Aug 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-594

 

અધ્યાય-૨૧-ભીમે દ્રૌપદીને સાંત્વન આપ્યું 


 II भीमसेन उवाच II धिगस्तु मे बाहुबलं गाण्डीव फ़ाल्गुनस्य च I यत्तैरक्तौ पुरा भूत्वा पाणीकृतकिणाविमौ II १ II

ભીમસેન બોલ્યો-એકવાર તારા હાથ રાતાં તળિયાવાળા હતા,તે આજે પારકાના કામ કરીને કણીઓવાળા થયા છે,

તેથી મારા બાહુબળને ધિક્કાર હોયને ધિક્કાર હો અર્જુનના તે ગાંડીવને ! હું તો વિરાટની સભામાં જ મહાસંહાર

માંડત,પણ યુધિષ્ઠિરે 'છતા ના થવું' એવી સૂચના કરતાં મારી સામે જોયું એટલે હું રોકાઈ ગયો હતો.બાકી ઐશ્વર્યના

મદમાં ગંદા થયેલા એ કીચકનું માથું હું રમત વાતમાં પગ તળે કચરી નાખત.હે કૃષ્ણા,એ કીચકે તને લાત મારી,તે જ

વખતે હું મત્સ્યદેશવાસીઓનો મહાસંહાર કરવા તલપી રહ્યો હતો,પણ ધર્મરાજે મને વાર્યો,ને હું બેસી રહ્યો હતો.

Aug 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-593

 

અધ્યાય-૨૦-દ્રૌપદીનો આત્મવિલાપ 


 II द्रौपदी उवाच II अहं सैरंध्रीवेषेण चरंति राजवेष्यनि I सौचदास्मि सुदेष्णाया अक्षधूर्तस्य कारणात् II १ II

દ્રૌપદી બોલી-હું એ અટ્ટલ જુગારી યુધિષ્ઠિરને લીધે જ આ રાજભવનમાં સૈરંધ્રી વેશે રહું છું ને મારે સુદેષ્ણાને હાથપગ

ધોવાનું પાણી આપવું પડે છે.જુઓ તો ખરા,હું એક રાજપુત્રી,આજે આવી અવદશામાં આવી પડી છું.

પણ,જેમ,મનુષ્યોની અર્થસિદ્ધિ,જય-પરાજય અનિત્ય છે એમ માનીને હું મારા સ્વામીઓના પુનઃ ઉદયની જ

પ્રતીક્ષા કરું છું.સુખ-દુઃખ એ પૈડાંની માફક ફર્યા કરે છે એમ માનીને હું પુનઃ ઉદયની જ વાટ જોઉં છું.

Aug 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-592

 

અધ્યાય-૧૯-દ્રૌપદીનો ભીમ સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II इदं तु ते महादुखं यत्प्रवक्ष्यामि भारत I न मेम्यसुया कर्तव्या दुःखादेतद् ब्रविम्यहम् II १ II

દ્રૌપદી બોલી-હે ભારત,આ હું તમને મારી મહાદુઃખકારી વાત કહું છું,તમે મારા પર રોષ કરશો નહિ કેમ કે હું દુઃખને

લીધે જ બોલી રહી છું.તમને ન શોભે તેવું રસોઈયાનું હીન કામ કરીને તમારી જાતને બલ્લવ કહેવડાવો છો,

આથી કોનો શોક ન વધે? તમે દાસપણામાં પડયા છો ને રસોઈયા તરીકે વિરાટની સેવામાં હાજર 

થાઓ છો ત્યારે મારુ કાળજું ભેદાઈ જાય છે.વિરાટરાજ તમને કુંજરો સાથે યુદ્ધ કરાવે છે 

ત્યારે રાણીવાસની રમણીઓ હર્ષમાં આવી જાય છે પણ મારુ કાળજું ફફડી ઉઠે છે.

Aug 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-591

 

અધ્યાય-૧૮-દ્રૌપદીનો યુધિષ્ઠિર સંબંધી વિલાપ 


II द्रौपदी उवाच II अशोच्यत्वं कुतस्तस्या यस्या भर्ता युधिष्ठिरः I जानन्सर्वाणि दुःखानि किं मां त्वं परिप्रुच्छसि II १ II

દ્રૌપદી બોલી-જેનો ભર્તા યુધિષ્ઠિર હોય તે સ્ત્રીને સુખ તે ક્યાંથી હોય? બધાં દુઃખ તમે જાણો છો,છતાં શા માટે મને

પૂછો છો? દુર્યોધનની સભામાં મને દાસી કહીને તાણી લાવવામાં આવી તે દુઃખ મારા કાળજાને બાળી રહ્યું છે.

