Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Nov 11, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-337
અધ્યાય-૪૮-ધૃતરાષ્ટ્રના ઉદગાર
II जनमेजय उवाच II अत्यद्भुतमिदं कर्म पार्थस्यामिततेजसः I धृतराष्ट्रो महाप्राज्ञः श्रुत्वा विप्र किमब्रवीत II १ II
જન્મેજય બોલ્યા-અમાપ તેજસ્વી એવા તે પૃથાનંદનનું આ અદભુત કર્મ સાંભળી ધૃતરાષ્ટ્ર શું બોલ્યા હતા?
વૈશંપાયન બોલ્યા-દ્વૈપાયન ઋષિ પાસેથી,'અર્જુન ઇંદ્રલોકમાં ગયો છે' એ સાંભળીને ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-
'હે સૂત,ધીમાન પાર્થનું કર્મ મેં સાંભળ્યું છે,તું પણ એને યથાર્થ જાણે છે.પણ મૈથુન કાર્યમાં ગાંડો થયેલો મંદબુદ્ધિ,
પાપી વિચારવાળો ને દુર્બુદ્ધિવાળો મારો પુત્ર,આ પૃથ્વીનો ઘાણ જ કાઢશે એમ લાગે છે.(4)
Nov 10, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-336
અધ્યાય-૪૭-લોમશ ઋષિનું યુધિષ્ઠિર પાસે આગમન
II वैशंपायन उवाच II कदाचिदटमानस्तु महर्षिरुत लोमशः I जगाम शक्रभवने पुरन्दरदिरक्षया II १ II
વૈશંપાયન બોલ્યા-એક વાર લોમશ મહર્ષિ,ઇંદ્રનાં દર્શનની ઈચ્છાથી ઘૂમતા ઘૂમતા ઇન્દ્રભવનમાં ગયા.
તેમણે ત્યાં પહોંચી ઇન્દ્રને નમસ્કાર કર્યા અને ઇન્દ્રના અર્ધા આસન ઉપર બેઠેલા અર્જુનને જોયો.
એટલે તેમને વિચાર આવ્યો કે-'ક્ષત્રિય અર્જુન કેવી રીતે ઇન્દ્રાસન પામ્યો?એણે એવું કયું પુણ્યકાર્ય કર્યું છે
કે કયા લોકોને જીત્યા છે તે આમ દેવોથી નમસ્કારેયેલા સ્થાનને પામ્યો છે?'
ત્યારે ઇન્દ્ર તેમનો વિચાર જાણી ગયા ને સ્મિતપૂર્વક તેમને કહેવા લાગ્યા કે-(6)
Nov 9, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-335
અધ્યાય-૪૬-અર્જુનને ઉર્વશીનો શાપ
II वैशंपायन उवाच II ततो विसृज्य गंधर्व कृतकुत्यं शुचिस्मिता I उर्वशी चाकरोत्सनानं पार्थदर्शनलालसा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,મંગળ હાસ્યવાળી ઉર્વશીએ,કૃતાર્થ થયેલા ગંધર્વને વિદાઈ આપી અને પાર્થને મળવાની લાલસાએ સ્નાન કર્યું.સ્નાન પછી,સજેલા હૃદયહારી અલંકારોથી,સુગંધમાળાઓથી,ધનંજયના રૂપથી અને કામપ્રેરિત બાણોથી અતિશય વીંધાયેલ મન વડે તે કામથી પ્રદીપ્ત થઇ રહી હતી.પછી,
જયારે ચંદ્રોદય થયો ત્યારે તે પોતાના ભવનમાંથી નીકળી પાર્થના ભવન તરફ જવા નીકળી.(5)
