Dec 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-678

 

વિદુર બોલ્યા-'હે રાજન,આમ,તમારે પૃથ્વીને મારે પણ ખોટું બોલવું યોગ્ય નથી.અસત્ય બોલીને તમે પુત્રો સાથે નાશ ન પામો.દેવો,ગોવાળોની જેમ,હાથમાં લાકડી લઈને રક્ષણ કરતા નથી પણ તેઓ જેનું રક્ષણ કરવા ઈચ્છે છે તેમની બુદ્ધિમાં વધારો કરે છે.પુરુષ,કલ્યાણ કર્મ કરવામાં મન જોડે તો તેના સર્વ અર્થો સિદ્ધ થાય છે.

કપટી મનુષ્ય વેદવેત્તા હોય તો પણ તેને વેદો તારતા નથી અને અંતકાળે વેદો તેનો ત્યાગ કરી જાય છે.(42)

Dec 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-677

 

અધ્યાય-૩૫-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II ब्रुहि भूयो महाबुध्धे धर्मार्थसहितं वचः I शृण्वतो नास्ति मे तृप्तिर्विचित्रानीह भाषसे II १ II

       ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે મહાબુદ્ધિમાન વિદુર,તમે ફરીથી ધર્મ તથા અર્થયુક્ત વચન કહો,

કેમ કે મને તે સાંભળતાં તૃપ્તિ થતી નથી.

વિદુર બોલ્યા-સર્વ તીર્થોમાં સ્નાન કરવું અને પ્રાણીમાત્ર ઉપર સમદ્રષ્ટિ રાખવી,એ બંને સમાન છે,માટે હે રાજા,તમે કૌરવો અને પાંડવો ઉપર નિત્ય સમદ્રષ્ટિ રાખો.ને એમ વર્તવાથી તમે આ લોકમાં ઉત્તમ કીર્તિ પામીને સ્વર્ગમાં જશો.આ વિષયમાં કેશિનીને માટે વિરોચનનો,સુધન્વાની સાથે થયેલો સંવાદ ઉદાહરણ તરીકે કહેવાય છે.(5)

Nov 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-676

 

મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોને,નિયમમાં રાખીને બુદ્ધિ વડે આત્માને ઓળખવો કારણકે બુદ્ધિજ આત્માનો બંધુ છે ને બુદ્ધિ જ આત્માનો શત્રુ છે.હે રાજા,કામ અને ક્રોધ એ બંને બુદ્ધિમાં રહીને બુદ્ધિનો નાશ કરે છે.

જે મનુષ્ય,પાંચ ઈંદ્રિયોરૂપી આંતર શત્રુઓને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવાની ઈચ્છા રાખે છે,તેનો શત્રુઓ પરાભવ કરે છે.હે રાજન,પાપ કરનારાની સંગતિથી નિષ્પાપ મનુષ્યને પણ પાપી જેટલી જ શિક્ષા થાય છે.

માટે પાપીઓનો સંગ કરવો નહિ,જે મોહને લીધે ઇન્દ્રિયોને તાબામાં રાખી શકતો નથી તેને આપત્તિ ગળી જાય છે.

Nov 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-675

 

જેમ,સ્ત્રી,નપુંસક પતિને ચાહતી નથી,તેમ,જે રાજાની કૃપા ને ક્રોધ નિષ્ફળ છે તે રાજાને પ્રજા ચાહતી નથી.

