Apr 12, 2025

Sundar Kaand-Gujarati-With Translation-સુંદરકાંડ-અર્થ સાથે


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-785

 

અધ્યાય-૧૨૯-ગાંધારીનું ભાષણ 


II वैशंपायन उवाच II कृष्णस्य तु वचः श्रुत्वा धृतराष्ट्रो जनेश्वरः I विदुरं सर्वधर्मज्ञं त्वरप्राणोभ्यभाषत II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને ધૃતરાષ્ટ્ર રાજા,ઉતાવળથી વિદુરને કહેવા લાગ્યા કે-તું જા,ને ગાંધારીને બોલાવી લાવ.એટલે તેની સાથે મળીને દુર્યોધનને સમજાવું.ગાંધારી જો એ દુષ્ટચિત્ત દુરાત્માને શાંત પાડે તો પછી,આપણે સર્વ શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે કરી શકીએ' પછી,વિદુર જઈને ગાંધારીને બોલાવી લાવ્યા,ત્યારે ધૃતરાષ્ટ્રે તેને કહ્યું કે-'મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો.દુરાત્મા દુર્યોધન,ઐશ્વર્યના લોભથી જીવિતનો ત્યાગ કરશે.મર્યાદા વિનાનો તે મૂર્ખ,સ્નેહીઓનાં વચનોનો અનાદર કરીને હમણાં પાપીઓની સાથે ઉદ્ધત થઈને સભામાંથી નીકળી ગયો છે' ત્યારે ગાંધારીએ કહ્યું કે-(9)

Apr 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-784

 

અધ્યાય-૧૨૮-શ્રીકૃષ્ણનો પ્રત્યુત્તર 


II वैशंपायन उवाच II ततः प्रशम्य दाशार्ह: क्रोधपर्याकुलेक्षण:I दुर्योधनमिदं वाक्यमब्रवीत्कुरुसंसदि  II १ II

વૈશંપાયને કહ્યું-દુર્યોધનનો એ ઉત્તર સાંભળીને શ્રીકૃષ્ણનાં નેત્રો ક્રોધથી વ્યાકુળ થઇ ગયાં,પણ તે કૈંક ગમ ખાઈને,સભામાં દુર્યોધનને કહેવા લાગ્યા કે-તું જે વીરશૈય્યાની ઈચ્છા કરે છે તે તારો મનોરથ પૂર્ણ થશે,થોડા જ સમયમાં સંગ્રામ શરુ થશે.

ઓ મૂર્ખ,તું એમ માને છે કે-પાંડવો તરફ તેં કોઈ અપરાધ કર્યો નથી,પરંતુ હે રાજાઓ,આના સર્વ અન્યાયોને તમે સાંભળો.

હે ભરતવંશી,તું પાંડવોના વૈભવને જોઈને તપી ઉઠ્યો અને તેં તથા શકુનિએ દ્યુત રમવાની દુષ્ટ વિચાર ઉભો કર્યો.

પાંડવો કે જે સદાચારી,સજ્જનોને માન્ય અને સરળ આચરણવાળા છે,તેઓની સાથે કપટપૂર્વક અન્યાયથી વર્તવું એ કેમ યોગ્ય ગણાય? તેં સદાચારીઓની સલાહ ન લેતાં,પાપીઓની સાથે મળીને,દ્યુતદ્વારા આ ભયંકર સંકટ વહોરી લીધું છે.(7)

Apr 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-783

 

અધ્યાય-૧૨૭-દુર્યોધનનાં વાક્ય 


II वैशंपायन उवाच II श्रुत्वा दुर्योधनो वाक्यमप्रियं कुरुसंसदि I प्रत्युवाच महाबाहुं वासुदेवं यशस्विनम् II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કૌરવોની સભામાં,પોતાને અપ્રિય લાગે તેવાં વાક્ય સાંભળીને દુર્યોધન,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો કે-

