Nov 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-654

નિમેષ-માત્રમાં,કલ્પનાથી-સઘળું કરવાને સમર્થ-એ આદિ-પુરુષ,બહારના વિષયોમાં આસક્ત થવાથી-જ મહા-કલ્પોની પરંપરાનો (કાળનો) અનુભવ કરે છે.
પ્રત્યેક પરમાણુમાં,પ્રત્યેક આકાશમાં (જેમ કે સોયના છિદ્રમાં રહેલું આકાશ) અને પ્રત્યેક ક્ષણમાં-પણ સૃષ્ટિઓના "કલ્પો" ના તથા "મહા-કલ્પો"ના -ઉદય-અસ્તો થયા કરે છે.

Nov 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-653

(૪૨) સૃષ્ટિ-એ માયા કલ્પિત છે

વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,સૃષ્ટિના આરંભમાં ચિદાકાશમાં રહેલો અને
જેણે દેહ-રૂપી ભ્રમ દીઠો હોય છે-એવા જીવની પછી શી સ્થિતિ થાય છે?

Nov 2, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-652

સદાશિવ કહે છે કે-"જગત મિથ્યા છે" એમ કેવળ જાણવું-એ દુઃખની નિવૃત્તિ નો ઉપાય નથી,
પણ વાસનાના ક્ષય પર્યંત (વાસનાનો ક્ષય કરતાં કરતાં કે તેનો ક્ષય થઇ જાય ત્યાં સુધી)
જગતના મિથ્યા-પણાનો અત્યંત દૃઢ -નિશ્ચય-રાખવો (કરવો) એ જ દુઃખ-નિવૃત્તિ નો ઉપાય છે.

Nov 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-651

આ આતિવાહિક દેહ કે જેનું "પુર્યષ્ટક" (ઇન્દ્રિયો-રૂપી આઠ દ્વાર-વાળી નગરી-વાળો) એ બીજું નામ છે,
તે જ એ સઘળી સત્તાઓ-રૂપે સ્ફુરે છે,એટલે,
જે કંઈ આ સઘળું છે-તે આતિવાહિકદેહનું જ સ્ફુરણ છે-એમ સમજો.

Oct 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-650

સદાશિવ કહે છે કે-જે આ બ્રહ્મ-આદિ શબ્દોનો અર્થ છે તે -કેવળ નિર્વિષય શુદ્ધ અનુભવ છે-એમ સમજો.
જેમ પરમાણુની પાસે મેરુ (પર્વત) સ્થૂળ છે,તેમ એ અનુભવની પાસે આકાશ પણ સ્થૂળ છે.એ અનુભવ-એ-નિર્વિકલ્પ સમાધિમાં પ્રસિદ્ધ,
ચિદ અને આનંદ ના એક-રસ-સ્વ-ભાવમાં રહેલો છતાં પણ,અને દ્રશ્યોથી રહિત છતાં પણ-"દ્રશ્યોના સંસ્કારના જ્ઞાનને લીધે" જયારે દૃશ્યોની કલ્પના કરવામાં આવે છે-ત્યારે "ચિત્ત" એ નામને યોગ્ય થાય છે.

Oct 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-649

જેમ સઘળું જગત,એ જુદીજુદી સત્તાઓ-રૂપે નથી,પણ એક-સત્તા-રૂપે છે,તે એક-સત્તા-રૂપ અને સર્વનું આધાર-તત્વ,એ (બ્રહ્મ)-
આકાશથી પણ અધિક સ્વચ્છ છે,અંત વગરનું છે અને "વ્યવહારિક સત" થી વિલક્ષણ છે.

Oct 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-648

"કેવળ આત્મા જ છે-અવિદ્યા મુદ્દલે છે જ નહિ"
એવો જે બોધ છે-તે જ અવિદ્યાનો ક્ષય કહેવાય છે.
જે કંઈ આ જગત સંબંધી વસ્તુઓ છે તે આત્માથી ભિન્ન નથી પણ આત્મા જ છે તેમ સમજો.
આત્મ-સ્વ-રૂપ અને સ્વ-રૂપનું જ્ઞાન-એ કોઈ પણ જાતના "સાધનો" ની ગરજ વગરનાં છે-માટે,ગુરુ તથા શાસ્ત્રાદિક જ્ઞાન-એ આત્મ-જ્ઞાનના "સાધન-રૂપ" નથી જ.

