Apr 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-800

 

અધ્યાય-૧૪૫-કુંતીનું ભાષણ 


II संजय उवाच II राधेयोहमाधिरथिः कर्णस्तवामभिवादये I प्राप्ता किमर्थ भवति ब्रुहि किं करवाणि ते II १ II

કર્ણ બોલ્યો-'હું અધિરથ સૂતનો તથા રાધાનો પુત્ર કર્ણ તમને વંદન કરું છું.

તમે અહીં શા માટે આવ્યાં છો?હું તમારું શું કાર્ય કરું? તે મને કહો'

Apr 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-799

 

અધ્યાય-૧૪૪-કર્ણની પાસે કુંતી 


 II वैशंपायन उवाच II असिद्वानुनये कृष्णे कुरुभ्यः पांडवान गते I अभिगम्य पृथां क्षत्ता शनैः शोचन्निवा ब्रवीत II १ II

વૈશંપાયને કહ્યું-જેમની સમજાવટ સિદ્ધ થઇ ન હતી,તે શ્રીકૃષ્ણ કૌરવોની પાસેથી પાંડવો પાસે ગયા,તે પછી વિદુર કુંતીની પાસે જઈને શોક કરતા હોય તેમ કહેવા લાગ્યા કે-'મારો અભિપ્રાય તો યુદ્ધ ન કરવા તરફ છે,એ તમે જાણો છો.હું ઘણી બૂમો પાડું છું પણ દુર્યોધન મારુ કહેવું સ્વીકારતો નથી.પાંડવોએ રાજાઓની સાથે ઉપલવ્યમાં આવીને પડાવ નાખ્યો છે.યુધિષ્ઠિર બળવાન છે તો પણ સ્વજ્ઞાતિ પર સ્નેહ હોવાને લીધે દુર્બલની જેમ ધર્મની જ આકાંક્ષા રાખ્યા કરે છે.એટલે તેમને કંઈ કહેવાનું નથી પરંતુ આ ધૃતરાષ્ટ્ર શાંત પડતા નથી અને એ પુત્રના પ્રેમમાં અધર્મના માર્ગને વર્તે છે.દુર્યોધન ને તેના મંત્રીઓને લીધે પરસ્પર ભેદ પડશે ને તેઓના અધર્મનું ફળ,તેમના વિનાશરૂપ જ થશે.કૌરવો શાસ્ત્રથી વિરુદ્ધ વાતને બલાત્કારે ધર્મનું સ્વરૂપ આપે છે તેનાથી સંતાપ થાય છે.કેશવ,સલાહ કર્યા વિના ગયા એટલે પાંડવો આ મહાયુદ્ધના માટે ઉદ્યોગ કરશે.યુદ્ધમાં થનારા મહાવિનાશનો વિચાર કરતા મને રાત્રે નિંદ્રા પણ આવતી નથી (9)

Apr 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-798

 

અધ્યાય-૧૪૩-કર્ણે કહેલાં અપશુકનો 


II संजय उवाच II केशवस्य तु तद्वाक्यं कर्णः श्रुत्वाहित शुभं I अब्रवीदभिसंपूज्य कृष्णं तं मधुसूदन II १ II

સંજયે કહ્યું-શ્રીકૃષ્ણનાં તે વચન સાંભળી,એકાગ્ર થયેલો તે કર્ણ,મધુસુદનનું સન્માન કરીને બોલ્યો-હે મહાબાહુ,તમે જાણો છો છતાં શા માટે મને મોહિત કરવાની ઈચ્છા કરો છો?આ પૃથ્વીનો સંપૂર્ણતાથી જે વિનાશકાળ પ્રાપ્ત થયો છે,તેમાં શકુનિ,હું દુઃશાસન ને દુર્યોધન નિમિત્તરૂપ છીએ.આ યુદ્ધ અવશ્ય થવાનું જ છે અને સર્વ રાજાઓ યમલોકમાં પહોંચશે.

હે મધુસુદન,પુષ્કળ ભયંકર સ્વપ્નો,ઘોર નિમિત્તો અને અતિદારુણ ઉત્પાતો જોવામાં આવે છે,કે જે દુર્યોધનનો પરાજય જ સૂચવતા લાગે છે.મહાતેજસ્વી ઉગ્ર ગ્રહ શનિ,પ્રાણીઓને અધિક પીડા સૂચવતો રોહિણી નક્ષત્રને પીડે છે.