'હે કેશવ,તમારે સારી રીતે વિચાર કરીને બોલવું જોઈએ.તમે ખાસ કરીને કઠોર શબ્દો બોલીને મારી જ નિંદા કરો છો.તમે નિત્ય પાંડવો પર પ્રીતિ દર્શાવનારા વાદ વડે એકાએક મારી જે નિંદા કરો છો,તે અમારા અને પાંડવો વચ્ચેના કયા બળાબળને જોઈને કરો છો? તમે,વિદુર,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,અને ભીષ્મ કેવળ મારી જ નિંદા કરો છો,બીજા કોઈ રાજાને નિંદતા નથી.હું તો મારો કોઈપણ અન્યાય જોતો નથી,છતાં રાજાઓ સહિત તમે સર્વ મારો જ દ્વેષ કર્યા કરો છો (5)

Apr 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-782

 

અધ્યાય-૧૨૬-ભીષ્મ અને દ્રોણનો ફરીથી ઉપદેશ 


II वैशंपायन उवाच II धृतराष्ट्रवचः श्रुत्वा भीष्मद्रौणो समव्यथौ I दुर्योधनमिदं वाक्यमुचतुः शासनातिगः II १ II

વૈશંપાયને કહ્યું-ધૃતરાષ્ટ્રનાં વચન સાંભળીને સમાન ચિંતાવાળા ભીષ્મ તથા દ્રોણ,આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને કહેવા લાગ્યા-'જ્યાં સુધી શ્રીકૃષ્ણ તથા અર્જુન યુદ્ધ કરવા સજ્જ થયા નથી,જ્યાં સુધી ગાંડીવ ધનુષ ઠેકાણે રહેલું છે,જ્યાં સુધી ધૌમ્ય સંગ્રામના યજ્ઞમાં શત્રુસેનાની આહુતિ આપવા લાગ્યા નથી,જ્યાં સુધી યુધિષ્ઠિરે ક્રોધ કરીને તારી સેના તરફ જોયું નથી,ત્યાં સુધીમાં વેર શાંત થઇ જાય તો સારું.જ્યાં સુધી,અર્જુન હાથમાં ગાંડીવ લઈને અને ભીમ હાથમાં ગદા લઈને,પોતાના સૈન્યમાં જોવામાં આવતો નથી ત્યાં સુધીમાં વૈર શાંત થવું જોઈએ.જ્યાં સુધી,નકુલ,સહદેવ,ધૃષ્ટદ્યુમ્ન,વિરાટ,શિખંડી-આદિ સર્વ અસ્ત્રનિપુણ યોદ્ધાઓ બખ્તરો ચડાવીને,ઝડપથી બાણો ફેંકતા સૈન્યમાં પ્રવેશ કરે નહિ ત્યાં સુધીમાં આ વૈર શાંત થઇ જાય તો સારું.અને મસ્તક વડે પ્રણામ કરતા તને યુધિષ્ઠિર પોતાના બે હાથથી તને ઉપાડી લે તેમ તું કર.(12)

Apr 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-781

 

અધ્યાય-૧૨૫-ભીષ્મ-આદિનો દુર્યોધનને ઉપદેશ 


II वैशंपायन उवाच II ततः शांतवनो भीष्मो दुर्योधनममर्षणं I केशवस्य वचः श्रुत्वा प्रोवाच भरतर्षम II १ II

વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ જન્મેજય,પછી,શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને શાંતનુના પુત્ર ભીષ્મ અસહનશીલ દુર્યોધનને કહેવા લાગ્યા કે-'હે તાત,સંબંધીઓમાં સલાહસંપ થાય એવી ઇચ્છવાળા શ્રીકૃષ્ણે તને જે વચન કહ્યાં છે તે વચનને ગ્રહણ કર.ક્રોધને આધીન થઈશ નહિ.શ્રીકૃષ્ણનાં વચન પ્રમાણે તું નહિ ચાલે તો તારું કદી પણ શ્રેય થશે નહિ,તારું કલ્યાણ થશે નહિ અને તને સુખ પણ મળશે નહિ.તું પ્રજાનો નાશ કર નહિ.આ તારી રાજ્યલક્ષ્મી સર્વ રાજાઓમાં અતિ ઉજ્જવળ છે તેનો તું કેવળ પોતાની દુષ્ટતાને લીધે ધૃતરાષ્ટ્રની હયાતિમાં જ નાશ કરી બેસીશ.અને 'હું હું' એવી અભિમાની બુદ્ધિને લીધે મંત્રી,પુત્ર,ભાઈઓ અને સગાઓની સાથે તું તારા પોતાના જીવનનો પણ નાશ કરીશ.તું તારા પિતા,વિદુર અને શ્રીકૃષ્ણ-એ સર્વના સાચાં ને હિતકારક વચન ઓળંગીને પોતાને 'કૃતઘ્ન,કુપુરુષ,દુર્મતિ,કુમાર્ગગામી'એવાં વિશેષણો લગાડીશ નહિ અને માબાપને શોક સાગરમાં ડુબાવીશ નહિ'(8)