કેટલાંક કામો એવાં હોય છે કે તેના આરંભમાં થોડી મહેનત કરી હોય તો પણ મહાફળ આપે છે,તેવાં કામોનો ડાહ્યો મનુષ્ય ઝટ આરંભ કરે છે,ને તેમાં અંતરાય નાખતો નથી.જે રાજા પ્રેમપૂર્ણ સરળ દ્રષ્ટિથી સર્વ પ્રજા તરફ જુએ છે તે શાંત બેસી રહે તો પણ પ્રજા તેના તરફ પ્રીતિ રાખે છે.જે રાજા નેત્ર,મન,વાણી અને કર્મથી લોકોને પ્રસન્ન રાખે છે,તેના પર લોકો પ્રસન્ન રહે છે.જેમ પારધીથી મૃગ ત્રાસ પામે,તેમ,જે રાજાથી પ્રજા ત્રાસ પામે તે રાજાનું રાજ નાશ પામે છે.જે રાજા બાપદાદાના રાજ્યને પ્રાપ્ત થયો હોય ને અન્યાયથી વર્તતો હોય તે પોતાના કર્મોથી જ રાજ્યનો નાશ કરે છે.ધર્મ પ્રમાણે ચાલનારા રાજાના રાજ્યકાળમાં પૃથ્વી ધનથી ભરપૂર થઈને વૃદ્ધિ પામે છે.(33)

Nov 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-674

 

અધ્યાય-૩૪-વિદુરનીતિ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II जाग्रतो दह्यमानस्य यत्कार्यमनुपश्यति I तद्बुध्धि त्वं हि नस्तात धर्मार्थकुशलोह्यसि II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે તાત વિદુર,મને ઊંઘ આવતી નથી ને ચિંતારૂપી અગ્નિથી બળુ છું,માટે તમે જે કાર્ય કરવા યોગ્ય જોતા હો તે કહો કારણકે તમે ધર્મ અને અર્થમાં કુશળ છો.મને ખરેખરું કહો કે યુધિષ્ઠિર શું કરવા ધારે છે?

વિદુર બોલ્યા-હે રાજન,જેનો પરાભવ ન થાય તેવી આપણી ઈચ્છા હોય તેને વગર પૂછ્યે પણ હિતવાત કહેવી,પછી ભલે તે શુભ-અશુભ હોય કે રુચિકર કે અરુચિકર હોય.માટે કૌરવોને જે હિતકારક હોય તે ધર્મયુક્ત વચન સાંભળો.

Nov 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-673

 

જે ઘર છોડીને નકામો પ્રવાસ કરતો નથી,પાપીઓ સાથે મિત્રતા કરતો નથી,પરસ્ત્રીનું સેવન કરતો નથી અને દંભ,ચોરી,ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી,તે સદા સુખી રહે છે.જે મનુષ્ય આવેશને લીધે ધર્મ,અર્થ તથા કામનો આરંભ કરતો નથી,બોલાવીને પૂછવાથી ખરું જ કહે છે,મિત્ર સાથે વિવાદ કરતો નથી ને પોતાનો સત્કાર ન થાય તો કોપતો નથી,તે જ વિદ્વાન છે.જે ઈર્ષા કરતો નથી,દયા રાખે છે,દુર્બળ હોવાથી બીજાની સાથે વિરોધ કરતો નથી,મર્યાદા છોડીને કદી બોલતો નથી અને કોઈ ઉલટું બોલે તો તેને ક્ષમા કરે છે તેવો પુરુષ પ્રસંશા પામે છે.

Nov 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-672

 

ચોરો,ગાફેલ મનુષ્ય પર,વૈદ્યો રોગી પર,પ્રમદાઓ કામી પુરુષ પર,ગોરો યજમાન પર,રાજા વિવાદ કરનારાઓ 

પર અને પંડિતો મુર્ખાઓ પર (આ છ) જીવિકા ચલાવે છે.આવો સાતમો દાખલો મળતો નથી.

ગાયો,સેવા,ખેતી,સ્ત્રી,વિદ્યા ને શૂદ્રનો સ્નેહ,આ છ તરફ બે ઘડી બેદરકાર રહેવાય તો તે વિનાશ પામે છે.

