Sep 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-296

 

અધ્યાય-૫-પાંડવો પાસે વિદુરજી 
II वैशंपायन उवाच II पाण्डवास्तु वने वासमुद्दिश्य भरतर्पभा I ग्रययुर्जाह्नविकुलात्कुरुक्षेत्रं सहानुगा:II १ II

વૈશંપાયન બોલ્યા-ભરતોત્તમ પાંડવો,પોતાના અનુચરો સાથે,હવે વનમાં વસવાના ઉદ્દેશથી ગંગાતીરે ચાલી કુરુક્ષેત્રમાં આવ્યા.યમુના આદિ નદીઓને સેવીને તેઓ એકધારા પશ્ચિમ દિશા તરફ ચાલ્યા,પછી,તેમણે સરસ્વતીને કાંઠે આવેલું મુનિજનોને પ્રિય એવું કામ્યક વન જોયું,પશુપક્ષીઓથી ભરેલા તે વનમાં તેઓએ 

નિવાસ કર્યો.ત્યાં મુનિઓ તેમની પાસે બેસવા આવતા ને તેમને સાંત્વન આપતા હતા.(4)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-295

અધ્યાય-૪-વિદુર અને ધૃતરાષ્ટ્રનો સંવાદ 
II वैशंपायन उवाच II 

वनं प्रविष्टेश्वथ पांडवेषु प्रज्ञाचक्षुस्ताप्यमानोSविकेय:I धर्मात्मानं विदुरमगाधबुद्धिसुखासीनो वाक्यमुवाच राजा II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો વનમાં ગયા ત્યારે પ્રજ્ઞાચક્ષુ એવા અંબિકાપુત્ર સંતાપ કરવા લાગ્યા અને સુખાસન પર બેઠેલા તે અગાધ બુદ્ધિવાળા ધર્માત્મા વિદુરને કહેવા લાગ્યા કે-;તમારી બુદ્ધિ શુક્રભાર્ગવના જેવી શુદ્ધ છે તમે પરમ સૂક્ષ્મ ધર્મને જાણો છો,ને કૌરવો ને પાંડવોમાં સમદ્રષ્ટિ રાખો છો,તો મારુ હિત થાય એવું તમે કહો.

હે વિદુર,આ સ્થિતિમાં હવે અમારે શું કરવું જોઈએ? આ નગરજનો પાછા અમને કેવી રીતે ભજી શકે? ને શું કર્યે એ પાંડવો અમને સમુળગા ઉખેડી ન નાખે? હું ઈચ્છતો નથી કે વિનાશ થાય.માટે તમે મને કહો (3)

Sep 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-294

 વૈશંપાયન બોલ્યા-ધૌમ્યે જયારે આમ કહ્યું એટલે વિશુદ્ધ મનવાળા તે યુધિષ્ઠિરે,સ્નાન કરીને,સૂર્ય સમક્ષ 

ઉભા રહીને,સૂર્યને પુષ્પાદિક પૂજા ને બલિઓથી અર્ચન આપ્યું.માત્ર વાયુનું ભક્ષણ કરીને તે જિતેન્દ્રિય 

ધર્માત્મા યોગમાં વિરાજ્યા અને ગંગાજળનું આચમન કરીને પ્રાણાયામમાં પરાયણ થયા.

પછી વાણીને નિયમમાં રાખીને તેમણે પવિત્ર રહીને આ સ્તોત્રનો પ્રારંભ કર્યો (35)

Sep 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-293

 
અધ્યાય-૩-સૂર્યોપાસના અને કામ્યકવનમાં પ્રવેશ 

II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II

વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)

Sep 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-292

યુધિષ્ઠિર બોલ્યા-હે બ્રહ્મન,મારી આ આ અર્થની લાલચ,વિષયભોગની ઇચ્છાએ નથી,તે તો વિપ્રોના ભરણપોષણ માટે જ છે.અમારા જેવા ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળાએ,એમની પાછળ આવનારાનું શું  ભરણપોષણ ન કરવું જોઈએ? સર્વ ભૂતોનો અન્નમાં સમભાગ જોવામાં આવે છે,એટલે જેઓ રસોઈ પકવતા નથી,તેમને ગૃહસ્થાશ્રમીઓએ અન્ન આપવું જ જોઈએ.તૃણનાં આસનો,ભૂમિ,જળ અને મીઠી વાણી-એ સત્પુરુષોના 