Apr 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-780

અધ્યાય-૧૨૪-શ્રીકૃષ્ણનો દુર્યોધનને ઉપદેશ 


II धृतराष्ट्र उवाच II भग्वन्नेवमेवैतद्यथा वदसि नारद I इच्छामि चाहमप्येवं नत्विसो भगवन्नहम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-'હે ભગવન નારદ,તમે જે કહો છો તેમ જ છે,અને હું પણ એ પ્રમાણે થાય તેમ ઈચ્છું છું,પરંતુ હે ભગવન,મારી સત્તા ચાલતી નથી' આ પ્રમાણે નારદને કહીને પછી ધૃતરાષ્ટ્ર,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-'હે કેશવ,તમે મને જે બોધ કર્યો,તે ધર્મ તથા ન્યાયને અનુસરનારો અને આ લોકમાં સુખ આપનારો છે.દુર્યોધને જે કાર્ય કરવા માંડ્યું છે તે મને પ્રિય નથી પરંતુ હું શું કરું?હું સ્વાધીન સત્તાવાળો નથી માટે તમે મારા આ મૂર્ખ તથા શાસ્ત્રનું ઉલ્લંઘન કરનારા દુર્યોધનને જ સમજાવવા પ્રયત્ન કરો.

તે ગાંધારી,વિદુર ભીષ્મનાં વચનને પણ સાંભળતો નથી,માટે તમે પોતે જ દુર્યોધનને ઉપદેશ આપો.હે જનાર્દન,આ કામ કરવાથી તમે એક મોટું સુહૃતકાર્ય કરેલું ગણાશે.' ત્યારે શ્રીકૃષ્ણ દુર્યોધન તરફ વળીને મધુર વાણીથી બોલ્યા કે-

Apr 6, 2025

Ram-Raksha-Stotra-Anuvaad sathe-Gujarati Book-રામ-રક્ષા-સ્તોત્ર-અનુવાદ સાથે

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-779

 

અધ્યાય-૧૨૨-યયાતિ ફરી સ્વર્ગમાં ગયો 


II नारद उवाच II प्रत्यभिज्ञातमात्रोथ सद्भिरतैर्नरपुंगवः I समारुरोह नृपतिरस्पृशन्ववसुधातलम् I 

ययतिर्दिव्यसंस्थानो बभूव विगतज्वरः II १ II

નારદે કહ્યું-તે સજ્જનોએ નરશ્રેષ્ઠ યયાતિ રાજાને ઓળખ્યો,તેની સાથે જ તે ક્લેશરહિત થઈ,પૃથ્વીતળનો સ્પર્શ ન કરતાં,સ્વર્ગ તરફ ઊંચે ચઢવા લાગ્યો.તે વખતે,માધવીના પુત્રો વસુમના,પ્રતર્દન,શિબિ,અને અષ્ટકે પોતપોતાનું પુણ્યફળ તેને આપ્યું.અને 

તે પુણ્યફળ પ્રાપ્ત થતાં જ તે પૃથ્વીનો ત્યાગ કરીને ફરીથી સ્વર્ગ તરફ ઊંચે ચડવા લાગ્યો.આ રીતે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલા યયાતિને તેના દોહિત્રોએ પોતાના યજ્ઞ અને દાનના ધર્મ વડે તાર્યો હતો.તે વખતે તે રાજાઓ બોલ્યા કે-હે રાજા,અમે તમારા દોહિત્રો,રાજાઓના ધર્મ અને ગુણોથી યુક્ત છીએ અને સર્વ ધર્મગુણોથી સંપન્ન છીએ,એ પુણ્યના સામર્થ્યથી તમે સ્વર્ગમાં ચઢો.

