Nov 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-663

 

અધ્યાય-૨૭-સંજયનાં વાક્યો 


 IIसंजय उवाच  II धर्मनित्या पांडव ते विचेष्टा लोके श्रुता द्रष्यते चापि पार्थ I 

महाश्रवं जीवितं चाप्यनित्यं संपश्य त्वं पांडव मा व्यनीनशः II १ II

સંજય બોલ્યો-હે પાંડવ,તમારું કોઈ પણ આચરણ ધર્મને અનુસરીને જ હોય છે એવું લોકમાં સાંભળવામાં અને જોવામાં આવે છે.હે પાંડુપુત્ર,પણ,મહાકીર્તિવાળું જીવિત પણ અનિત્ય જ હોય છે તે તરફ તમે દ્રષ્ટિ કરો અને ક્રોધ વડે ધૃતરાષ્ટ્ર પુત્રોનો નાશ ન કરો.કૌરવો રાજ્યનો ભાગ આપે નહિ તો યુદ્ધ કરીને રાજ્ય મેળવવું એ કલ્યાણકારક નથી,પણ અંધક અને વૃષ્ણીઓના રાજ્યમાં ભિક્ષા માગીને નિર્વાહ કરવો એ કલ્યાણકારક છે એમ હું માનું છું.

કેમ કે મનુષ્યનું જીવિત અલ્પ,ક્ષય પામનારું,દુઃખથી ભરેલું અને ચંચળ છે.વળી,યુદ્ધ કરીને રાજ્ય મેળવવું તે તમારા જેવાની કીર્તિને પણ યોગ્ય નથી,માટે તમે યુદ્ધરૂપી પાપ કરશો નહિ.

Oct 31, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-662

 

અધ્યાય-૨૬-યુધિષ્ઠિરનું ભાષણ 


II युधिष्ठिर उवाच II कां नु वाचं संजय मे शृणोषि युध्धैषिणी येन युद्धाद्विमेषि I 

युद्धं वै तात युद्वाद्वरियः कस्तल्लब्धवा जातु युद्वयेत सुत II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,તું યુદ્ધની ઈચ્છાવાળી મારી કયી વાણી સાંભળે છે કે જેથી તું યુદ્ધથી ભય પામે છે?ખરેખર તો યુદ્ધ કરવા કરતાં યુદ્ધ ન કરવું એ શ્રેષ્ઠ છે.યુદ્ધ વિના અર્થસિદ્ધિ થતી હોય તો કયો પુરુષ યુદ્ધ કરવા તૈયાર થાય?પાંડવો સુખની ઈચ્છાવાળા છે અને ધર્મયુક્ત ને લોકહિતકારી કર્મ કરે છે.અમે ઇન્દ્રિયોનાં સુખ પાછળ લાગેલા નથી.કેમકે ઇન્દ્રિયોના વિષયોની જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમતેમ વૃદ્ધિ જ પામ્યા કરે છે.

અમારી સાથે તું અનેક પુત્રવાળા ધૃતરાષ્ટ્ર તરફ દ્રષ્ટિ કર.મોટો વૈભવ હોવા છતાં તે સર્વ વૈભવ પોતાને જ મળે એવી ઈચ્છાથી અમને રાજ્યવૈભવથી દૂર કર્યા  તો પણ તે ભોગથી તેમને હજુ તૃપ્તિ થતી નથી.

Oct 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-661

 

અધ્યાય-૨૫-સંજયે ધૃતરાષ્ટ્રનો સંદેશો કહ્યો 


II युधिष्ठिर उवाच II समागताः पांडवा: सृंजयाश्च जनार्दनो युयुधानो विराटः I 

यते वाक्यं धृतराष्ट्रानुशिष्टं गावल्गणे ब्रुहि तत्सुतपुत्र II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે ગાવલ્ગણ સૂતના પુત્ર સંજય,અહીં પાંડવો,સૃન્જયો,શ્રીકૃષ્ણ,સાત્યકિ,

વિરાટ આદિ સર્વ એકઠા થયા છે માટે ધૃતરાષ્ટ્રે જે સંદેશો કહ્યો હોય તે અમને સર્વને કહે.

