Dec 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-697

આ જગત-રૂપી ચિત્ર ભીંત વગરનું છતાં પણ ભારે આડંબર-વાળું હોય,તેમ મોઢા(નજર) આગળ ખડું થયું છે.
--આસક્તિ આપનારું--ઇન્દ્રિયોને લલચાવનારું--અનેક પ્રકારની અવિદ્યાના ભાગ-વાળું--
અનેક સૂર્યોના કિરણોથી ચકચકિત લાગતું--અનેક કલ્પો તથા યુગો-રૂપી અવયવો-વાળું--
વિવિધ રાગો-રૂપી રંગોથી રંગાયેલું--અનેક પ્રકારના વિલાસોવાળું--
અનેક પ્રકારના અનુભવો-રૂપી-આંખોવાળું--
સૂર્યોદય એન સૂર્યાસ્ત-આદિના સમયે પૂર્વ-પશ્ચિમમાં અતિ વિચિત્ર દેખાવોવાળું--
અને સૂર્ય,ચંદ્ર-આદિના ઉત્તમ પ્રકાશ-રૂપી-કળીચૂનાથી ચકચકિત લાગતી આકાશરૂપી ભીંતના દેખાવોવાળું-
આ જગત-રૂપી ઉજ્જવળ અને સ્ફુટ ચિત્ર-કોઈ પણ ભીંત વિના જ ઉઠેલું છે-એ મોટું આશ્ચર્ય છે.

Dec 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-696

જે તે કામોમાં કોઈ પદાર્થ ઉપયોગી થવાને લીધે,ઉપરટપકે જોતાં,તેમાં જે સત્યતા પ્રતીતિ થાય છે,તે સત્યતા શાસ્ત્ર-આદિ દ્વારા સુક્ષ્મ રીતે જોતાં લીન થઇ જાય છે.
જેમ,શરદ-ઋતુના સૂર્યના પ્રકાશથી દેખવામાં આવતું,વાદળાઓનું મંડળ સૂર્યના પ્રકાશથી જ
સુકાઈને લીન થઇ જાય છે,તેમ,કાચા અવલોકનથી દેખવામાં આવતું જગત,
શાસ્ત્રાદિક દ્વારા કરવામાં આવતા પાકા અવલોકનથી લીન થઇ જાય છે.

Dec 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-695

શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલા,યુદ્ધ-રૂપ-વગેરે (વ્યવહારિક) કાર્યો (કર્મો) જો આવી પડે-
તો રાગ (આસક્તિ) નો ત્યાગ કરીને તે કાર્યો (કર્મો) કરો.
કર્મો કરવાથી તમારા "તત્વ-બોધ" ને કશી હાનિ થવાની નથી.
"દેહની ચેષ્ટા-માત્ર નો (દેહના કર્મો નો) ત્યાગ કરવો" એ જીવનમુક્તિ-પણું નથી,
પણ શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું "સ્વ-ધર્મ-રૂપ-કર્મ" કાર્ય કરવું-એ જ જીવનમુક્તપણું છે.

Dec 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-694

અર્જુન કહે છે કે-લિંગ-શરીર વાસનામય જ છે અને તે શરીરમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ છે -તે જ જીવ છે,(એમ આપે કહ્યું) તો પછી - જો વાસનાનો ક્ષય થાય,તો જીવનો પણ ક્ષય થાય,કેમ કે -
જે પદાર્થ જેની સત્તાથી થયો હોય તેનો નાશ થવાથી-તે પદાર્થ પણ નષ્ટ થઇ જાય એ સ્વાભાવિક છે.(અને જો) આ પ્રમાણે વાસનાનો ક્ષય થતા,જીવનો ક્ષય થઇ જાય તો પછી,
આનંદ ક્યાં પ્રગટ થાય? અને મિથ્યા ભ્રમ ટળી  જઈ  મોક્ષ પણ કોને થાય?

