વૈશંપાયન બોલ્યા-ભરતોત્તમ પાંડવો,પોતાના અનુચરો સાથે,હવે વનમાં વસવાના ઉદ્દેશથી ગંગાતીરે ચાલી કુરુક્ષેત્રમાં આવ્યા.યમુના આદિ નદીઓને સેવીને તેઓ એકધારા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા,પછી,તેમણે સરસ્વતીને કાંઠે આવેલું મુનિજનોને પ્રિય એવું કામ્યક વન જોયું,પશુપક્ષીઓથી ભરેલા તે વનમાં તેઓએ
નિવાસ કર્યો.ત્યાં મુનિઓ તેમની પાસે બેસવા આવતા ને તેમને સાંત્વન આપતા હતા.(4)