આ (હવે પછીના) છ જણા પૂર્વે ઉપકાર કરનારને અવશ્ય વિસરી જાય છે.ભણી રહેલા શિષ્યો આચાર્યને,પરણેલા પુત્રો માતાને,કામરહિત થયેલો પતિ સ્ત્રીને,કૃતકાર્ય થયેલાઓ કાર્યસાધકને,દુસ્તર જળને તરી ગયેલાઓ નૌકાને,

અને રોગી સારો થયા પછી વૈદ્યને ભૂલી જાય છે.હે રાજન,આરોગ્ય,કરજ વિનાની સ્થિતિ,પ્રવાસ ન કરતાં સ્વસ્થાનમાં નિવાસ,સારા મનુષ્યોની સંગતિ,પોતાને અનુકૂળ જીવિકા અને નિર્ભય વાસ-આ છ જીવલોકનાં સુખ છે.ઇર્ષાખોર,દયાળુ,અસંતોષી,ક્રોધી,નિત્ય શંકિત રહેનારો,ને પારકાના ભાગ્ય પર જીવનારો-આ છ નિત્ય દુઃખી છે.

Nov 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-671

 

કઠોર વાણી ન બોલવી ને દુષ્ટની પૂજા ન કરવી-આ બે કર્મ કરનાર મનુષ્ય આ લોકમાં વિશેષ શોભે છે.

નિર્ધનને અનેક પદાર્થોની કામના અને અસમર્થનો ક્રોધ એ બંને શરીરને શોષી નાખનારા તીક્ષ્ણ કાંટા છે.

ગૃહસ્થ હોવા છતાં કાર્ય નહિ કરનાર અને સન્યાસી થઈને કાર્ય કરનાર,એ બંને વિપરીત કર્મ કરવાથી શોભતા નથી.હે રાજન,સમર્થ,ક્ષમાવાન અને દરિદ્રી છતાં દાન દેનાર એ બંને પુરુષો સ્વર્ગની ઉપર રહે છે.

ન્યાયથી આવેલું દ્રવ્ય અપાપત્રને આપવું અને પાત્રને ન આપવું-એ દ્રવ્યના ઉપયોગમાં બે દોષ છે.

યોગયુક્ત સન્યાસી અને યુદ્ધમાં સન્મુખ રહીને મરનારો-એ બંને સૂર્યમંડળને ભેદીને ઉપર જાય છે (61)

Nov 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-670

 

પંડિત બુધ્દ્ધિવાળા પુરુષો પોતાની શક્તિ પ્રમાણે કામ કરવાની ઈચ્છા રાખે છે ને કોઈનું અપમાન કરતા નથી.

તેઓ બીજાનું કહેવું ઝટ સમજી જાય છે અને તે બરાબર સમજવા માટે લાંબા સમય સુધી સાંભળીને,કાર્યનું યથાર્થ રૂપ જાણ્યા પછી જ કાર્ય હાથમાં લે છે પણ સાહસ કરતો નથી અને પારકાના કામમાં પૂછ્યા વિના બોલતો નથી.

તેઓ દુર્લભ વસ્તુની અભિલાષા કરતા નથી,ગયેલી વસ્તુનો શોક કરતા નથી ને આપત્તિમાં મૂંઝાતા નથી.

જે પોતાના સન્માનથી રાજી થતો નથી,અપમાનથી તપી જતો નથી ને ગંભીર રહે છે તે પંડિત છે.

જે ઉત્પન્ન થયેલા પદાર્થમાત્રને નાશવંત જાણે છે,કર્મના પ્રકારને જાણે છે તે પંડિત છે.