Oct 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-647

(૪૧) શાસ્ત્ર તથા આચાર્ય -આદિ ની સાર્થકતા
વસિષ્ઠ કહે છે કે-હે મહાદેવ સદાશિવ,આપ,પરબ્રહ્મ-આત્મા-પરમાત્મા-વગેરે શબ્દોથી કોને કહો છો? જો એમાં કોઈ પણ શબ્દની પ્રવૃત્તિ નથી-તો પછી-તત-સત-કિંચિત-ન કિંચિત-શૂન્ય અને વિજ્ઞાન-વગેરે જુદા જુદા શબ્દોથી શું કહેવાય છે?

Oct 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-646

આમ,તત્વ-દૃષ્ટિથી આત્માનું અવલોકન કરતાં-
પૂજ્ય-પૂજક તથા પૂજા-એ સઘળી ત્રિપુટી જ બાધિત થઇ જાય છે.
આત્મા કે જે સર્વાત્મક છે-અંતથી રહિત છે-અને પરમ-શિવ છે-
તેની અંદર આ ત્રિપુટીનો વ્યવહાર કેમ સંભવે?
જે નામ-રૂપની મર્યાદા-વાળી મૂર્તિ હોવાથી -પૂજ્ય તથા પૂજા નો ક્રમ કલ્પવામાં આવે છે-તે મૂર્તિ જ -પરમ શાંત આત્મા માં સંભવતી નથી !!

Oct 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-645

સમતા-રૂપ-રસ-શક્તિ  કે જે મધુર,રમ્ય અને અલૌકિક છે-
તેની જે જે દ્રશ્યને ભાવના દેવામાં આવે-તે તે દૃશ્ય ક્ષણ-માત્રમાં અમૃત સમાન થઇ જાય છે.સર્વને બ્રહ્મમય જોવા-રૂપ સમતાથી-પોતે (સ્વ-એ) આકાશ-સમાન નિર્લેપ રહીને, મર્મનો લય કરીને-વિકાર-રહિત તથા યત્ન-રહિત થઈને જ રહેવું-એ જ (તે આત્માનું) મુખ્ય પૂજન કહેવાય છે.

Oct 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-644

સજ્જનો ની મૈત્રીથી,દુષ્ટ લોકોની ઉપેક્ષાથી,દીન લોકો પર કરુણાથી,સદાચરણવાળા લોકો પર -
આનંદથી,અને ક્રોધ આદિ-વેગને રોકીને શુદ્ધ સામર્થ્યથી પણ જ્ઞાન સાથે-તે આત્માનું અર્ચન કરવું.
ભોગોના સમૂહોમાં કોઈ એકાદ ભોગ -કોઈ એક સમયે અકસ્માત પ્રાપ્ત થાય કે પ્રાપ્ત થઈને જતો રહે,તેથી પણ આત્માના પૂજનની ભાવના રાખવી.

Oct 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-643


"અંત વગરના સ્વ-રૂપ-વાળો,ત્રણે પ્રકારની મર્યાદાઓથી રહિત,
ભરપૂર સ્વરૂપ-વાળો,પૂર્ણ અને સર્વને પૂર્ણ કરનાર-એવો હું છું"
એ પ્રમાણે આત્માના અલૌકિક અને સ્વચ્છ ચમત્કારનો આશ્રય કરીને,
જે પુરુષ દીનતા વગરનો થઈને અને દેવ-પણાથી ભરપૂર રહે છે-
તે પુરુષ અસ્ત પામતો નથી,ઉદય પામતો નથી,રાજી થતો નથી,કોપ કરતો નથી,
તૃપ્તિ પામતો નથી,ભૂખ્યો થતો નથી,કશું ઈચ્છતો નથી,કશું છોડતો નથી.