સુકુમાર,વાંકડિયા,લાંબા કેશકલ્પથી તે લલના શોભાયમાન થઇ રહી હતી.ભમ્મરોના કટાક્ષોથી,આલાપોના માધુર્યથી,કાંતિથી,સૌમ્યતાથી અને પોતાના મુખચંદ્રથી તે જાણેકે ગગનચંદ્રને પડકારતી જતી હોય તેમ જણાતી હતી.ચાલી જતી તે ઉર્વશીનાં ઉત્તમ ચંદનની અર્ચાવાળાં ને હારની શોભા વધારનાર સ્તનો ઉછાળા મારી રહ્યા હતા.ને તેના ભારને લીધે તે ડગલે ડગલે નમી જતી જણાતી હતી.વિશાલ,ઊંચા અને ભરાવદાર નિતંબોથી સંયુક્ત,
કામદેવના ધામરૂપ,ઉજ્જવળ,કટિમેખલાથી વિભૂષિત,ને ઋષિઓનાં મનને પણ ચલિત કરવામાં કારણ સમું,
સૂક્ષ્મ વસ્ત્રને ધારણ કરી રહેલું,એનું જઘન સ્થાન નિષ્કલંક શોભી રહ્યું હતું.અલ્પ મદ્યપાનથી,સંતોષથી,
કામભાવથી,ને વિવિધ વિલાસોથી તે વિશેષ દર્શનીય થઇ હતી.(13)
આમ નીકળેલી તે વિલાસિનીનું રૂપ અનેક આશ્ચર્યોવાળા સ્વર્ગમાં પણ સિદ્ધો,ચારણો.ગંધર્વો માટે અતિ પ્રેક્ષણીય થયું હતું.મેઘવર્ણા,ઝળહળતા,અને અતિસુક્ષ્મ એવા ઓઢણાથી વીંટાયેલી,તે ઘડીકમાં તો અર્જુનના ભવને પહોંચી.
દ્વારપાળોએ અર્જુનને તેના આવવા ની ખબર આપી એટલે અર્જુને તેને આવકારવા સામે ગયોઃ ને ઉર્વશીને જોતાં જ તેનાં નયનો લજ્જાથી બીડાઈ ગયાં,ને તેણે અભિવાદન કરી ગુરુને યોગ્ય એવો સત્કાર આપ્યો (19)
અર્જુન બોલ્યો-હે અપ્સરાઓમાં શ્રેષ્ઠ,હું તમને શિર ઢાળીને વંદન કરું છું,હે દેવી,તમે આજ્ઞા ફરમાવો,હું તમારો સેવક તમારી સામે ઉભો છું' અર્જુનનાં આવાં વચન સાંભળીને ઉર્વશી તે વખતે મૂઢ જેવી થઇ ગઈ,
પણ પછી ચિત્રસેન ગંધર્વે કહેલાં વચનો તે અર્જુનને સંભળાવતી બોલી કે-હે મનુજવર,ચિત્રસેનએ મને જે કહ્યું હતું અને જે કારણે હું અહીં આવી છું તે હું તમને કહીશ.તમારા આગમન નિમિત્તે તમારા સત્કર્મ સ્વર્ગમાં પરમ ઉત્સવ થયો હતો,ને તે ઇન્દ્રની મનોરમ સભામાં સર્વ સમૂહની સામે ગંધર્વની વીણાઓ ને અપ્સરાઓના નૃત્ય ચાલી રહ્યા હતા,ત્યારે હે પાર્થ,તમે મને એકીટશે મને એકલીને જ જોઈ રહ્યા હતા.
તમારી શસ્ત્રોની ને સંગીતની શિક્ષા બાદ,ઈન્દ્રથી આદેશ પામેલો ચિત્રસેન મારી પાસે આવ્યો હતો,ને મને
કહ્યું હતું કે-'તું ઈન્દ્રનું,મારું ને તારું પોતાનું પ્રિય કર અને રણમાં શૂર અને સર્વગુણસંપન્ન એવા અર્જુનને ભજ'
એટલે તમારા પિતાની ને ચિત્રસેનની આજ્ઞા પામીને હું તમારી પાસે આવી છું.તમારા ગુણોથી મારું ચિત્ત તમારા પ્રતિ ખેંચાયું છે ને હું કામને આધીન થઇ છું.ને ઘણા વખતથી ઇચ્છેલો આ મારો મનોરથ પણ છે'(35)
વૈશંપાયન બોલ્યા-ઉર્વશીના આવા કહેવાથી અર્જુન શરમથી અત્યંત ઘેરાઈને કાનોને હાથથી ઢાંકીને બોલ્યો-
'હે ભાવિની,તું મને જે કહી રહી છે તે મારે સાંભળવા યોગ્ય ન હો.તું તો મારે મન નિઃસંશય ગુરુપત્ની સમાન છે.