જે અસ્ખલિત વાણી બોલનારો,લોકકથાને જાણનારો,તર્કશીલ,પ્રતિભાવાળો ને શાસ્ત્રોનો બરોબર અર્થ 

કહેનારો છે તે પંડિત છે.જેની બુદ્ધિ શાસ્ત્રને અનુસરે છે ને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી તે પંડિત છે.(29)

Nov 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-669

 

પ્રજાગર પર્વ 

અધ્યાય-૩૩-વિદુરનીતિ 

II वैशंपायन उवाच II द्वाःस्थं प्राह महाप्राज्ञो धृतराष्ट्रो महीपतिः I विदुरं द्रष्टुमिच्छामि तमिहानय म चिरम् II १ II

વૈશંપાયને કહ્યું-તે પછી,મહાબુદ્ધિમાન ધૃતરાષ્ટ્ર રાજાએ દ્વારપાલને વિદુરને બોલાવી લાવવા કહ્યું.એટલે દ્વારપાલ વિદુરને લઈને આવ્યો ત્યારે વિદુરે બે હાથ જોડી ધૃતરાષ્ટ્ર આગળ ઉભા રહીને તેમની આજ્ઞા માગી ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-હે વિદુર,સંજય હમણાં આવ્યો ને મારી નિંદા કરીને ઘેર ગયો તે યુધિષ્ઠિરનો સંદેશો કાલ સભામાં કહેશે.

યુધિષ્ઠિરનું શું કહેવું છે તે મારા જાણવામાં આવ્યું નહિ તેથી મારાં ગાત્ર બળે છે અને મને ઊંઘ આવતી નથી.

તું ધર્મ અને અર્થમાં કુશળ છે,તો તું જે હિતકારક હોય તે મને કહે,મને તીવ્ર ચિંતા થાય છે.(12)

Nov 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-668

 

અધ્યાય-૩૨-સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ 


II वैशंपायन उवाच II अनुज्ञातः पाण्डवेन प्रययौ संजयस्तदा I शासनं धृतराष्ट्रस्य सर्व कृत्वा महात्मनः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,મહાત્મા ધૃતરાષ્ટ્રની આજ્ઞા પ્રમાણે સર્વ કાર્ય કરીને,તે સંજય યુધિષ્ઠિરની આજ્ઞા લઈને હસ્તિનાપુર પાછો પહોંચ્યો,ત્યાં જઈને તેણે ધૃતરાષ્ટ્રની પાસે જઈને તેમને કહ્યું કે-'હે રાજા,હું સંજય,પાંડવોની પાસે જઈને પાછો આવ્યો છું.યુધિષ્ઠિરે તમને પ્રણામ કરીને તમારા,તમારા પુત્રોના,પૌત્રોના,સ્નેહીઓના,અને બીજા જે તમારાથી જીવિકા ચલાવે છે તે સર્વનું કુશળ પૂછ્યું છે અને તેઓ સર્વ કુશળ છે.

Nov 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-667

 

અધ્યાય-૩૧-યુધિષ્ઠિરનો સંદેશો (ચાલુ)


II युधिष्ठिर उवाच II उत सन्तमसन्तं वा बालं वृध्धं च संजय I उताबलं बलीयांसं धाता प्रकुऋते वशे II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,મનુષ્ય ઉત્તમ હોય કે નીચ હોય,બાળક હોય કે વૃદ્ધ હોય,બળવાન હોય કે નિર્બળ હોય,

સર્વને ઈશ્વર પોતાને આધીન રાખે છે.ઈશ્વર મૂર્ખને પાંડિત્ય અને પંડિતને મૂર્ખતા આપે છે,તે સર્વ આપવા સ્વતંત્ર છે.છતાં,અમારું બળ જાણવાની ઇચ્છાવાળાને તું જે ખરું છે તે કહેજે.ધૃતરાષ્ટ્રને કહેજે કે-'તમારા જ પરાક્રમથી પાંડવો સુખથી જીવે છે.પાંડવ બાળક હતા ત્યારે તમારી જ કૃપાથી તેઓને રાજ્ય મળ્યું હતું માટે તેમને રાજ્ય પર સ્થાપન કર્યા પછી તેઓ વિનાશ પામે એવું કરો નહિ.'