Apr 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-797

 

અધ્યાય-૧૪૨-શ્રીકૃષ્ણનાં વાક્ય 


II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा केशवः परवीरहा I उवाच प्रहसन्वाक्यं स्मितपुर्वमिदं यथा II १ II

સંજયે કહ્યું-કર્ણનાં વચન સાંભળીને કેશવ,મુખ મલકાવી હસતા હસતા કહેવા લાગ્યા કે-હે કર્ણ,તું રાજ્યપ્રાપ્તિનો ઉપાય સ્વીકારતો નથી અને મારી આપેલી પૃથ્વીનું રાજ્ય ઈચ્છતો નથી,ત્યારે અવશ્ય પાંડવોનો જ જય થશે,એમાં કોઈ પણ જાતનો સંદેહ જણાતો નથી.જેના ઉપર વાનરરાજ બેઠેલો છે તે અર્જુનનો જયધ્વજ ઉંચે ફરકી રહેલો જ દેખાય છે.વિશ્વકર્માએ એ ધ્વજમાં ઇન્દ્રધ્વજના જેવી અતિ ઉત્તમ દિવ્ય માયા રચેલી છે અને એમાં જયને વહન કરનારા ભયાનક દિવ્ય ભૂતો રહેલા  જોવામાં આવે છે.હે કર્ણ,અર્જુનનો એ ઊંચો કરેલો ધ્વજ અગ્નિ જેવો દેદિપ્યમાન જણાય છે અને તે ચાર ગાઉ સુધી ઉંચે તથા આડે ફેલાયેલો છે છતાં ક્યાંય ઝાડ તથા પહાડમાં અટકતો નથી.

Apr 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-796

 

અધ્યાય-૧૪૧-કર્ણનો પ્રત્યુત્તર 


II कर्ण उवाच II असंशयं सौह्यादान्मे प्रणयाच्चात्थ केशव I सख्येन चैव वार्ष्णेय श्रेयस्काम तयैव च II १ II

કર્ણે કહ્યું-હે કેશવ,ખરેખર તમે મને જે કહ્યું,તે સ્નેહથી,પ્રેમથી,મિત્રતાથી અને મારા કલ્યાણની જ ઈચ્છાથી કહ્યું છે.

ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે,ને તમે કહ્યું તેમ હું ધર્મથી પાંડુનો પુત્ર છું.કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યથી મારો ગર્ભ ધારણ કર્યો અને મારો જન્મ થયા પછી તેમણે સૂર્યનાં વચનથી મને ત્યજી દીધો હતો.કુંતીએ તે વખતે મારુ ભલું ન થાય તે રીતે મારો ત્યાગ કરી દીધો ત્યારે અધિરથ સૂત મને જોતાં જ તુરત પોતાને ઘેર લઇ ગયો અને સ્નેહથી રાધાને સોંપ્યો.મારા પર સ્નેહ થવાથી રાધાના સ્તનમાં દૂધ ઉતર્યું.હે માધવ,જેણે મારાં મળમૂત્ર ઉપાડ્યાં ને મને મોટો કર્યો તેને હું કેમ ત્યાગી શકું?

Apr 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-795

 

અધ્યાય-૧૪૦-શ્રીકૃષ્ણે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કર્યો 


II धृतराष्ट्र उवाच II राजपुत्रै: परिवृतस्तथा मृत्यैश्च संजय I उपारोप्य रथे कर्णे निर्यातो मधुसूदनः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ,રાજપુત્રોથી તથા સેવકોથી વીંટાઇને એકલા કર્ણને રથમાં બેસાડીને અહીંથી ચાલી નીકળ્યા.

ત્યારે તે ગોવિંદે કર્ણને શું કહ્યું?તેમણે કર્ણને જે કોમળ કે તીવ્ર વચનો કહ્યાં હોય તે તું મને કહે 

સંજયે કહ્યું-શ્રીકૃષ્ણે જે વચનો કહ્યાં હતાં તે હું અનુક્રમથી તમને કહું છું તે સાંભળો.