જેવી મારે માતા કુંતી છે ને ઇન્દ્રપત્ની શચી છે તેવી તું પણ છે.આ વિશે વિચારણા કરવાની હોય નહિ.
હે શુભા,મેં તારી સામે વિશેષ કરીને જે જોઈ રહ્યો હતો,તેનું સત્ય કારણ તું સાંભળ.મેં તને ત્યાં જોઈ,ત્યારે
'આ પૌરવ વંશની જનેતા પ્રસન્નતા પામી રહી છે' એમ જાણીને મારા લોચન પ્રફુલ્લ થયા હતાં.આથી તારે અવળી રીતે મારે વિશે વિચાર કરવો ઘટે નહિ,તું તો મારા ગુરુની પણ ગુરુ છે ને મારા વંશને વધારનારી છે.(41)
ઉર્વશી બોલી-'હે ઈંદ્રનંદન.અમે સર્વ અપ્સરાઓ,આવરણમુક્ત છીએ.મને માતાના સ્થાને ગણવી યોગ્ય નથી.
પુરુવંશના જે પુત્રો ને પૌત્રો,તપ વડે અહીં આવ્યા છે,તેઓ પણ અમારી સાથે રમણ કરે જ છે,તેમાં તેમનું કોઈ ઉલ્લંઘન થતું નથી,તો તમે પ્રસન્ન થાઓ મને કામાતુરને છોડવી યોગ્ય નથી.તમારી ભક્ત એવી મને ભજો'(44)
અર્જુન બોલ્યો-'હે અનિન્દિતા,હું જે સત્ય કહું છું તે તું સાંભળ.ને દિશાઓ,દેવતાઓ પણ મારી વાત સાંભળે.
જેવી કુંતી,માદ્રી ને શચી મારી માતા છે,તેવી મારા વંશની જનેતા જેવી તું પણ મારી માતા છે.આજે તો તું અધિક પૂજાપાત્ર છે.તું અહીંથી જા,હું શિર ઢાળીને તારે પગે પડું છું,તારે મારુ પુત્રની જેમ રક્ષણ કરવું ઘટે છે' (47)
ત્યારે ઉર્વશી ક્રોધથી મૂર્છિત થઇ ગાઈને ભમ્મરને વાંકી કરીને કોપીને ધનંજયને શાપ આપતી બોલી કે-
'તારા પિતાની આજ્ઞા પામીને,જાતે કરીને તારે ભવને આવેલી ને કામબાણથી પરવશ એવી મને તું અભિનંદન આપતો નથી,તેથી હે પાર્થ,તું સ્ત્રીઓની વચ્ચે માન વિનાનો નાચનારો થશે અને નપુંસક તરીકે વિખ્યાત થઈને ષંઢની જેમ વિચરશે' ને આમ અર્જુનને શાપ આપીને ધૂજતા હોઠવાળી તે પોતાના ભવને દોડી ગઈ.