અધ્યાય-122-સમાપ્ત 

Apr 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-778

 

અધ્યાય-૧૨૦-માધવીની તપશ્ચર્યા-યયાતિ સ્વર્ગમાં ગયો 


II नारद उवाच II स तु राज पुनस्तस्याः कर्तुकामः स्वयंवरम I उपगम्याश्रमपदं गंगायमुनसंगमे II १ II

નારદે કહ્યું-પછી,તે યયાતિ રાજા,તે માધવીનો સ્વયંવર કરવાની ઈચ્છાથી ગંગા-યમુનાના સંગમ આગળ આવેલ એક આશ્રમમાં ગયો.તેના પુત્રો પુરુ અને યદુ,તે માધવીને રથમાં બેસાડીને વર ખોળવા આસપાસ ફરવા લાગ્યા.અનેક રાજાઓ અને ઋષિઓથી વસાયેલું તે વન ચોતરફ ફેલાયેલું હતું.માધવીને તે સર્વનાં નામો કહ્યાં,પણ માધવીએ વનવાસને જ પસંદ કર્યો,ને તે રથમાંથી ઉતરી જઈને,બંધુઓને નમસ્કાર કરીને વનમાં જઈને તપશ્ચર્યા કરવા લાગી.

Apr 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-777

 

અધ્યાય-૧૧૮-ઉશીનરને માધવી આપી 


II नारद उवाच II तथैव तां श्रियं त्यक्त्वा कन्या भूत्वा यशस्विनी I माधवी गालवं विप्रमभ्ययात्सत्यसंगरा  II १ II

નારદે કહ્યું-સત્ય પ્રતિજ્ઞાવાળી યશસ્વિની માધવી પૂર્વની જેમ જ કન્યારૂપ ધારણ કરીંને ગાલવ પાસે આવી પછી,તે બંને ઉશીનર રાજાની પાસે ભોજ નગરમાં ગયા.ગાલવે આગળ મુજબ જ ઘોડાઓની માગણી કરી,ત્યારે રાજાએ કહ્યું કે-'મારી પાસે માત્ર  બસો ઘોડાઓ છે.મને તમારું સર્વ વૃતાંત જાણમાં છે,હું પણ એક પુત્ર ઉત્પન્ન કરીને માધવીને પાછી આપીશ'

Apr 3, 2025

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨


યોગવાશિષ્ઠ ના છ પ્રકરણો માં શું છે?


૧) વૈરાગ્ય પ્રકરણ-


જ્યાં સુધી મુમુક્ષુ માં દૃઢ વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી ત્યાં સુધી તે કદાપિ મોક્ષ નો અધિકારી થઇ શકતો નથી.
અને આ વૈરાગ્ય દૃઢ કરવા માટે, બાળપણ,યૌવન,વૃદ્ધાવસ્થા,ધન,સ્ત્રી-વગેરે પદાર્થો ની નિંદા કરી ને
કાળ (સમય) ની ગતિનું વર્ણન એવા એવા રૂપકો અને દૃષ્ટાંતો દ્વારા કરવામાં આવ્યું છે કે-તેને વાંચી ને-
સંસાર ના મોહ માં ફસાયેલો  અને સંસારમાં રચ્યો પચ્યો મનુષ્ય પણ એકવાર તો મોહરહિત થાય.


૨) મુમુક્ષુ પ્રકરણ -


વાસના નો ત્યાગ એ જ મોક્ષ છે અને સંસારના પદાર્થો માં વાસના રાખવી તે  જ બંધન છે.
આ વાસના નો ત્યાગ પુરુષાર્થ થી જ સિદ્ધ થઇ શકે છે,
પ્રારબ્ધ પર વિશ્વાસ રાખી,બેસી રહેવાથી  તે સિદ્ધ થતો નથી.
જો પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તો,આ જન્મ ની આગલા જન્મ-જન્માંતર ની સર્વ મલિન વાસનાઓ નો
ત્યાગ થઇ શકે છે,અને આત્મ-જ્ઞાન-પ્રાપ્તિ ની આડે આવતાં સર્વ વિઘ્નો ને જીતી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.