Apr 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-794

 

અધ્યાય-૧૩૮-ભીષ્મ તથા દ્રોણનો,દુર્યોધનને ફરીથી ઉપદેશ 


 II वैशंपायन उवाच II कुंत्यास्तु वचनं श्रुत्वा भीष्मद्रौणो महारथौ I दुर्योधनमिदं वाक्यमुचतुःशासनातग II १ II

વૈશંપાયને કહ્યું-કુંતીનાં વચન સાંભળીને,મહારથી ભીષ્મ અને દ્રોણ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે દુર્યોધન,કુંતીએ શ્રીકૃષ્ણ આગળ જે અતિઉત્તમ અને ભયંકર વચનો કહ્યાં છે,તે વાસુદેવને માન્ય એવાં વચનો પ્રમાણે કુંતીપુત્રો અવશ્ય કરશે અને તેઓ રાજ્ય મેળવ્યા વિના શાંત થશે નહિ.તે વખતે સભામાં,ધર્મપાશથી બંધાયેલા પાંડવોને તેં બહુ ક્લેશ આપ્યો હતો,ને તેઓએ સહન કર્યો હતો પણ હવે તેઓ તને ક્ષમા કરશે નહિ.પૂર્વે,વિરાટનગરમાં અર્જુને એકલાએ આપણ સર્વને હરાવ્યા હતા તે તને પ્રત્યક્ષ જ છે.ઘોષયાત્રા વખતે કર્ણ અને તને અર્જુને જ ગંધર્વો પાસેથી છોડાવ્યો હતો તે પૂરતું જ ઉદાહરણ છે.માટે તું પાંડવોની સાથે સલાહ કરી દે,ને મૃત્યુની દાઢમાં ગયેલી આ પૃથ્વીનું રક્ષણ કર.

Apr 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-793

 

અધ્યાય-૧૩૭-કુંતીનો પુત્રોને સંદેશો 


II कुन्त्युवाच II अर्जुनं केशव बुयास्त्वयि जाते स्म सूतके I उपोपविष्टा नारिभिराश्रमे परिवारिता II १ II

કુંતીએ કહ્યું-હે કેશવ,તમે અર્જુનને કહેજો કે-તું ઉત્પન્ન થયો ત્યારે સૂતકસમયમાં,જયારે હું સ્ત્રીઓથી વીંટાઇને બેઠી હતી,તે વખતે આકાશવાણી થઇ હતી કે-'હે કુંતી,આ તારો પુત્ર ઇન્દ્રના જેવો પરાક્રમી થશે.ને તે એકલો ભીમસેનને સાથે રાખીને સંગ્રામમાં એકઠા મળેલા સર્વ કૌરવોને જીતશે ને શત્રુઓને આકુળવ્યાકુળ કરી દેશે.તે પૃથ્વીનો વિજય કરશે ને એનો યશ સ્વર્ગ સુધી પહોંચશે.શ્રીકૃષ્ણની સહાયથી સંગ્રામમાં કૌરવોનો નાશ કરીને પોતાનો રાજ્યભાગ પામી તે રાજ્યનો ઉદ્ધાર કરશે,ને ઐશ્વર્ય પામ્યા પછી,તે બંધુઓની સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કરશે.' (5)

Apr 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-792

 

અધ્યાય-૧૩૬-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II विदुलोवाच II नैव राज्ञा दरः कार्यो जातु कस्यांचिदायाधे I अथ चेदपि दीर्णः स्यावैव वर्तेत दोर्णवर II १ II

વિદુલાએ કહ્યું-રાજાએ કોઈ પણ આપત્તિમાં કદી ડરી જવું નહિ અને કદાચ ડર લાગે તો પણ તેને ભયભીતના જેવું વર્તન રાખવું નહિ કારણકે રાજાને ભયભીત જોઈને સૈન્ય,રાષ્ટ્ર અને અમાત્યો એ સર્વે પણ ભયભીત થઇ જાય છે.તેમાંના કેટલાએક શત્રુને મળી જાય છે,કેટલાએક કે જેઓનું અપમાન થયેલું હોય તેઓ રાજા પર જ પ્રહાર કરવાની ઈચ્છા કરે છે.હે પુત્ર,મેં તારો પ્રભાવ,તારો પુરુષાર્થ અને તારી બુદ્ધિ જાણવાની ઈચ્છાથી તથા તારા તેજ અને ધૈર્યની વૃદ્ધિ કરવા માટે જ આ વચનો કહ્યાં છે.