Oct 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-642

આત્મા કે જે અપવાદની દ્રષ્ટિથી જોતાં ભેદોથી રહિત છે,અને અધ્યારોપની દૃષ્ટિથી જોતાં ભેદ-વાળો છે,તે દેહમાં રહેલ છે અને હ્રદયાકાશમાં ફર્યા કરે છે,અપવાદની દ્રષ્ટિથી જોતા -તે વિષયોથી રંગાયેલ નથી-પણ અધ્યારોપની દૃષ્ટિથી જોતાં વિષયોથી રંગાયેલ છે.તે (આત્મા) સર્વદા દરેક અંગમાં વ્યાપેલા બોધ (જ્ઞાન) રૂપ છે,મન ની મનન-શક્તિમાં રહેલ છે.

Oct 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-641

(૩૯) અંતઃપૂજનવિધિ તથા ચિદાત્મ-સ્વ-રૂપ
સદાશિવ કહે છે કે-હવે તે આત્માનું અંતઃપૂજન-કે જે-સઘળા પવિત્ર પદાર્થોને અતિ-પવિત્ર અને સઘળાં અજ્ઞાનનો નાશ કરનાર છે-તે હું કહું છું તે તમે સાંભળો.આત્માનું સર્વદા અનુસંધાન કરવા રૂપ-આ અંતઃપૂજન-ચાલતાં,જાગતાં,સૂતાં-અને સર્વ પ્રકારના વ્યવહારો
કરતાં કરતાં પણ કરી શકાય છે.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-640

હે વસિષ્ઠ મુનિ,હવે હું તમને તે પરમાત્મા (બ્રહ્મ)નો પૂજન નો વિધિ અને ઉપહાર વિષે કહું છું તે તમે સાંભળો-કે જે વિધિથી એ પોતાના સ્વ-રૂપ-ભૂત દેવનું મહાત્માઓ પૂજન કરે છે.
એ દેવ (પરમાત્મા) એ -દીવો,પુષ્પો,ધૂપ,છત્ર,ચામર,-આદિ વૈભવોના અર્પણ,
અન્ન-દાન વગેરે દાન,ચંદન ના લેપન,કેસર તથા કપૂર આદિ વૈભવોથી-
કે તેવા પ્રકારનાં બીજાં સાધનોથી પૂજાતો નથી,
પણ,સર્વદા પરિશ્રમ વગર જ મેળવી શકાય એવા,શીતળ અને અવિનાશી-
એક પોતાના (સ્વ-ના) બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અમૃતથી જ પૂજાય છે.

Oct 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-639

(૩૮) પરમાત્માનું ધ્યાન તથા પૂજાનો પ્રકાર
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ચૈતન્ય-માત્ર,અનુભવ-સ્વ-રૂપ,સર્વ-વ્યાપક અને સર્વના અધિષ્ઠાન-રૂપ,એ સાક્ષી-દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ સર્વથી શ્રેષ્ઠ છે.અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે.ઘડો,વસ્ત્ર,વડ,ગાડું અને વાનર (પ્રાણીઓ) માં પણ એ દેવ રહેલ છે.
બ્રહ્મા-વિષ્ણુ મહેશ-વગેરે દેવો પણ એ દેવ (પરમાત્મા) માં જ આરોપાય છે.
વિદ્વાન લોકો,બહાર તથા અંદર સર્વના આત્મા-રૂપ સર્વાત્મક-એવા-
એ -પોતાના આત્મા-રૂપ ભગવાન નું જ સર્વદા વિવિધ ક્રમથી પૂજન કરે છે.