૩) ઉત્પત્તિ પ્રકરણ-


મન એ સંકલ્પ-વિકલ્પ કરે છે.
આ સંસાર,સંકલ્પ ની વૃદ્ધિ થી વૃદ્ધિ પામે છે,ને સંકલ્પ ની ક્ષીણતા થી સંસાર મરી જાય છે.
એટલે મન નું સ્ફુરણ (સંકલ્પ) જ જગત ની ઉત્પત્તિ તથા સ્થિતિ નું કારણ છે.
પણ મન પાસે કોઈ સત્તા નથી,તેની સત્તા બ્રહ્મ ની (અધિષ્ઠાનની) સત્તા ને જ કારણે છે.
“હું બ્રહ્મ નથી" એવો સંકલ્પ જ્યાં સુધી મનમાં સ્થિર છે,ત્યાં સુધી બંધન છે.પણ જયારે,
“આ સર્વ દ્રશ્ય બ્રહ્મ છે,અને હું પણ બ્રહ્મ છું"એવો સંકલ્પ દૃઢ થઇ જાય પછી કોઈ બંધન ક્યાંથી રહે?


૪) સ્થિતિ પ્રકરણ-


બ્રહ્મ (પરમાત્મા) અને જીવ (આત્મા) વચ્ચે નો,  સંકલ્પ ને લીધે ઉદભવતો ભાવનામય ભેદ  એ જ
ઉત્પત્તિ તેમ જ સ્થિતિ નું પણ કારણ છે.
માટે એ સંકલ્પ-મય જગત નો ત્યાગ કરી ને સ્વ-સ્વરૂપ માં વિચરવાનું કહે છે.
સર્વ પદાર્થો માં સમ-દૃષ્ટિ થવા થી મન ની પરમ (શાંત)  સ્થિતિ ઉદ્ભવે છે.
લૌકિક અહંકાર (હું દેહ છું,મારું શરીર એ “હું" છું) નો ત્યાગ કરી પરમ પદ માં સ્થિર (સ્થિત) થવાનું કહે છે.


૫) ઉપશમ પ્રકરણ -


જ્યાં સુધી મન ની સત્તા છે,ત્યાં સુધી દુઃખ છે,મનો નિગ્રહ કરી,થયેલા મનોનાશથી  (મન ના નાશથી)
દુઃખ નો પણ નાશ થઈ જાય છે.
વાસના નો નાશ,મનોનાશ અને તત્વ-સાક્ષાત્કાર થી જ પરમપદ ની પ્રાપ્તિ થાય છે.
આ ત્રણે એક બીજાના સહચારી છે.વાસના ના નાશ થી મનનો નાશ થાય છે અને મન ના નાશ થી વાસનાનો નાશ થાય છે
એટલે કે જ્યાં સુધી વાસનાનો ક્ષય ના થાય ત્યાં સુધી મન નો નાશ થતો નથી,અને
મન નો નાશ નથાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી.
અને આ બંને નો નાશ ન થાય ત્યાં સુધી સાક્ષાત્કાર થતો નથી.


સંસાર સાથે આસક્તિ જ અનર્થો નું કારણ છે.સંસાર માં રહેવા થી દુઃખ નથી પણ સંસાર ને મન માં લાવી,
તેની સાથે મન આસક્ત થાય છે ત્યારે જ દુઃખો પેદા થાય છે,માટે મન થી સંસારની આસક્તિ નો ત્યાગ
કરવા થી બંધન છૂટી જાય છે અને આસક્તિ નો ત્યાગ એ જ મોક્ષ છે.


૬) નિર્વાણ પ્રકરણ-


શાસ્ત્રાભ્યાસ કે ગુરૂ ,એ બાહ્ય સાધનો છે,તેનાથી કંઈ પરમપદ ની પ્રાપ્તિ થતી નથી.પણ
કેવળ આપણી પોતાની અંતર- શુદ્ધિ  અને શુદ્ધ બુદ્ધિ થી જ પરમપદ પામી શકાય છે.