આવાં દુઃખ અનુભવીને મારા સિવાય કઈ રાજાની છોકરી જીવતી રહે?

Aug 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-590

અધ્યાય-૧૭-દ્રૌપદી ભીમની પાકશાળામાં 


II वैशंपायन उवाच II सा हता सूतपुत्रेण राजपत्नी यशस्विनी I वधं कृष्णा परिप्संति सेनावाहस्य भामिनी II १ II

વૈશંપાયન બોલ્યા-સૂતપુત્ર કીચકે,યશસ્વિની રાજરાણી કૃષ્ણાને આમ લાત મારી,એટલે એ ભામિની,એ સેનાપતિનો

વધ કરવાની ઈચ્છાથી પોતાના મુકામે ગઈ.ને રડતાં રડતાં તે પોતાના દુઃખના નિકાલ વિશે વિચાર કરીને તેણે

મનમાં ભીમનું સ્મરણ કર્યું,ને મનમાં જ બોલી કે-'ભીમ વિના બીજું કોઈ મારા મનનું પ્રિય કરે એમ નથી'

એટલે તરત જ તે રાતમાં તે પથારી છોડીને ઉભી થઈને ભીમસેનના ભવન તરફ દોડી.

Aug 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-589

 

અધ્યાય-૧૬-દ્રૌપદીનો પરાભવ 


II कीचक उवाच II स्वागतं ते सुकेशांते सुख्युष्टा रजनी मम I स्वामिनी त्वमनुप्राप्ता प्रकुरुष्व मम प्रियम् II १ II

કીચક બોલ્યો-હે સુંદરકેશી,તું ભલે આવી,આજે મારી રાત સારી જશે,તું મારી સ્વામીની છે,મારુ પ્રિય કર.

તારે માટે આ સુંદર આભૂષણો ને વસ્ત્રો છે ને આ મારી આ શય્યા તારા માટે જ શણગારીને રાખી છે,

તો તું આવ અને મારી સાથે મધુપુષ્પની મદિરા પી.

Aug 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-588

 

અધ્યાય-૧૫-કીચક અને સુદેષ્ણાની યુક્તિ 


II वैशंपायन उवाच II प्रस्याख्यातो राजपुत्र्या सुदेष्णां कीचकोब्रवीत् I अमर्यादेन कामेन घोरेणामिपरिप्लुतः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ રાજપુત્રી દ્રૌપદીએ,કીચકને હડધૂતી કાઢ્યો ત્યારે ભયંકર અને અમર્યાદ કામથી ઘેરાયલો એ (બહેન)સુદેષ્ણા પાસે જઈ તેને કહેવા લાગ્યો કે-હે કૈકેયી,તું એવું ગોઠવ કે તે સૈરંધ્રી મારી પાસે આવી મારા પર પ્રેમ કરે,એની ઘેલછામાં હું જીવ ખોઈ ન બેસું એમ તું કર' કીચકનાં વિલાપવચનો સાંભળીને સુદેષ્ણાએ એના પર દયા કરીને કહ્યું કે-તું પર્વનો દિવસ જોઈને સૂરા ને ભોજનો તૈયાર કરાવજે એટલે હું તેને સૂરા લાવવા તારી પાસે મોકલીશ,

એટલે તું અડચણ વિનાના તારા સ્થાનમાં તેને સમજાવજે,તો કદાચ તે તારે વશ થાય'(6)

Aug 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-587

કીચક વધ પર્વ

અધ્યાય-૧૪-કામાંધ કીચક અને કૃષ્ણાનો સંવાદ 


II वैशंपायन उवाच II वसमानेषु पार्थेषु मत्स्यनगरे तदा I महारथेषु च्छ्न्नेषु मासा दश समाययुः II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,તે મહારથી પૃથાનંદનોને મત્સ્યનગરમાં ગુપ્ત રીતે રહેતાં દશ માસ વીતી ગયા.