સંજય બોલ્યો-હું કૌરવોના કલ્યાણની ઈચ્છાથી જે કહું છું  તે તમે સર્વ સાંભળો.ધૃતરાષ્ટ્ર રાજા સલાહ-શાંતિને અભિનંદન આપે છે એટલે જ તેમને ઉતાવળથી રથ જોડાવી મને અહીં મોકલ્યો છે.તે તમને સર્વને રુચિકર થાઓ ને તેથી શાંતિ થાઓ.હે પૃથાપુત્રો તમે સર્વધર્મથી સંપન્ન છો,સરળતાથી યુક્ત છો,ને કર્મના નિશ્ચયને જાણનારા છો,તમારી સાધુતા જ એવી છે કે તમારા હાથે હિંસાવાળું કર્મ થવું યોગ્ય નથી.જો તમારામાં પાપ હોય તો તે તરત જ જણાઈ આવે પણ તેવું નથી જ.જે કર્મમાં સર્વ શૂન્ય કરી નાખનારો મહાન ક્ષય,જે જય પણ પરાજય જેવો જ હોય તેવા યુદ્ધરૂપી કર્મને જાણનાર પુરુષ કદાપિ પણ તે કરવા તૈયાર થાય નહિ.

Oct 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-660

 

અધ્યાય-૨૩-યુધિષ્ઠિરના પ્રશ્નો 


II वैशंपायन उवाच II राज्ञस्तु वचनं श्रुत्वा धृतराष्ट्रस्य संजयः I उप्लव्यं ययौ द्रष्टुं पाण्डवानमितौजसः II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્ર રાજાનું કહેવું સાંભળીને,સંજય પાંડવોને મળવા ઉપલવ્ય નામના નગરમાં ગયો,ત્યાં તે યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-મહારાજ ધૃતરાષ્ટ્રે આપ સર્વનું કુશળ પૂછ્યું છે,ને કહ્યું છે કે તેઓ કુશળ છે'

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,અમે તને જોઈને અને ધૃતરાષ્ટ્રના સમાચાર જાણીને પ્રસન્ન થયા છીએ અને હું સર્વ બંધુઓ ને દ્રૌપદી સાથે કુશળ છું.અમારા દાદા ભીષ્મ કુશળ છે ને ? તેમનો અમારા પ્રત્યે પૂર્વના જેવો જ સ્નેહ છે ને? વળી,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય અને અશ્વસ્થામા આદિ કુશળ છે ને? કૌરવ ભાઈઓ કુશળ છે ને?

Oct 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-659

 

અધ્યાય-૨૨-ધૃતરાષ્ટ્રનો સંદેશો 


II धृतराष्ट्र उवाच II प्राप्तानाहुः संजय पांडुपुत्रानुपप्ल्व्येतान विजानीहि गत्वा I 

अजातशत्रु च सभाजयेथा दिष्ट्यानह्य स्थानमुपस्थितस्तवं II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે સંજય,પાંડવો ઉપલવ્ય નામના સ્થાનમાં આવ્યા છે તેમ લોકો કહે છે,માટે તું ત્યાં જા અને તેઓની તપાસ   કરીને 'તમે સજ્જ થઈને સ્થિતિમાં આવ્યા એ બહુ સારું થયું' એમ કહીને તે અજાતશત્રુ યુધિષ્ઠિરનું સન્માન કર.ને તું એ સર્વને અમે ક્ષેમકુશળ છીએ એમ કહેજે,ને તેમનું ક્ષેમકુશળ અમારા વતી પુછજે.

કષ્ટ ભોગવાને અયોગ્ય એવા પાંડવોએ વનવાસનું કષ્ટ ભોગવ્યું છે,તેમ છતાં,અસત્યથી દૂર રહેનારા,સજ્જન એવા તેઓ મારા પર ક્રોધ કરતા નથી પણ શાંતિયુક્ત જ જણાય છે.મેં કોઈ દિવસ પણ તેમનું જરાપણ મિથ્યા વર્તન જોયું નથી.તેઓ પોતાના પરાક્રમથી લક્ષ્મી મેળવતા હતા તો પણ તેઓ તે લક્ષ્મી મને જ અર્પણ કરતા હતા.