Nov 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-666

 

અધ્યાય-૩૦-યુધિષ્ઠિરનો સંદેશો 


 IIसंजय उवाच  II आमन्त्रेय त्वां नरदेवदेव गच्छाम्यहं पांडव स्वस्तितेस्तु I

 कच्चिन्न वाचा वृजिनं हि किंचिदूच्चारितं मे मनसोभिषन्गात II १ II

સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તમારું કલ્યાણ થાઓ.હું તમારી આજ્ઞા માગું છું,મેં મારા મનના આવેશના 

લીધે વાણી વડે કંઈ પાપભરેલું વચન તો કહ્યું નથીને? તમે મારા તરફ સૌમ્ય દ્રષ્ટિ રાખો,

મને જવાની આજ્ઞા આપો,તમારા સર્વનું કલ્યાણ થાઓ ને તમને સુખ પ્રાપ્ત થાઓ.

Nov 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-665

 

અધ્યાય-૨૯-શ્રીકૃષ્ણનું ભાષણ 


II युधिष्ठिर उवाच II अविनाशं संजय पांडवानामिच्छ्याम्यहं भूतिमेषां प्रियं च I 

तथा राज्ञो धृतराष्ट्रस्यसुत समाशंसे बहुपुत्रस्य वृद्धिं II १ II

શ્રીકૃષ્ણ બોલ્યા-હે સંજય,હું પાંડવોના ઐશ્વર્યની,પ્રિયની તથા અવિનાશની ઈચ્છા રાખું છું તેમ જ ઘણા પુત્રવાળા ધૃતરાષ્ટ્ર રાજાની પણ વૃદ્ધિ થાય તેમ પણ ઈચ્છું છું.હું તેઓને 'શાંત થાઓ' એ વિના બીજું કંઈ કહેતો નથી,ને યુધિષ્ઠિરના મુખેથી જયારે શાંતિની પ્રિય વાત સાંભળું છું,ત્યારે તે પણ મને માન્ય છે.ખરી રીતે તો રાજ્યના સંબંધમાં યુધિષ્ઠિરે મહાદુષ્કર શાંતિ દર્શાવી છે,પણ ધૃતરાષ્ટ્ર રાજ્યમાં તૃષ્ણા રાખીને બેઠો છે એટલે આ બંનેની વચ્ચે ક્લેશ કેમ ન થાય? હું અને યુધિષ્ઠિર ધર્મથી ડગ્યા નથી એ વાત તું જાણે છે છતાં,સ્વકર્મનું પાલન કરનારા અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કુટુંબમાં રહી કર્મ કરનારા એવા યુધિષ્ઠિરે ધર્મનો લોપ કર્યો-એમ તેં કયા કારણથી કહ્યું? 

Nov 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-664

 

અધ્યાય-૨૮-યુધિષ્ઠિરનાં વાક્યો 


II युधिष्ठिर उवाच II असंशयं संजय सत्यमेतद्धर्मो वरः कर्मणां यत्वमात्थ I 

ज्ञात्वा तु मां संजय गर्हयेस्तवं यदि धर्म यद्यधर्म चरेयमं II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે સંજય,તું જે કહે છે કે-સર્વ કર્મ કરતાં ધર્મ શ્રેષ્ઠ છે તે વાત નિઃસંશય સત્ય જ છે.હું ધર્મથી વર્તુ છું કે અધર્મથી-તેની પરીક્ષા કર્યા પછી જો મારામાં જ અધર્માચરણ જોવામાં આવે તો.પછી તું મારી નિંદા કર.

હે સંજય,ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે કેમ કે કેટલાક ઠેકાણે અધર્મ,ધર્મ તરીકે ને કેટલાક ઠેકાણે ધર્મ,અધર્મ તરીકેનું રૂપ ધારણ કરતુ દેખાય છે. આવા ધર્મની પરીક્ષામાં ત્રણ ભેદ છે.માટે વિદ્વાનો જ પોતાની બુદ્ધિથી ધર્મના ખરા સ્વરૂપને જાણે છે.