Nov 4, 2016
Oct 30, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-650
સદાશિવ કહે છે કે-જે આ બ્રહ્મ-આદિ શબ્દોનો અર્થ છે તે -કેવળ નિર્વિષય શુદ્ધ અનુભવ છે-એમ સમજો.
જેમ પરમાણુની પાસે મેરુ (પર્વત) સ્થૂળ છે,તેમ એ અનુભવની પાસે આકાશ પણ સ્થૂળ છે.એ અનુભવ-એ-નિર્વિકલ્પ સમાધિમાં પ્રસિદ્ધ,
ચિદ અને આનંદ ના એક-રસ-સ્વ-ભાવમાં રહેલો છતાં પણ,અને દ્રશ્યોથી રહિત છતાં પણ-"દ્રશ્યોના સંસ્કારના જ્ઞાનને લીધે" જયારે દૃશ્યોની કલ્પના કરવામાં આવે છે-ત્યારે "ચિત્ત" એ નામને યોગ્ય થાય છે.
Oct 27, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-648
જે કંઈ આ જગત સંબંધી વસ્તુઓ છે તે આત્માથી ભિન્ન નથી પણ આત્મા જ છે તેમ સમજો.
આત્મ-સ્વ-રૂપ અને સ્વ-રૂપનું જ્ઞાન-એ કોઈ પણ જાતના "સાધનો" ની ગરજ વગરનાં છે-માટે,ગુરુ તથા શાસ્ત્રાદિક જ્ઞાન-એ આત્મ-જ્ઞાનના "સાધન-રૂપ" નથી જ.
Oct 25, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-646
આમ,તત્વ-દૃષ્ટિથી આત્માનું અવલોકન કરતાં-
પૂજ્ય-પૂજક તથા પૂજા-એ સઘળી ત્રિપુટી જ બાધિત થઇ જાય છે.
આત્મા કે જે સર્વાત્મક છે-અંતથી રહિત છે-અને પરમ-શિવ છે-
તેની અંદર આ ત્રિપુટીનો વ્યવહાર કેમ સંભવે?
જે નામ-રૂપની મર્યાદા-વાળી મૂર્તિ હોવાથી -પૂજ્ય તથા પૂજા નો ક્રમ કલ્પવામાં આવે છે-તે મૂર્તિ જ -પરમ શાંત આત્મા માં સંભવતી નથી !!
Oct 22, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-643

"અંત વગરના સ્વ-રૂપ-વાળો,ત્રણે પ્રકારની મર્યાદાઓથી રહિત,
ભરપૂર સ્વરૂપ-વાળો,પૂર્ણ અને સર્વને પૂર્ણ કરનાર-એવો હું છું"
એ પ્રમાણે આત્માના અલૌકિક અને સ્વચ્છ ચમત્કારનો આશ્રય કરીને,
જે પુરુષ દીનતા વગરનો થઈને અને દેવ-પણાથી ભરપૂર રહે છે-
તે પુરુષ અસ્ત પામતો નથી,ઉદય પામતો નથી,રાજી થતો નથી,કોપ કરતો નથી,
તૃપ્તિ પામતો નથી,ભૂખ્યો થતો નથી,કશું ઈચ્છતો નથી,કશું છોડતો નથી.
Oct 21, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-642
આત્મા કે જે અપવાદની દ્રષ્ટિથી જોતાં ભેદોથી રહિત છે,અને અધ્યારોપની દૃષ્ટિથી જોતાં ભેદ-વાળો છે,તે દેહમાં રહેલ છે અને હ્રદયાકાશમાં ફર્યા કરે છે,અપવાદની દ્રષ્ટિથી જોતા -તે વિષયોથી રંગાયેલ નથી-પણ અધ્યારોપની દૃષ્ટિથી જોતાં વિષયોથી રંગાયેલ છે.તે (આત્મા) સર્વદા દરેક અંગમાં વ્યાપેલા બોધ (જ્ઞાન) રૂપ છે,મન ની મનન-શક્તિમાં રહેલ છે.
Oct 20, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-641
(૩૯) અંતઃપૂજનવિધિ તથા ચિદાત્મ-સ્વ-રૂપ
સદાશિવ કહે છે કે-હવે તે આત્માનું અંતઃપૂજન-કે જે-સઘળા પવિત્ર પદાર્થોને અતિ-પવિત્ર અને સઘળાં અજ્ઞાનનો નાશ કરનાર છે-તે હું કહું છું તે તમે સાંભળો.આત્માનું સર્વદા અનુસંધાન કરવા રૂપ-આ અંતઃપૂજન-ચાલતાં,જાગતાં,સૂતાં-અને સર્વ પ્રકારના વ્યવહારો
કરતાં કરતાં પણ કરી શકાય છે.
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-640
હે વસિષ્ઠ મુનિ,હવે હું તમને તે પરમાત્મા (બ્રહ્મ)નો પૂજન નો વિધિ અને ઉપહાર વિષે કહું છું તે તમે સાંભળો-કે જે વિધિથી એ પોતાના સ્વ-રૂપ-ભૂત દેવનું મહાત્માઓ પૂજન કરે છે.
એ દેવ (પરમાત્મા) એ -દીવો,પુષ્પો,ધૂપ,છત્ર,ચામર,-આદિ વૈભવોના અર્પણ,
અન્ન-દાન વગેરે દાન,ચંદન ના લેપન,કેસર તથા કપૂર આદિ વૈભવોથી-
કે તેવા પ્રકારનાં બીજાં સાધનોથી પૂજાતો નથી,
પણ,સર્વદા પરિશ્રમ વગર જ મેળવી શકાય એવા,શીતળ અને અવિનાશી-
એક પોતાના (સ્વ-ના) બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અમૃતથી જ પૂજાય છે.