Oct 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-638

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,એ પરમાત્મા અપ્રમેય,શાંત,મહામંગલ-રૂપ,સૌમ્ય,ચૈતન્ય-માત્ર-રૂપ અને નિરાકાર-રૂપ હોવા છતાં -પણ-સર્વ-રૂપ છે.ઈચ્છા-સતા,આકાશ-સત્તા,કાળ-સત્તા,નિયમ-સત્તા,સર્વમાં વ્યાપી રહેલી મહા-સત્તા,જ્ઞાન-શક્તિ,ક્રિયા-શક્તિ,કર્તૃત્વ-શક્તિ અને અકર્તૃત્વ-શક્તિ-વગેરે જેવી તેમની શક્તિઓનો અંત જ નથી.

વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,એ શક્તિઓ શાથી થઇ છે? તેઓમાં બહુ-પણું કેમ છે? તેમનો ઉદય કેમ થયો છે? અને શક્તિઓનો તથા શક્તિઓ-વાળાનો ભેદ તથા અભેદ શી યુક્તિથી સંભવે છે?

Oct 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-637

(૩૭) સતના યોગથી અસત પદાર્થોની સત્તા તથા અનંત શક્તિઓ
સદાશિવ કહે છે કે-તે સર્વેશ્વર (સર્વના ઈશ્વર-પરમાત્મા) પરમ-ચૈતન્ય-રૂપ મણિમાં નિર્મળ પ્રકાશ-વાળી,"બીજ-શક્તિ"ઓ સ્ફુરણ પામે છે,ને જેથી તેમાં વિચિત્ર જગતોનો આરોપ થાય છે.

બીજ (અન્ન)-રૂપી-કણની અંદર રહેલી એ જ "ચૈતન્ય-સત્તા",
તે-માટી,કાળ(સમય),તથા જળ-વગેરે એક બીજાના સહકારી "કારણો" ને પામીને,
પોતાને પ્રથમ અંકુર નો આકાર આપે છે,પછી દાણા-રૂપ કરે છે,અને પછી,
મનુષ્ય,ખાઈ શકે એવાં રાંધેલાં અન્ન-વગેરે-રૂપ ધારણ કરે છે.

Oct 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-636

એ ચૈતન્ય-ઘન-પરમાત્મા,
નિર્મળ,ચક્ષુ આદિ તથા સૂર્ય-આદિ પ્રકાશકો ને પણ પ્રકાશ આપનાર,
સૂર્ય આદિથી પણ જે (ચૈતન્ય)ને પ્રકાશ મળતો નથી-એવા અલૌકિક પ્રકાશ-રૂપ,
પોતે એક જ -સર્વના બીજ-રૂપ,અને સર્વ બીજોમાં સમૂહ-રૂપે રહેલા છે-એમ બ્રહ્મવેત્તાઓ સમજે છે.જગતની સત્તાનો અને અવ્યાકૃત-સત્તાનો બાધ થતાં-જે સાક્ષીભૂત ચૈતન્ય-માત્ર રહે છે-તે એ જ છે બીજું કંઈ નથી.

Oct 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-635

સર્વ પ્રાણીઓના નામ ધરાવનાર,સર્વ-રૂપ,સર્વને સ્ફુરણ આપનાર,અને સર્વને સત્તા આપનાર-એ સ્વયં-પ્રકાશ દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ પ્રણામ કરવા કે પૂજવા યોગ્ય છે.
જયારે  પુરુષ એ દેવને જાણે છે,ત્યારે એ દેવ,સર્વ-કાળમાં અને સર્વ-દેશમાં તે પુરુષને પ્રકાશે છે.અને પ્રત્યેક વસ્તુમાં-તેનું સ્ફુરણ થવાથી,તે એ જ વિષય-રૂપ થાય છે.

સર્વ-વ્યાપક અને સર્વદા સ્ફુરણ-રૂપ હોવાને લીધે-
એ દેવનું આવાહન (પરમાત્માને બોલાવવા માટે)  કરવાની કે તેને માટે મંત્રો ભણવાની કશી જરૂર નથી.
એ સ્વયંપ્રકાશ દેવ (પરમાત્મા) સર્વ વસ્તુમાં અને સર્વ કાળમાં પાસે જ છે અને સર્વત્ર મળે એમ છે.