યાજ્ઞસેની કે જે સેવા કરાવવાને યોગ્ય હતી તે સુદેષ્ણાની સેવા કરતી હતી.એવામાં વિરાટરાજના (સાળા) મહાબળવાન સેનાપતિ કીચકે એ દ્રુપદપુત્રીને દીઠી.દેવકન્યાના જેવી કાંતિવાળી અત્યંત સુંદર દ્રૌપદીને જોઈને તે કીચક કામબાણથી અત્યંત પીડાવા લાગ્યો.તે સુદેષ્ણા પાસે જઈને કહેવા લાગ્યો કે-

Aug 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-586

 

સમયપાલન પર્વ 

અધ્યાય-૧૩-જીમૂતનો વધ 


II जनमेजय उवाच II एवं ते मत्स्यनगरे प्रच्छनाः कुरुनन्दनाः I अत ऊर्ध्व महावीर्याः किमकुर्वत वै द्विज II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજ,એ મહાવીર્યવાન કુરુનંદનોએ મત્સ્યનગરમાં ગુપ્તવાસ કર્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-ધર્મદેવના અનુગ્રહથી પાંડવો વિરાટનગરમાં અજ્ઞાતવાસે રહ્યા.ત્યાં યુધિષ્ઠિર સભાસદ થયા ને વિરાટરાજ,તેમના પુત્રો ને મત્સ્યદેશવાસીઓનાં પ્રિયપાત્ર થયા હતા.યુધિષ્ઠિર,તે વિરાટરાજને દ્યુતસભામાં યથેચ્છ

રીતે રમાડતા હતા ને પોતાનું જીતેલું ધન વિરાટરાજ ન જાણે એ રીતે ભાઈઓને યથાયોગ્ય આપતા હતા. 

વળી,તે ભાઈઓ પણ પોતપોતાનું કામ કરીને એકબીજાને સહાયક થતા હતા 

ને દ્રૌપદીની સંભાળ રાખીને તેઓ વિરાટનગરમાં ગુપ્તપણે વિચરતા હતા.(13)

Aug 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-585

 

અધ્યાય-૧૨-નકુલનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत पांडव: प्रभुर्विराटराजं तरसा समेयिवान् I 

तमापतंतं ददशे पृथग्जनो विमुक्तमभ्रादिव सूर्यमण्डलं II १ II

વૈશંપાયન બોલ્યા-એ પછી,એક બીજો સમર્થ પાંડુપુત્ર નકુલ ઉતાવળે વિરાટરાજ પાસે આવી ઉભેલ જણાયો.અન્યજનોએ તેને મેઘમંડળમાંથી મુક્ત થયેલા સૂર્યમંડળ જેવો જોયો.તે નકુળ ઘોડાઓની તપાસ કરતો હતો ત્યારે વિરાટરાજે તેને જોયો.ને પોતાના અનુચરોને કહ્યું કે-દેવના જેવો આ પુરુષ ક્યાંથી આવે છે? એ પોતે મારા અશ્વોને ઝીણવટથી તપાસે છે,તો એ કોઈ અશ્વવેત્તા હોવો જોઈએ,એને મારી પાસે લઇ આવો'

Aug 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-584

 

અધ્યાય-૧૧-અર્જુનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरोद्श्यत रूपसंपदा स्त्रीणांलंकारधरो ब्रुह्त्युमान I 

प्राकारवप्रे प्रतिमुच्य कुण्डले दीर्घे च कंवुपरिहाटके शुभे  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ત્યાં સ્ત્રીઓના અલંકારોને ધારણ કરનારો એક રૂપસંપત્તિવાળો ભવ્ય પુરુષ કોટની નજીકમાં દેખાયો,કે જેણે કાને મોટાં કુંડળો પહેર્યા હતા અને હાથમાં શંખનાં બલૈયાં તેમ જ સોનાનાં કડાં પહેર્યા હતાં.એ અર્જુન,પોતાના લાંબા બાહુઓને તથા કેશોને પ્રસારીને વિરાટરાજની સભા પાસે આવી ઉભો.