પછી,અર્જુન,ઉતાવળે પગલે ચિત્રસેન પાસે ગયો ને સર્વ વાત કહી સંભળાવી.ચિત્રસેનએ તે સર્વ વાત ઇન્દ્રને કહી,એટલે ઇન્દ્રે અર્જુનને એકાંતમાં બોલાવીને સાંત્વન આપી સ્મિતપૂર્વક કહ્યું કે-'હે શ્રેષ્ઠ,તને પુત્રરૂપે પામીને પૃથા સુપુત્રવતી થઇ છે,ઉર્વશીએ તને જે શાપ આપ્યો છે તે તને અર્થકારી ને કાર્યસાધક થશે.તમારે તેરમા વર્ષે પૃથ્વી પર ગુપ્તવાસ રાખવાનો છે ત્યાં તું આ શાપ ભોગવી લેજે.એ નાચનારાના વેશમાં તથા નપુંસક તરીકે એક વર્ષ ગાળ્યા પછી તું ફરીથી પુરુષપણાને પામશે.' ઇન્દ્રે જયારે આમ કહ્યું ત્યારે અર્જુન પરમ આનંદ પામ્યો ને શાપને ભૂલીને ગંધર્વ સાથે સ્વર્ગભાવનમાં આનંદ કરવા લાગ્યો.(61)
જે કોઈ પાંડુપુત્ર અર્જુનનું આ ચરિત્ર નિત્ય સાંભળે છે તેને પાપકર્મોમાં ઈચ્છા થતી નથી,અર્જુનનું આ ચરિત સાંભળીને રાજાઓ મદ,દંભ,રાગ તથા દોષોથી મુક્ત થાય છે,ને સ્વર્ગમાં આનંદથી રમણ કરે છે (63)
અધ્યાય-૪૬-સમાપ્ત
Nov 8, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-334
અધ્યાય-૪૫-ચિત્રસેન અને ઉર્વશીનો સંવાદ
II वैशंपायन उवाच II आदायेवाथ तं शक्रचित्रसेनं रहोSब्रवित् I पार्थस्य चक्षुरुर्वश्यां सक्तं विज्ञाप वासवः II १ II
વૈશંપાયન બોલ્યા-વાસવ ઈંદ્રે,'અર્જુનની દૃષ્ટિ ઉર્વશીમાં આસક્ત થઇ છે' એવું જાણીને એકવાર ચિત્રસેનને એકાંતમાં બોલાવીને કહ્યું કે-'હે ગંધર્વરાજ,તું આજે જ મારા મોકલવાથી અપ્સરાશ્રેષ્ઠ ઉર્વશી પાસે જા ને તે અર્જુન પાસે જાય તેમ કર.તે અસ્ત્રવિદ્યા ને સંગીતવિદ્યામાં પારંગત થયો છે ને હવે તે સ્ત્રીસંગમાં વિશારદ થાય,એમ તું પ્રયત્ન કર' આમ,ઇન્દ્રની આજ્ઞાથી તે ચિત્રસેન,ઉર્વશી પાસે ગયો ઉર્વશીએ તેનો ભાવ જાણીને તેને સત્કાર આપ્યો.
પછી સુખપૂર્વક બેઠેલો ચિત્રસેન,સુખાસને બેઠેલી ઉર્વશીને કહેવા લાગ્યો કે-(5)
Nov 7, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-333
અધ્યાય-૪૪-અર્જુનને અસ્ત્રવિદ્યા ને સંગીતની શિક્ષા
II वैशंपायन उवाच II ततो देवाः सगन्धर्वाः समादायार्ध्यमुत्ततम् I शक्रस्य मतमाज्ञाय पार्थमानर्चुरंजसा II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રનો મત જાણી લઈને દેવો અને ગંધર્વો ઉત્તમ પૂજાસામગ્રી લાવીને અર્જુનની
સત્વર પૂજા કરવા લાગ્યા.ને તેને ઇન્દ્રભવનમાં લઇ ગયા.આમ,સત્કાર પામેલો અર્જુન પોતાના
પિતાના ઇન્દ્રભવનમાં રહ્યો અને સંહાર-ઉપસંહાર સહિત અનેક મહાન અસ્ત્રોને શીખવા લાગ્યો.(3)
Nov 6, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-332
અધ્યાય-૪૩-અર્જુનને ઇન્દ્રસભાનાં દર્શન
II वैशंपायन उवाच II ददर्शं स पुरीं रम्यां सिद्ध्चारणसन्विताम् I सर्वर्तुकुसुमैः पुण्यैः पादयरूपशोभिताम् II १ II