“મારા થી ભિન્ન કોઈ વસ્તુ નથી,આ સંસાર ચક્ર જે અનાદિ કાળ થી ચાલી રહ્યું છે,તે બ્રહ્મ થી અને મારાથી
ભિન્ન  નથી.હું શિવ-સ્વરૂપ છું,દ્રષ્ટા છું"
આવું જે જ્ઞાન છે તે જ માત્ર પરમપદ છે.બીજું કોઈ પરમપદ નથી.
અને આવા જ્ઞાનના ઉદય થયા પછી,સર્વ અહમ નો ત્યાગ થઇ જાય છે.અને શરીર વિદ્યમાન (હોવા) છતાં
પણ તેવો જ્ઞાની પુરુષ વિદેહ (કૈવલ્ય) ને પ્રાપ્ત થાય છે.


    INDEX PAGE
     NEXT PAGE

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-776

 

અધ્યાય-૧૧૬-ગાલવે,તે માધવી રાજા હર્યશ્વને આપી 


II नारद उवाच II हर्यश्वस्त्वब्रविद्राजा विचिन्त्य बहुधा ततः I दीर्घमुष्णं च निःश्वस्य प्रजाहेतो र्नृपोत्तमः II १ II

નારદે કહ્યું-નૃપતિશ્રેષ્ઠ હર્યશ્વ રાજા,અનેક પ્રકારના વિચાર કર્યા પછી,પ્રજાના કારણથી લાંબો નિસાસો નાખી કહેવા લાગ્યા કે-આ કન્યા ઘણાં લક્ષણોથી યુક્ત છે.સામુદ્રિક શાસ્ત્રમાં કહેવા પ્રમાણે જે છ અવયવો (બે સ્તન,બે નિતંબ,બે નેત્ર) ઉન્નત હોવા જોઈએ તે ઉન્નત છે.જે સાત સ્થાન (ત્વચા,કેશ,દાંત,હાથ અને પગની આંગળીઓ,ને આંગળીઓના પર્વો) સૂક્ષ્મ હોવાં જોઈએ તે સૂક્ષ્મ છે.જે ત્રણ (સ્વર,મન,નાભિ)ગંભીર હોવાં જોઈએ તે ગંભીર છે ને જે પાંચ (હથેળી,નેત્રના છેડા,તાળવું,જીભ,નીચલો હોઠ)લાલ હોવાં જોઈએ તે લાલ છે.એકંદર આ કન્યા દેવો-અસુરોએ જોવા યોગ્ય,રૂપવાળી,ને ચક્રવર્તી પુત્રને પણ જન્મ આપવા સમર્થ છે,માટે હે દ્વિજશ્રેષ્ઠ,મારા વૈભવ તરફ દ્રષ્ટિ રાખી તમે એનું મૂલ્ય કહો (4)

Apr 2, 2025

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧



યોગવાશિષ્ઠ માં શું છે?


યોગવાશિષ્ઠ શું છે?


જેણે માત્ર  “યોગવાશિષ્ઠ” નામ  જ સાંભળ્યું  હોય -તો તે એમ પણ કદાચ વિચારે કે-
કોઈ “યોગ” વિષે “વશિષ્ઠ મુનિએ”  લખેલ ગ્રંથ હશે.


પણ “યોગવાશિષ્ઠ” કે જેને  “યોગવાશિષ્ઠ-મહારામાયણ”--અથવા--”ઉત્તર રામાયણ” પણ કહે છે,
તે આદિ કવિ વાલ્મીકિજી એ લખેલ ગ્રંથ છે.


“વાલ્મીકિ રામાયણ” તરીકે અતિ પ્રખ્યાત થયેલ વાલ્મીકિજી એ લખેલ રામાયણ ના ગ્રંથ ને
“પૂર્વ-રામાયણ" પણ કહે છે -કે જેમાં-
શ્રીરામ ના જન્મ થી માંડી રાવણ-વધ સુધી રામની લીલાઓ વર્ણવી છે.
શ્રીરામજી નું છ કાંડો માં -જીવન ચરિત્ર વર્ણવ્યું  છે.  