Aug 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-583

 

અધ્યાય-૧૦-સહદેવનો પ્રવેશ 


II वैशंपायन उवाच II सह्देवोपि गोपानां कृत्वा वेषमनुत्तमम् I भाषां चैपां समास्थाय विराटमुपयादथ II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સહદેવ પણ ગોવાળનો ઉત્તમ વેશ લઈને,ગોવાળિયાઓની બોલી બોલતો વિરાટરાજાની

પાસે જવા નીકળ્યો,ને રાજભવન પાસેની ગૌશાળા પાસે જઈને ઉભો રહ્યો.રાજાએ તેને જોયો,ત્યારે તેને પૂછ્યું કે-

'તું કોણ છે?ક્યાંથી આવ્યો છે?તું શું કરવા ઈચ્છે છે? મેં તને પૂર્વે જોયો નથી,તો તું સાચેસાચું કહે'

Aug 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-582

 

અધ્યાય-૯-દ્રૌપદીનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततःकेशान्समुत्क्षिप्य वेल्लिताग्राननिंदितान I 

कृष्णान सुक्ष्मान मृदून दीघान समुद्ग्रथ्य शुचिस्मिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નિર્મળ સ્મિતવાળી,શ્યામળ લોચનવાળી કૃષ્ણાએ પોતાના વાંકડિયા,સુંદર,કાળા,પાતળા,

કોમળ અને લાંબા કેશોને એકઠા કરીને ગૂંથી લીધા,ને તેને જમણા પડખામાં ઢાંકીને,અત્યંત મલિન એવું એક વસ્ત્ર પહેરીને,સૈરંધ્રીનો વેશ ધારણ કરીને દુ:ખીયારીની જેમ વિરાટનગરમાં ભટકવા લાગી.નગરવાસી સ્ત્રીઓએ

તેને પૂછ્યું કે-'તું કોણ છે? ને તું શું કરવા ઈચ્છે છે?'

Aug 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-581

અધ્યાય-૮-ભીમસેનનો પ્રવેશ 


II वैशंपायन उवाच II अथापरो भीमबलः श्रिया जवलन्नुपाययौसिंहविलासविक्रमः I 

खजां चदर्विच करेण धारयन्नसि च कालांगमकोशमव्रणम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભયંકર બળવાળો,કાંતિથી ઝગમગતો અને ગિરિરાજ મેરુના જેવા દ્રઢ શરીરવાળો ભીમસેન કાળાં વસ્ત્રો ધારણ કરીને તથા હાથમાં કડછી,તાવેથો,ને માંસ કાપવાનો છરો લઈને રસોઈયાના વેશે એ મત્સ્યરાજ પાસે આવીને ઉભો.તે વખતે સૂર્યનો જેમ તે પોતાના તેજથી,આ લોકને પ્રકાશિત કરી રહ્યો હોય તેવો લાગતો હતો.તેને આવેલો જોઈને વિરાટરાજે એકઠા મળેલા પ્રજાજનોને હર્ષ પમાડતાં કહ્યું કે-

Jul 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-580

 

અધ્યાય-૭-વિરાટરાજને ત્યાં યુધિષ્ઠિરનો પ્રવેશ 


II वैशंपायन उवाच II ततो विराटं प्रथमं युधिष्ठिरो राज सभायामुपविष्टमाव्रजत I 

वैदूर्यरुपान्प्रतिमुच्य कान्चनानक्षान्स कक्षे परिगृह्य वाससा II १ II

 વૈશંપાયન બોલ્યા-પછી,સૌ પ્રથમ,તે યુધિષ્ઠિર,વૈડૂર્ય જડેલા સોનાના પાસાઓને વસ્ત્રમાં લપેટીને,બગલમાં દબાવીને સભામાં બેઠેલા વિરાટરાજા પાસે ગયા,ત્યારે તે બળ અને અપૂર્વ તેજ વડે દેવ જેવા,સૂર્ય જેવા અને ભસ્મથી ઢંકાયેલા

અગ્નિ જેવા વીર્યવાન લાગતા હતા.તેમને આવતા જોઈને વિરાટરાજ વિચારવા લાગ્યો કે-

'પૂર્ણચંદ્રના જેવા તેજસ્વી મુખવાળા આ કોઈ મહાનુભાવ આવ્યા છે' તેણે પોતાની પાસે બેઠેલા મંત્રીઓને પૂછ્યું કે-રાજાના જેવા લક્ષણોવાળો આ કોણ પહેલી વાર જ મને મળવા આ સભામાં આવી રહ્યો છે? તે બ્રાહ્મણ હોય તેવું મને લાગતું નથી,તેના શરીરના ચિહ્નો પરથી લાગે છે કે તે કોઈ રાજવી છે.જેમ,કોઈ મદમસ્ત હાથી કમલસરોવર પાસે જાય તેમ,આ જરા પણ વ્યથા વિના મારી પાસે આવી રહ્યો છે'(7)