Oct 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-658

 

અધ્યાય-૨૧-ભીષ્મ અને કર્ણનાં વાક્યો 


II वैशंपायन उवाच II तस्य तद्वचनं श्रुत्वा प्रज्ञावृद्धो महाध्युतिः I संपूज्यैनं यथाकालं भीष्मो वचनब्रवित्  II १ II

વૈશંપાયને કહ્યું-પુરોહિતનાં તે વચન સાંભળીને જ્ઞાનવૃદ્ધ તથા મહાતેજસ્વી ભીષ્મ તેનું સન્માન કરીને સમયોચિત વચન બોલ્યા-'હે બ્રહ્મન,સઘળા પાંડવો કુશળ છે,શ્રીકૃષ્ણ તેમની સહાય કરે છે ને તેઓ ધર્મમાં તત્પર રહે છે એ બહુ સારું છે.તેઓ કૌરવો સાથે સંધિની ઈચ્છા રાખે છે પણ યુદ્ધની ઈચ્છા રાખતા નથી તે પણ બહુ સારું છે.

તમે સર્વ સત્ય કહ્યું એમાં સંશય નથી.પાંડવોને અહીં અને વનમાં બહુ દુઃખ મળ્યું છે,ને તેઓને ધર્મથી જ ધન પ્રાપ્ત થયું છે તે પણ નિઃસંદેહ છે.અર્જુન બળવાન છે ને યુદ્ધમાં તેને કોણ સહન કરી શકે તેવો છે? સાક્ષાત ઇન્દ્ર પણ તેની સામે યુદ્ધ કરવા સમર્થ નથી તો અન્ય ધનુર્ધારીઓની તો વાત જ શી? એમ મારુ માનવું છે'

Oct 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-657

 

અધ્યાય-૨૦-કૌરવો આગળ દ્રુપદના પુરોહિતનું ભાષણ 


II वैशंपायन उवाच II स च कौरव्यमासाद्य द्रुपदस्य पुरोहितः I सत्कृतो धृतराष्ट्रेण भीष्मेण विदुरेण च II १ II

વૈશંપાયન બોલ્યા-તે દ્રુપદનો પુરોહિત ધૃતરાષ્ટ્ર પાસે ગયો,કે જ્યાં ધૃતરાષ્ટ્રે,ભીષ્મે તથા વિદુરે તેનો સત્કાર કર્યો.

પુરોહિતે પ્રથમ પાંડવોના કુશળ સમાચાર કહીને તેમની વતી તે સર્વના કુશળ પૂછ્યા ને સર્વ નેતાઓની વચ્ચે તેણે કહ્યું કે-'તમે સર્વ પુરાતન રાજધર્મને જાણો છો છતાં આ સંબંધમાં તમારા અભિપ્રાયના વચનો સાંભળવાના હેતુથી હું તમને કંઈક કહું છું.એક પિતાના બે પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુનો પિતાના ધન પર સમાન હક છે.એમાં સંશય નથી તો ધૃતરાષ્ટ્રના પુત્રોને પિતૃધન મળ્યું પણ પાંડુના પુત્રોને તે પિતૃધન કેમ મળ્યું નથી?ખરી રીતે તો ધૃતરાષ્ટ્રે પ્રથમથી જ તે ધન દબાવી દીધેલું હોવાથી પાંડવોને તે પિતૃધન મળ્યું નથી,એ તમે સર્વ યથાર્થ રીતે જાણો છો.

Oct 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-656

 

અધ્યાય-૧૯-યુધિષ્ઠિર અને દુર્યોધનના પક્ષમાં સૈન્યની જમાવટ 


II वैशंपायन उवाच II युयुधानस्ततो वीरः सात्वतानां महारथः I महता चतुरंगेण बलेनागायुधिष्ठिरं II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,યાદવોનો મહારથી વીર સાત્યકિ,મોટી ચતુરંગિણી સેના લઈને યુધિષ્ઠિરની પાસે આવ્યો.જુદા જુદા દેશમાંથી આવીને ભેગા થયેલા મહાપરાક્રમવાળા તથા અનેક પ્રકારના આયુધોવાળા તેના યોદ્ધાઓ તેની સેનાને શોભાવતા હતા.હે રાજા,સાત્યકિની તે અક્ષૌહિણી સેના,યુધિષ્ઠિરની સેનામાં,જેમ નદી સાગરમાં સામે જાય તેમ સમાઈ ગઈ.સાત્યકિની જેમ જ ચેદીવંશમાં શ્રેષ્ઠ ધૃષ્ટકેતુ,એક અક્ષૌહિણી સેના લઇને આવ્યો.મગધદેશનો રાજા,જરાસંઘનો પુત્ર જયત્સેન પણ એક અક્ષૌહિણી સેના લઈને આવ્યો.