ત્યાર બાદ વાલ્મીકિજીએ  “યોગવાશિષ્ઠ” (ઉત્તર-રામાયણ) નું  સર્જન કર્યું,કે
જેમાં શ્રી રામને આવેલા “તીવ્ર વૈરાગ્ય" ના પ્રસંગે વશિષ્ઠે,
શ્રીરામને આપેલા ઉપદેશ નું વર્ણન કર્યું છે.
કે જેમાં -
“સંસાર માં રહી સંસાર ના કાર્યો કરવા છતાં સંસારથી અલિપ્ત (અનાસક્ત) રહી ને
જીવન-મુક્તિ (વિદેહ અવસ્થા) નો અનુભવ કેવી રીતે લઇ શકાય?”
તેનું અદભૂત અને સુંદર વર્ણન કર્યું છે.


સામાન્ય બુદ્ધિ ને અઘરા લાગતા ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંતો ને સહેલાઈ થી સમજી શકાય તે માટે-
અનેક દૃષ્ટાંતો અને ઉપમા ઓ આપીને સરળ શૈલીમાં લોકભોગ્ય બને તે રીતે વાલ્મિકીજીએ
યોગવાશિષ્ઠ નું નિર્માણ કર્યું છે.


પૂર્વ-રામાયણ (વાલ્મીકિ રામાયણ) માં જેમ છ કાંડો માં મર્યાદા પુરુષોત્તમ રામજી નું જીવન ચરિત્ર છે,
તેમ
ઉત્તર-રામાયણ (યોગવાશિષ્ઠ-મહારામાયણ) પણ છ પ્રકરણો માં વિભાજીત છે.
(૧) વૈરાગ્ય (૨) મુમુક્ષુ (૩) ઉત્પત્તિ (૪) સ્થિતિ (૫) ઉપશમ (૬) નિર્વાણ ---(કુલ-૩૨૦૦૦ શ્લોક)
(બધું ના વંચાય તો-યોગવાશિષ્ઠ નું પહેલું વૈરાગ્ય પ્રકરણ તો દરેકે એક વખત કે વારંવાર વાંચવા જેવું છે)


ગીતા કે જે મહાભારતમાંથી અલગ કરી ને રજુ થઇ છે,કે જેમાં ઈશ્વર (કૃષ્ણ) જીવ (અર્જુન) ને બોધ આપે છે,
જયારે અહીં રામાયણમાં- રામજી ને આવેલા તીવ્ર વૈરાગ્ય ના -એક પ્રસંગ ને અલગ કરી ને લીધો છે કે-જેમાં
જીવ (વશિષ્ઠ) એ ઈશ્વર (રામ) ને બોધ આપે છે!!!!


શ્રીરામ ના તીવ્ર વૈરાગ્ય નો પ્રસંગ કંઈક આવો છે.
શ્રીરામ વિદ્યાભ્યાસ પુરો કરી તીર્થયાત્રા કરવા જાય છે,ત્યાંથી પાછા ફરવા બાદ,તેમને સંસારના પદાર્થો પ્રત્યે
તીવ્ર વૈરાગ્ય પેદા થયો.અને તે સંસારિક કર્યો અને ભોજન થી પણ ઉદાસીન થઇ એકાંત સેવન કરવા લાગ્યા,
દિન-પ્રતિદિન તેમનું શરીર કૃશ અને નિર્બળ થવા લાગ્યું.પિતા દશરથ ને અત્યંત ચિંતા થાય છે.


એવે સમયે વિશ્વામિત્ર મુનિએ દશરથ રાજા ની સભામાં આવી ને પોતાના યજ્ઞ-કાર્ય માં વિઘ્ન કરનારા
રાક્ષસોને મારવા માટે શ્રીરામચંદ્રજી ની માગણી કરી.રાજા દશરથે પોતાના પુત્ર શ્રીરામ પ્રત્યેના અત્યંત સ્નેહ ને
કારણે દીનતા પ્રગટ કરી ને શ્રી રામને આપવામાં સંકોચ કર્યો.વળી તેમણે રામની દશા પણ વર્ણવી.


