ-કરવાં,
વગેરે જ ધર્મ છે -એવી સામાન્ય માન્યતા જોવા મળે છે.

આવા ધાર્મિક કર્મો કરનારા કરોડો લોકો માંથી કદાચ બહુ થોડા મનુષ્યો -એ પૂર્ણ (સત્ય) જ્ઞાન મેળવવા
તરફ જાય છે.અને "પોતે શું છે?" (હું-કોણ છું?-નું આત્મ-જ્ઞાન) તેની સમજણ (કદાચ) મેળવે છે.

પણ,માત્ર એમ જાણી લેવું કે "હું આ શરીર નથી પણ ચિદાત્મા છું"  એટલું પૂરતું  થતું નથી.
પણ આ ભૌતિક પ્રકૃતિ નાં (વ્યવહારિક) બંધનો માંથી છૂટા થવાનું છે,અને તે જ મુક્તિ છે.

જે મનુષ્યો ને "પોતે શું છે?" તે વિષે આત્મજ્ઞાન થયેલું છે તેવા હજારો મનુષ્યો માંથી -
ફક્ત-કોઈક -જ  મનુષ્ય....-"ભગવાન શું છે? શ્રીકૃષ્ણ કોણ છે?" ને સમજી શકે છે !!!
અજ્ઞાનતા અને આચાર-વિચાર-વિવેક -વિહીન -આ કળિયુગ ના સમયમાં-
"મુક્ત થવું" એ દરેક ને માટે અશક્ય બાબત લાગે છે-કારણકે -
"મુક્તિ" ની વાત પર જ લોકો હસે છે અને તેનું સાચું સ્વરૂપ જાણતા નથી!!!
પણ...પ્રકૃતિના બંધનમાંથી (અજ્ઞાનમાંથી) મુક્તિ પછી જ પરમાત્મા નું જ્ઞાન (અતિ-ગુહ્ય-જ્ઞાન) મળે છે .

Raj-Yoga-by Swami Vivekanand-in Gujarati-Click here

Jan 1, 2015

Autobiography of Yogi-Yoganand-Gujarati-યોગી ની આત્મકથા-પરમહંસ યોગાનંદ


Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-Index




Read on line OR Download PDF (14.3 MB) -2---FROM PAGE-95-TO-194-
                                                                                   (Click here for  Missing page 116)                                                                                   
Read on line OR Download PDF (14.3 MB) -3---FROM PAGE-195-TO-294







Read on line OR Download PDF (14.6 MB) -10---FROM PAGE-911-TO-1010

Read on line OR Download PDF (14.7 MB) -11---FROM PAGE-1011-TO-1110

Read on line OR Download PDF (14.7 MB) -12---FROM PAGE-1111-TO-1210

Read on line OR Download PDF (14.8 MB) -13---FROM PAGE-1211-TO-1310

Read on line OR Download PDF (14.7 MB) -14---FROM PAGE-1311-TO-1411

Read on line OR Download PDF (14.8 MB) -15---FROM PAGE-1412-TO-1512

Read on line OR Download PDF (14.6 MB) -16---FROM PAGE-1513-TO-1614

Read on line OR Download PDF (10.7 MB) -17---FROM PAGE-1615-TO-1688

Read on line OR Download PDF (9.42 MB) -18---FROM PAGE-1689-TO-1756

Thanks and accept obligation (ऋण स्वीकार)for this Book to dwarkadheeshvastu.com

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-01



CLICK HERE TO GO TO ----INDEX---NEXT---PREVIOUS----- PAGE

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-02



CLICK HERE TO GO TO ----INDEX---NEXT---PREVIOUS----- PAGE

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-03

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-04

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-05

Yog Vashistha Maharamayan in Gujrati-Scanned Copy-06