Oct 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-655

 

અધ્યાય-૧૮-યુધિષ્ઠિરને સાંત્વન આપી શલ્ય દુર્યોધન પાસે ગયો 


II शल्य उवाच II ततः शक्रः स्तुयमानो गन्धर्वाप्सरसां गणैः I ऐरावतं समारुह्य द्विपेन्द्र लक्षणैर्युतम् II १ II

શલ્યે કહ્યું-પછી,ગંધર્વો અને અપ્સરાઓએ જેની સ્તુતિ કરી તેવો તે વૃત્રસંહારક ઇન્દ્ર,સુંદર લક્ષણવાળા ઐરાવત હાથી પર બેસીને,અગ્નિ,બૃહસ્પતિ,યમ,વરુણ,કુબેર,સર્વ દેવતા,ગંધર્વો અને અપ્સરાઓથી વીંટાઇને સ્વર્ગમાં ગયો.

ત્યાં તે ઇન્દ્ર ઈન્દ્રાણીને મળીને આનંદ પામ્યો અને સર્વ લોકનું પાલન કરવા લાગ્યો.

તે પછી,ત્યાં અંગિરામુનિ આવ્યા અને તેમણે,અથર્વવેદના મંત્રોથી દેવેન્દ્રની સ્તુતિ કરી.કે જેથી ઇન્દ્રે પ્રસન્ન થઈને અંગિરામુનિને વર આપ્યો કે-અથર્વવેદમાં તમારું નામ અથર્વાગિરસ તરીકે પ્રસિદ્ધ થશો.એમાં પ્રમાણ તમે જે અથર્વવાક્ય (अथ वेदरूपं यस्य वाक्यं स ऋषि) બોલ્યા તે જ થશે.વળી તમને યજ્ઞમાં ભાગ પણ મળશે.

આમ કહીને ઇન્દ્રે અથર્વાગિરાનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા.(9)

Oct 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-654

 

અધ્યાય-૧૭-નહુષ સર્પ થઈને પડ્યો 


II शल्य उवाच II अथ संचित्यानास्य देवराजस्य धीमतः I नहुषस्य वधोपायं लोकपालैः सदैवतैः II १ II

શલ્યે કહ્યું-'પછી,બુદ્ધિમાન ઇન્દ્ર,લોકપાલો અને દેવતાઓની સાથે નહુષના વધનો વિચાર કરતો હતો,એટલામાં ત્યાં અગસ્ત્ય ઋષિ દ્રષ્ટિ ગોચર થયા,તેમણે દેવેન્દ્રનું સન્માન કરીને કહ્યું કે-તમે વૃદ્ધિ પામ્યા તે સારું થયું.આજે જ નહુષ દેવરાજ્યથી ભ્રષ્ટ થયો છે,એ તમારું મહદભાગ્ય છે.હે ઇન્દ્ર,હવે હું તમને શત્રુ રહિત થયેલા જોઉં છું'

ઇન્દ્રે તેમનું પૂજન કરીને પૂછ્યું કે-તે નહુષ સ્વર્ગમાંથી કેવી રીતે ભ્રષ્ટ થયો?તે હું સાંભળવા ઈચ્છું છું'

Oct 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-653

 

અધ્યાય-૧૬-ઇન્દ્ર તથા વરુણ આદિનો સંવાદ 


II बृहस्पति उवाच II त्वामग्ने सर्व देवानां मुखं त्वमसि हव्यवाट् I त्वमंतः सर्वभूतानां गूढश्चरसि साक्षिवत II १ II

બૃહસ્પતિ બોલ્યા-'હે અગ્નિ,તમે સર્વ દેવોનું મુખ છો,તમે હવ્યને વહન કરો છો અને સર્વ પ્રાણીમાં સાક્ષીની જેમ ગૂઢ રીતે ફરો છો,કેટલાએક વિદ્વાનો તમને જઠરાગ્નિ રૂપે એક કહે છે તો કેટલાએક ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ તથા આહવનીય રૂપે-એમ ત્રણ પ્રકારે કહે છે.તમે જો આ જગતનો ત્યાગ કરો તો તે તુરત જ નાશ પામી જાય.

તમે આ ત્રણ લોકોને ઉત્પન્ન કરીને સંહારકાળ આવતાં પ્રદીપ્ત થઈને પુનઃ સંહાર કરો છો.