ત્યારે વિશ્વામિત્રે રામજી ને સભામાં બોલાવી તેમની મનો-વ્યથા નું કારણ પૂછ્યું.
ત્યારે શ્રી રામ પોતાના સંસાર પ્રત્યે અરુચિ  ધરાવતા મન ની દશાનું વર્ણન કરતાં કહે છે કે-


આ સંસારમાં કોઈ પણ વસ્તુ અવિનાશી ને આનંદદાયક નથી.બાળપણ,જુવાની,વૃદ્ધત્વ અવસ્થાઓ અને
ધન,ભોગ વગેરે પદાર્થો માં પણ કોઈ સ્થાયી રમણીયતા (આનંદ) નથી.છતાં પણ આપણે મોહિત થઇ ને,
તેમાં જ જન્મ ગુમાવી દઈ આત્મ ચિંતન માં લક્ષ્ય આપતા નથી.આ સર્વ નું કારણ આપણી વાસના જ છે.
અને તે વાસના થી હું મુક્ત થવા ઈચ્છું છું.


પછી સભામાં બેઠેલા વશિષ્ઠ,વિશ્વામિત્ર વગેરે જે ઋષિઓ ઉપસ્થિત હતા તેમને પ્રાર્થના કરી કે-
આપ મને એવો ઉપદેશ આપો કે જે વડે હું આ શોક-સાગર થી પાર ઉતરી શકું.
ત્યારે વિશ્વામિત્રે,વશિષ્ઠજી ને કહ્યું કે-આપ શ્રી રામ ને એવો ઉપદેશ આપો કે જેથી એમનો અજ્ઞાન-રૂપી
અંધકાર દૂર થાય.
આથી વશિષ્ઠજી એ રામચંદ્રજી ને આ “યોગવાશિષ્ઠ-મહારામાયણ" શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો.
કે જેનું વર્ણન વાલ્મીકિ જી એ આ સંક્ષિપ્તમાં “યોગવાશિષ્ઠ” ના નામે ઓળખાતા આ ગ્રંથ માં કર્યું છે.


 
    INDEX PAGE
     NEXT PAGE

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-775

 

અધ્યાય-૧૧૪-યયાતિની પાસે યાચના


II नारद उवाच II अथाह गालवं दीनं सुपर्णः पततां वरः I निर्मितं वह्विना भृमौ वयुआ शोधितं तथा I 

यस्माद्विरमण्यं सर्व हिरण्यं तेन चोच्यते  II १ II

નારદે કહ્યું-પછી,તે પક્ષીશ્રેષ્ઠ ગરુડે તે દીન થયેલા ગાલવને કહ્યું કે-અગ્નિએ ભૂમિમાં સુવર્ણનું નિર્માણ કર્યું છે,વાયુએ તેને શુદ્ધ કર્યું છે ને તે સુવર્ણ જગતમાં મુખ્ય છે તેથી તેની નામ હિરણ્ય (કે ધન) કહેવાય છે.એ ધન ત્રણે લોકમાં નિત્ય રહેલું છે.

શુક્રવારે,પૂર્વા અથવા ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રનો યોગ આવતાં,અગ્નિ,પોતાના વીર્યરૂપ ધન,કુબેરના ભંડારની વૃદ્ધિ માટે મનુષ્યોને નિયમથી આપે છે,માટે ધનાર્થી મનુષ્યે અગ્નિની પ્રાર્થના કરવી.કુબેર અને બંને નક્ષત્રોના દેવતા (અજૈકપાત-અહિરબુધન્ય)એ ધનનું રક્ષણ કરે છે,માટે એ દેવોની પ્રાર્થના કરનારને ધન મળી શકે છે.ધન મહાદુર્લભ છે ને આમ બેસી રહેવાથી મળે તેવું નથી અને ધન વિના તને ઘોડાઓ મળવાના નથી.માટે તું કોઈ રાજાની પાસે ધનની યાચના કર.સોમવંશમાં ઉત્પન્ન થયેલો,નહુષનો પુત્ર,યયાતિ મારો મિત્ર છે,તેની પાસે કુબેર જેવો વૈભવ છે,માટે તેની પાસે આપણે જઈએ.હું કહીશ તો તે તને ધન આપશે.