Apr 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-791

 

અધ્યાય-૧૩૫-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II पुत्र उवाच II कृष्णायसस्येव च ते संहत्य ह्रदयं कृतं I मम मातस्त्वकरुणे वीरप्रज्ञे ह्यमर्षणे II १ II

પુત્રે કહ્યું-ઓ મારી વીર બુદ્ધિવાળી,નિર્દય તથા અસહનશીલ માતા,તારું હૃદય તો તીક્ષ્ણ લોખંડને ટીપીટીપીને,તેનું ઘડેલું લાગે છે.અહો,ક્ષત્રિયનો આચાર કેવો વિલક્ષણ છે કે જેને લીધે તું પરાઈ માતા હોય તેમ મને યુદ્ધ કરવા પ્રેરણા કરે છે.હું તારો એક્નોએક પુત્ર છું,ને યુદ્ધમાં હું મરીશ તો તને આખી પૃથ્વીના વૈભવો કે જીવનનું પણ શું પ્રયોજન રહેશે?

Apr 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-790

 

અધ્યાય-૧૩૪-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II विदुलोवाच II अथैतस्यामवस्थायं पौरषं हातुमिच्छसि I निहितसेवितं मार्ग गमिष्यमिरादिव II १ II

વિદુલા બોલી-તું આ અવસ્થામાં પુરુષાતનનો ત્યાગ કરવા ઈચ્છે છે,પરંતુ એથી તું ઠોસ સમયમાં જ અતિ નીચ મનુષ્યોએ સેવેલા માર્ગ પર ચાલ્યો જઈશ.જે ક્ષત્રિય પોતાના જીવનની ઈચ્છાથી શક્તિ પ્રમાણે પોતાનું પરાક્રમ કરીને પોતાનું તેજ દેખાડતો નથી તેને પંડિતો ચોર જ સમજે છે.જેમ,મરવાની અણી પર આવેલાને ઔષધો અસર કરતા નથી,તેમ મારાં અર્થયુક્ત ઉપર કહેલાં વાક્યો તને અસર કરતાં નથી.તું જો,હમણાં સિંધુરાજની પ્રજા તેના પર સંતુષ્ટ નથી,ને પોતાની દુર્બળતાને લીધે તેનાથી છૂટવાના ઉપાયથી અજાણ હોવાથી,તે રાજા પર દુઃખનો ઓઘ આવી પડે તેની વાટ જોયા કરે છે.એકવાર તું પુરુષાર્થ પ્રગટ કર એટલે તે જોઈને બીજાઓ પણ તારી પાછળ તેની સામે યુદ્ધ કરવા તૈયાર થશે.એ સિંધુરાજ કંઈ અજરામર નથી.(6)

Apr 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-789

 

અધ્યાય-૧૩૩-વિદુલાનો પુત્રને ઉપદેશ 


II कुन्त्युवाच II अत्राप्युदाहरंतिममितिहासं पुरातनम् I विदुलायाश्च संवादं पुत्रस्य च परंतप II १ II

કુંતીએ કહ્યું-હે કૃષ્ણ,આ વિષયમાં વિદુલા અને તેના પુત્રના સંવાદરૂપ એક પુરાતન ઇતિહાસ કહેવામાં આવે છે.

આ સંવાદ મારાં વાક્યો કરતાં પણ શ્રેષ્ઠ અને વિશાળ છે,માટે એ તમારે યુધિષ્ઠિરને સંપૂર્ણ કહેવો.