વૈશંપાયન બોલ્યા-સિદ્ધો ને ચરણોથી સેવાયેલી તથા સર્વ ઋતુઓના ફુલોવાળાં પુણ્યવૃક્ષોથી શોભી રહેલી તે રમણીય ઇન્દ્રપુરી નગરી હતી.પછી,જ્યાં સૌગન્ધિક કમળપુષ્પોની પવિત્ર મહેંકમાં ભળેલા વાયુની સુરખી વહેતી હતી.તેવા નંદનવનને અર્જુને જોયું,કે જે અપ્સરાઓના સમુહોથી સેવાયેલું હતું.અને તેમાંના દિવ્ય કુસુમવાળાં વૃક્ષો જાણે તેને બોલાવી રહ્યાં હતાં.પુણ્યકર્મીઓના આ લોકને તપ ન કરનારાઓ,અગ્નિહોત્ર ન રાખનારાઓ ને યુદ્ધમાં પીઠ બતાવનારાઓ તો જોઈ જ શકતા નથી.(4)
Nov 5, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-331
ઇન્દ્રલોકાભિગમન પર્વ
અધ્યાય-૪૨-અર્જુન ઇન્દ્રપુરીમાં
II वैशंपायन उवाच II गतेषु लोकपालेषु पार्थः शत्रुनिवर्हण: I चितयामास राजेन्द्र देवराजरथं प्रति II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજેન્દ્ર,તે લોકપાલો ગયા પછી અર્જુન,ઇન્દ્રના રથનું મનમાં ચિંતન કરતો હતો,તે સમયે,
માતલિ સાથેનો મહા કાંતિમાન રથ ત્યાં આવી પહોંચ્યો.તે રથ આકાશને અંધકારરહિત કરતો હતો ને જાણે મેઘોને ચીરતો હતો.તે રથમાં અસંખ્ય શસ્ત્રો હતા ને વાયુના વેગ જેવા દશ સહસ્ત્ર હરિ નામના અશ્વો જોડેલા હતા.
અર્જુને,સુવર્ણજડિત દંડે બાંધેલો 'વૈજયંત' નામનો ઇન્દ્રધ્વજ જોયો.ને રથમાં સુવર્ણથી વિભૂષિત થયેલા સારથિને બેઠેલો જોઈને 'તે કોઈ દેવ જ છે' એવો તર્ક થયો.પણ,એટલામાં તો તે માતલિ સારથી રથમાંથી ઉતરીને તેની પાસે આવીને અતિ નમ્ર સ્વરે અર્જુનને કહેવા લાગ્યો કે-(10)
Nov 4, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-330
અધ્યાય-૪૧-અર્જુનને લોકપાલો પાસેથી અસ્ત્રપ્રાપ્તિ
II वैशंपायन उवाच II तस्य संषश्यत्स्त्वेव पिनाकी वृषभध्वजः I जगामादर्शनं भानुर्लोकस्येवास्त मियिवान II १ II
વૈશંપાયન બોલ્યા-જેમ,અસ્ત પામતો સૂર્ય,લોકની દ્રષ્ટિ બહાર જાય છે,તેમ પિનાકધારી વૃષભધ્વજ (શંકર) તે અર્જુનના દેખાતા જ તેના દર્શન બહાર થઇ ગયા.અર્જુન 'મેં સાક્ષાત મહાદેવને જોયા' એવું પરમ આશ્ચર્ય પામ્યો અને વિચારવા લાગ્યો કે-ભગવાને દર્શન આપીને તેમણે મારો સ્પર્શ કર્યો,એથી હું ધન્ય ને કૃપાપાત્ર થયો.
હવે હું સર્વ શત્રુઓને જીતી શકીશ ને મારુ પ્રયોજન સિદ્ધ થઇ ગયું.'(4)
Nov 3, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-329
અધ્યાય-૪૦-અર્જુનને પાશુપત અસ્ત્રની પ્રાપ્તિ
II देवाधिदेव उवाच II नरस्त्वं पूर्वदेहे वै नारायणसहायवान I वदयां तप्तवानुपं तपोवर्पायुतान्व्हन II १ II
દેવાધિદેવ બોલ્યા-'પૂર્વજન્મમાં તું નારાયણના સાથવાળો 'નર' નામે ઋષિ હતો.અને ત્યારે બદ્રિકાશ્રમમાં તેં લાખો વર્ષ
તપ કર્યું હતું.તારામાં ને શ્રીવિષ્ણુમાં પરમ તેજ રહેલું છે ને તમે બંને આ જગતને તેજથી ધારણ કરી રહ્યા છો.
ઇન્દ્રના યજ્ઞ વખતે તમે બંનેએ મેઘના ઘોષવાળું ધનુષ્ય (ગાંડીવ) ધારણ કરીને દાનવોને મારી નાખ્યા હતા.