Oct 18, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-639
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ચૈતન્ય-માત્ર,અનુભવ-સ્વ-રૂપ,સર્વ-વ્યાપક અને સર્વના અધિષ્ઠાન-રૂપ,એ સાક્ષી-દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ સર્વથી શ્રેષ્ઠ છે.અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે.ઘડો,વસ્ત્ર,વડ,ગાડું અને વાનર (પ્રાણીઓ) માં પણ એ દેવ રહેલ છે.
બ્રહ્મા-વિષ્ણુ મહેશ-વગેરે દેવો પણ એ દેવ (પરમાત્મા) માં જ આરોપાય છે.
વિદ્વાન લોકો,બહાર તથા અંદર સર્વના આત્મા-રૂપ સર્વાત્મક-એવા-
એ -પોતાના આત્મા-રૂપ ભગવાન નું જ સર્વદા વિવિધ ક્રમથી પૂજન કરે છે.
Oct 17, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-638
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,એ પરમાત્મા અપ્રમેય,શાંત,મહામંગલ-રૂપ,સૌમ્ય,ચૈતન્ય-માત્ર-રૂપ અને નિરાકાર-રૂપ હોવા છતાં -પણ-સર્વ-રૂપ છે.ઈચ્છા-સતા,આકાશ-સત્તા,કાળ-સત્તા,નિયમ-સત્તા,સર્વમાં વ્યાપી રહેલી મહા-સત્તા,જ્ઞાન-શક્તિ,ક્રિયા-શક્તિ,કર્તૃત્વ-શક્તિ અને અકર્તૃત્વ-શક્તિ-વગેરે જેવી તેમની શક્તિઓનો અંત જ નથી.
વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,એ શક્તિઓ શાથી થઇ છે? તેઓમાં બહુ-પણું કેમ છે? તેમનો ઉદય કેમ થયો છે? અને શક્તિઓનો તથા શક્તિઓ-વાળાનો ભેદ તથા અભેદ શી યુક્તિથી સંભવે છે?
Oct 14, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-637
(૩૭) સતના યોગથી અસત પદાર્થોની સત્તા તથા અનંત શક્તિઓ
સદાશિવ કહે છે કે-તે સર્વેશ્વર (સર્વના ઈશ્વર-પરમાત્મા) પરમ-ચૈતન્ય-રૂપ મણિમાં નિર્મળ પ્રકાશ-વાળી,"બીજ-શક્તિ"ઓ સ્ફુરણ પામે છે,ને જેથી તેમાં વિચિત્ર જગતોનો આરોપ થાય છે.
બીજ (અન્ન)-રૂપી-કણની અંદર રહેલી એ જ "ચૈતન્ય-સત્તા",
તે-માટી,કાળ(સમય),તથા જળ-વગેરે એક બીજાના સહકારી "કારણો" ને પામીને,
પોતાને પ્રથમ અંકુર નો આકાર આપે છે,પછી દાણા-રૂપ કરે છે,અને પછી,
મનુષ્ય,ખાઈ શકે એવાં રાંધેલાં અન્ન-વગેરે-રૂપ ધારણ કરે છે.
Oct 13, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-636
એ ચૈતન્ય-ઘન-પરમાત્મા,
નિર્મળ,ચક્ષુ આદિ તથા સૂર્ય-આદિ પ્રકાશકો ને પણ પ્રકાશ આપનાર,
સૂર્ય આદિથી પણ જે (ચૈતન્ય)ને પ્રકાશ મળતો નથી-એવા અલૌકિક પ્રકાશ-રૂપ,
પોતે એક જ -સર્વના બીજ-રૂપ,અને સર્વ બીજોમાં સમૂહ-રૂપે રહેલા છે-એમ બ્રહ્મવેત્તાઓ સમજે છે.જગતની સત્તાનો અને અવ્યાકૃત-સત્તાનો બાધ થતાં-જે સાક્ષીભૂત ચૈતન્ય-માત્ર રહે છે-તે એ જ છે બીજું કંઈ નથી.
Oct 12, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-635
સર્વ પ્રાણીઓના નામ ધરાવનાર,સર્વ-રૂપ,સર્વને સ્ફુરણ આપનાર,અને સર્વને સત્તા આપનાર-એ સ્વયં-પ્રકાશ દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ પ્રણામ કરવા કે પૂજવા યોગ્ય છે.
જયારે પુરુષ એ દેવને જાણે છે,ત્યારે એ દેવ,સર્વ-કાળમાં અને સર્વ-દેશમાં તે પુરુષને પ્રકાશે છે.અને પ્રત્યેક વસ્તુમાં-તેનું સ્ફુરણ થવાથી,તે એ જ વિષય-રૂપ થાય છે.
સર્વ-વ્યાપક અને સર્વદા સ્ફુરણ-રૂપ હોવાને લીધે-
એ દેવનું આવાહન (પરમાત્માને બોલાવવા માટે) કરવાની કે તેને માટે મંત્રો ભણવાની કશી જરૂર નથી.
એ સ્વયંપ્રકાશ દેવ (પરમાત્મા) સર્વ વસ્તુમાં અને સર્વ કાળમાં પાસે જ છે અને સર્વત્ર મળે એમ છે.
Subscribe to:
Posts (Atom)