પૂર્વે,વિદુલા નામે એક યશસ્વિની ક્ષત્રિયાણી હતી,તે કુલીન,દીનતાવાળી,ક્ષાત્રધર્મમાં તત્પર,ઉગ્ર સ્વભાવવાળી,દીર્ઘ દ્રષ્ટિવાળી,યશસ્વી ને પંડિતા હતી.એક વખતે,સિંધુરાજાથી હારીને ચિત્તમાં ખિન્ન થઈને સૂતેલા પોતાના ઔરસ પુત્રની નિંદા કરતી તે તેને કહેવા લાગી કે-

Apr 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-788

 

અધ્યાય-૧૩૨-કુંતીએ સંદેશો કહ્યો 


II वैशंपायन उवाच II प्रविश्याथ गृहं तस्याश्चरणावभिवाद्य च I आचख्यौ तत्समासेन यद्व्रुत्तं कुरुसंसदि II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે કુંતીના ઘરમાં પ્રવેશ કરીને,તેમના ચરણમાં પ્રણામ કર્યા અને કુરુસભામાં જે વૃતાન્ત થયો હતો તે કહ્યો.

વાસુદેવે કહ્યું કે-મેં તથા બીજા સર્વેએ હેતુવાળાં અને ગ્રહણ કરવા યોગ્ય બહુ પ્રકારના વચનોઓ કહ્યાં પણ દુર્યોધને તે સ્વીકાર્યાં નહિ,એ પરથી સમજાય છે કે,દુર્યોધનને અનુસરનારા સર્વે કાળ વડે પરિપક્વ થઇ ગયા છે.હવે હું તમારી રજા લઈશ અને ત્વરાથી પાંડવો પાસે જઈશ,માટે તમારે જે પાંડવોને કહેવું હોય તે મને કહો.હું તમારું કહેવું સાંભળવા ઈચ્છું છું.

Apr 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-787

 

અધ્યાય-૧૩૧-વિશ્વરૂપનું દર્શન 


II वैशंपायन उवाच II विदूरेणैवमक्त्स्तु केशवः शतपुगहा I दुर्योधनं धार्तराभम्यभषत वीर्यवान II १ II

વૈશંપાયને કહ્યું-વિદુરે એ પ્રમાણે વર્ણવેલા એવા,શત્રુસમૂહને હણનાર તે વીર્યવાન શ્રીકૃષ્ણ,ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન પ્રત્યે બોલ્યા કે-'હે અતિદુર્બુદ્ધિવાળા દુર્યોધન,તું મોહને લીધે હું એકલો છું-એમ માને છે અને મને પકડવાની ઈચ્છા કરે છે,પરંતુ જો તો ખરો કે સર્વ પાંડવો,સર્વ અંધકો,યાદવો,આદિત્યો,રુદ્રો,વસુઓ ને મહર્ષિઓ અહીં મારામાં જ છે' આમ કહી શ્રીકૃષ્ણે ખડખડાટ હાસ્ય કર્યું.તે જ વખતે શ્રીકૃષ્ણનાં અંગોમાંથી વીજળીના જેવા રૂપવાળા,અંગુઠા જેવડા દેહવાળા અને અગ્નિની જ્વાળા જેવા તેજસ્વી સર્વ દેવો પ્રગટ થયા.

Apr 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-786

 

અધ્યાય-૧૩૦-દુર્યોધનનો દુર્વિચાર અને તેની ઝાટકણી 


II वैशंपायन उवाच II तत्तु वाक्यमनादत्य सोर्थवन्मातृभाषितम् I पुनः प्रतस्थे संरंभात्सकाशमकृतात्मना II १ II

વૈશંપાયને કહ્યું-પછી,તે દુર્યોધન,માતાનાં કહેલાં વચનનો અનાદર કરીને પાછો તેના મંત્રીઓની પાસે ચાલ્યો ગયો.અને ત્યાં કર્ણ,શકુનિ,દુઃશાસન સાથે મળીને તેણે વિચાર કર્યો કે-'આ ચાલાક કૃષ્ણ,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મની સાથે મળીને પ્રથમ આપણને પકડી લેવા ધારે છે પરંતુ,જેમ,ઇન્દ્રે બલિને બળાત્કારથી બાંધી લીધો હતો તેમ,આપણે જ પ્રથમ તે કૃષ્ણને બળાત્કારથી બાંધી લઈએ.કૃષ્ણને કેદ કરેલા સાંભળીને પાંડવોનાં મન ભાગી જશે ને ઉત્સાહ વિનાના થઇ જશે.માટે ચાલો આપણે તે કૃષ્ણને અહીં જ બાંધી લઈએ,પછી યુદ્ધ કરીશું,એ ધૃતરાષ્ટ્ર ભલે બૂમો માર્યા કરે'