હે પાર્થ એ જ ગાંડીવ તારા હાથને જ યોગ્ય છે.મેં માયા વડે તેને હરી લીધું હતું,તે તને પાછું મળી જશે.
હે અર્જુન,તું સત્ય પરાક્રમી છે,હું તારા પર પ્રસન્ન છું,તારા સમાન મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં,બીજો કોઈ પુરુષ નથી,
ને સર્વ ક્ષત્રિયોમાં તું શ્રેષ્ઠ છે.તું ઈચ્છીત વરદાન માગી લે (6)
Nov 2, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-328
અધ્યાય-૩૯-કિરાત અને અર્જુનનું યુદ્ધ
II वैशंपायन उवाच II गतेषु तेपु सर्वेपु तपस्विपु महात्मसु I पिनाकपाणिर्भगवान सर्वपापहरो हरः II १ II
વૈશંપાયન બોલ્યા-તે સર્વ તપસ્વી મહાત્માઓ જયારે ગયા,તે પછી,સર્વ પાપને હરનારા ને હાથમાં પિનાકને ધારણ કરનારા ભગવાન શંકરે તેજસ્વી કિરાત (ભીલ) નો વેશ ધારણ કર્યો.ને હાથમાં ધનુષ્ય ને સર્પ જેવાં તીક્ષણ બાણો લઈને
તે મહાવેગથી નીચે ઉતર્યા.તે વખતે ઉમાદેવી ને વિવિધ વેશધારી ભૂતો તેમને અનુસરી રહ્યાં હતાં.
Nov 1, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-327
કૈરાત પર્વ
અધ્યાય-૩૮-અર્જુનની તપશ્ચર્યા
II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पार्थस्याक्लिष्टकर्मणः I विस्तरेण कथामेतां यथास्त्राण्युपलब्धवान II १ II
જન્મેજય બોલ્યા-હે ભગવન.કઠિન કર્મ (તપ) કરવાવાળા અર્જુને જે રીતે અસ્ત્રોની પ્રાપ્તિ કરી તે કથા વિસ્તારથી
હું સાંભળવા ઈચ્છું છું.હે બ્રહ્મન,તમે દેવોની ને મનુષ્યોની સર્વ વાતો જાણો છો.તો તે અર્જુને શિવજીને અને ઇન્દ્રને કેવી રીતે પ્રસન્ન કર્યા? કહે છે કે અર્જુને પૂર્વે શિવજી સાથે આશ્ચર્યકારી યુદ્ધ કર્યું હતું,તે વિશે વિસ્તારથી કહો.(8)
Oct 31, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-326
અધ્યાય-૩૭-ઇંદ્રકીલ પર્વત પર અર્જુનને ઇંદ્રનાં દર્શન
II वैशंपायन उवाच II कस्यचित्पथ कालस्य धर्मराजो युधिष्ठिरः I संस्मृत्य मुनिसंदेशमिदं वचनब्रवीत II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાં કેટલોક સમય વીત્યા પછી યુધિષ્ઠિરે વ્યાસજીનો આદેશ સંભારીને અર્જુનને,એકાંતમાં બોલાવી શાંતિપૂર્વક ને સ્મિત કરીને કહ્યું કે-'હે અર્જુન,ભીષ્મ,દ્રોણ,કૃપ.કર્ણ અને અશ્વસ્થામામાં,
આદાન,સંધાન,વિસર્ગ અને સંહાર એ ચારે પાદવાળો ધનુર્વેદ રહ્યો છે.દૈવ,બ્રાહ્મ અને માનુષ એ સર્વ શસ્ત્રોના પ્રયોગો તેઓ યત્ન અને ચિકિત્સા સહિત સમગ્ર રીતે જાણે છે.દુર્યોધને તે સર્વેને મનાવી લીધા છે અને ભોગાદિમાં ભાગીદાર કરીને રીઝવી લીધા છે,તેમની તરફ તે માનથી વર્તે છે ને તેમના પ્રત્યે અનુપમ પ્રીતિ રાખે છે.(6)