Oct 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-652

 

અધ્યાય-૧૫-નહુષને પાડવાની યુક્તિ 


II शल्य उवाच II एवमुक्तः स भगवान शच्या तां पुनरब्रवीत I विक्रमस्य न कालोऽयं नहुषो बलवत्तरः II १ II

શલ્યે કહ્યું-'એ પ્રમાણે ઈન્દ્રાણીએ કહ્યું ત્યારે ભગવાન ઇન્દ્રે તેને ફરીથી કહ્યું કે-'આ પરાક્રમ કરવાનો અત્યારે સમય નથી કેમ કે નહુષ મહાબળવાન થયો છે.ઋષિઓએ તેને હવ્યકવ્ય આપીને બહુ બળવાન બનાવી દીધો છે.પણ હું એક યુક્તિની યોજના કરું છું તે પ્રમાણે તારે કરવું અને આ વાત ગુપ્ત રાખીને તારે કોઈનેય કહેવી નહિ.તારે એકાંતમાં નહુષની પાસે જઈને કહેવું કે-હે નહુષ,તમે દિવ્ય પાલખીમાં બેસી તે ઋષિઓની પાસે ઉપડાવીને મારી પાસે આવો તો હું પ્રસન્ન થઈને તમારે વશ થઈને રહીશ-આવું તું તેને જઈને કહે'

Oct 19, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬-Gita Rahasya-Gnaneshvari-6-Adhyaya-2

હવે જેના વિષે વિચારવાનું-કે સમજવાનું છે-
તે-આત્મા છે-તેને સમજવાની જ કડાકૂટ આ ગીતામાં છે.આત્મા દેખી શકાય તેવો નથી.
એટલે તેને સમજાવવામાં પુસ્તકોની થપ્પીઓની થપ્પીઓ છે.
તર્કથી આત્માને સમજી કે સમજાવી શકાય તેમ નથી જ.
જેને નરી આંખે દેખી ન શકાય-તેને સમજાવી કેમ શકાય ? તેનું વર્ણન કેમ થાય ?
પણ તેને થોડોક પણ સમજ્યા વગર ગીતાનું આત્મજ્ઞાન સમજી શકાય તેવું નથી.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-651

 

અધ્યાય-૧૪-ઈન્દ્રાણીને ઇંદ્રનાં દર્શન 


II शल्य उवाच II अथैना रूपिणी साध्वींमुपातिष्ठदुपश्रुतिः I तां वयो रूपसंपन्नां द्रष्ट्वा देवीमुपस्थिताम् II १ II

શલ્યે કહ્યું-પછી,ઉપશ્રુતિ દેવી મૂર્તિમંત થઈને સાધ્વી ઈન્દ્રાણી પાસે આવીને ઉભી.તેને જોઈને ઈન્દ્રાણી મનમાં 

બહુ પ્રસન્ન થઈને બોલી-'હે સુંદરમુખી,તને જાણવાની હું ઈચ્છા રાખું છું,માટે બોલ તું કોણ છે?'

ઉપશ્રુતિ બોલી-'હે દેવી,હું ઉપશ્રુતિ છું,તારા સત્યને લીધે હું તારી પાસે આવી છું,હું તને ઇંદ્રનાં દર્શન કરાવીશ,

તું મારી પાછળ ચાલ એટલે તને તે દેવેન્દ્રનાં દર્શન થશે' આમ કહી તે આગળ ચાલી ને તેની પાછળ ઈન્દ્રાણી ચાલી.

Oct 18, 2024

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫-અધ્યાય -2-Gita Rahasya-Gnaneshvari-5-Adhyaya-2

અર્જુન ની “બુદ્ધિ” પર “અજ્ઞાન” નો  અંધકાર છવાઈ જવાથી તે પોતાનું જે કર્મ કરવાનું (યુદ્ધ) છે તે ભૂલ્યો છે.એટલે શ્રીકૃષ્ણ સહુ પ્રથમ તો તેના અજ્ઞાન ને દૂર કરવા સાચું જ્ઞાન  (જ્ઞાનયોગ) સમજાવે છે.અને આ સાચું જ્ઞાન (આત્મ-જ્ઞાન) આપી ને તેને તેનો ક્ષત્રિય ધર્મ  (સ્વ-ધર્મ) અને તેનું સાચું કર્મ (કર્મયોગ) સમજાવે છે.  કે જેથી તેની બુદ્ધિ સ્થિર (સ્થિતપ્રજ્ઞ) થાય.એટલે જ આ બીજા અધ્યાય માં જ્ઞાનયોગ અને કર્મયોગની પણ વાત છે.