ઘરમાંથી ક્યારેય નાશ પામતાં નથી.અતિથિની બાબતમાં આ સનાતન ધર્મ છે કે-

Sep 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-291

'સ્નેહ' (પ્રેમ કે આસક્તિ) એ માનસિક દુઃખનું કારણ મનાય છે.એ સ્નેહથી જ મનુષ્ય આ સંસારમાં આસક્ત થાય છે અને દુઃખને પામે છે.શોક,હર્ષ,તથા ક્લેશની પ્રાપ્તિ આ આસક્તિને કારણે જ છે.આસક્તિથી વિષયોમાં ભાવ (ભાવ-રૂપી-સંકલ્પ) અને અનુરાગ (રાગ-રૂપી-પ્રીતિ) થાય છે.કે જે બંને અમંગલકારી છે.

ને એમાં પણ 'વિષયો પ્રત્યે ભાવ' (ભાવ-રૂપી-સંકલ્પ) મહા અનર્થકારી મનાય છે. (29)

Sep 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-290

 
અધ્યાય-૨-યુધિષ્ઠિરને શૌનકનો ઉપદેશ 

II वैशंपायन उवाच II प्रभातायां तु शर्वर्या तेषामक्लिष्त्कर्मणाम् I वनं पिपासतां विप्रास्तस्थुर्भिक्षामुजोSप्रतः II १ II

વૈશંપાયન બોલ્યા-બીજા દિવસે સવારે,પાંડવો સાથે વનમાં સાથે જવાની ઈચ્છાવાળા,ભિક્ષાભોગી વિપ્રો,

ઉત્તમકર્મી પાંડવોની સામે આવીને ઉભા રહ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમને કહ્યું કે-'અમારું ઐશ્વર્ય હરાઈ ગયું છે,એથી ફળ,મૂળ અને માંસનો આહાર કરતા અમે વનમાં જઈશું.વનમાં અનેક દોષો હોય છે,ત્યાં વાઘો ને સર્પો હોય છે,

એટલે હું માનું છું કે તમને ત્યાં નક્કી ક્લેશ થશે અને બ્રાહ્મણોનો થયેલો ક્લેશ દેવોને પણ નાશ કરે છે,

તો પછી અમારું તો શું ગજું? માટે,કૃપા કરી તમે અહીંથી પાછા વળો (4)

Sep 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-289-Mahabharat-Book-Part-2

(૩) વનપર્વ 

અરણ્યપર્વ 

અધ્યાય-૧-પાંડવોનું વનગમન 

મંગલાચરણ 

नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II 

ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.

Sep 15, 2023

Dongreji Ramyan Katha-16-ડોંગરેજી રામાયણ કથા-16

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-16-50 MB File


Sep 14, 2023

Dongreji Ramyan Katha-15-ડોંગરેજી રામાયણ કથા-15

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-15-52 MB File

Sep 13, 2023

Dongreji Ramyan Katha-14-ડોંગરેજી રામાયણ કથા-14

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-14-72 MB File


Sep 12, 2023

Dongreji Ramyan Katha-13-ડોંગરેજી રામાયણ કથા-13

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-13-69 MB File

Sep 11, 2023

Dongreji Ramyan Katha-12-ડોંગરેજી રામાયણ કથા-12

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-12-56 MB File

Sep 10, 2023

Dongreji Ramyan Katha-11-ડોંગરેજી રામાયણ કથા-11

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-11-44 MB File


Sep 9, 2023

Dongreji Ramyan Katha-10-ડોંગરેજી રામાયણ કથા-10

આ ઓડીઓ પ્લેયરનો ઓડિઓ નીચેની યુ.ટ્યુબ કથાનો છે ને ડાઉનલોડેબલ છે.
ડાઉનલોડ માટે એરો પર ક્લિક કરો -Part-10-47 MB File