Dec 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-693

ભ્રાન્તિઓના ભારને ધરનારો-વાસના-વાળો-જીવ,અન્ન-પાન-આદિથી પોષાઈને,અનેક યોનિઓમાં ભમ્યા કરે છે.
વાસનાઓને (કાલ્પનિક રીતે) વશ થયેલો જીવ,વાસનાને લીધે જ,જયારે શરીરમાંથી જાય છે-ત્યારે,શરીરમાંથી સઘળી ગ્રહણ કરવાની શક્તિઓ (જ્ઞાનેન્દ્રિયોની શક્તિઓ) ને સાથે લઈને જાય છે.

Dec 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-692

જે આસક્તિ છે તે જ કર્તા-પણું કહેવાય છે.જો મનમાં મૂર્ખતા હોય તો અકર્તાને પણ કર્તાપણું પ્રાપ્ત થાય છે,માટે મૂર્ખતાને જ છોડી દેવી.તત્વને જાણનારા ઉત્તમ ગુરુના આશ્રય ને લીધે,આસક્તિથી રહિત થયેલો
મહાત્મા પુરુષ સઘળાં કામો કાર્ય (કર્મો) કરતો હોય,તો પણ તેને,કર્તાપણું કદી પ્રાપ્ત થતું નથી.
આત્મા નાશવંત નથી,આદિ-અંતથી રહિત છે,અને કદી પણ જીર્ણ થતો નથી,એવો વિદ્વાનોનો નિશ્ચય છે.
આત્માને જાણનાર ઉત્તમ પુરુષો "આત્મા નષ્ટ થાય છે" એમ કદી ધારતા નથી
અને આત્માને જ આત્મા માનવાને લીધે,કદીપણ પોતાના આત્માને દેહાદિ-રૂપ ગણતા નથી.

Dec 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-691

હે અર્જુન,તમે ભેદ-બુદ્ધિને બિલકુલ છોડી દઈ,પરમાત્માની સાથે એકતા પામીને,પછી,
કરવાનું કે ના કરવાનું કામ (કર્મ) કરશો તો પણ,તમે તે કર્મના કર્તા થશો જ નહિ.
જે પુરુષનાં સઘળાં કર્મો કામનાઓના સંકલ્પોથી રહિત હોય,
તેવા,જ્ઞાન-રૂપ અગ્નિથી બળી ગયેલાં કર્મો-વાળા પુરુષને વિદ્વાન લોકો પંડિત કહે છે.
જે પુરુષ,સૌમ્ય,સ્થિર,સ્વસ્થ,શાંત અને સઘળા વિષયોમાં સ્પૃહા વગરનો રહે,
તે પુરુષ ક્રિયાઓ કરતો હોય,તો પણ કોઈ ક્રિયાઓ કરતો નથી.

Dec 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-690

હે અર્જુન,તમે માનને,મદને,શોકને,ભયને,તૃષ્ણાને,સુખને અને દુઃખને છોડી દો.આ સઘળું દ્વૈત મિથ્યા છે.
તમે સઘળા દ્વૈતના અધિષ્ઠાન-રૂપે એક અને સત-રૂપ થાઓ.
આ સેનાઓમાં જે માણસો-પશુઓ વગેરે છે-તેઓ પણ અનુભવ-રૂપ-બ્રહ્મ છે,
અને તેઓનો તમારા હાથથી જે ક્ષય થશે તે પણ અનુભવ-રૂપ બ્રહ્મથી જ થશે.
માટે (તે સર્વ) શુદ્ધ બ્રહ્મને, યુદ્ધ-રૂપ-સ્વ-ધર્મથી બ્રહ્મમય જ કરો.

Dec 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-689

"આત્મા સર્વ-રૂપ છે" એમ સમજવામાં આવે -તો -
સુખ-દુઃખ આદિ ભેદો પણ આત્મા-રૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહિ.
"દુઃખ આદિ ભેદો મિથ્યા જ છે" એમ સમજવામાં આવે તો,પણ મોટો લાભ એ જ છે કે-
મિથ્યાભૂત પદાર્થો (જગત-માં રહેલા પદાર્થો) સહન કરી શકાય એવા થાય છે.

Dec 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-688


અહંતા-વૃત્તિ-વાળા ચિત્તમાં રહેનારી આ સઘળી સૃષ્ટિ -તથા-પ્રલય-રૂપી-વિકારો,એ આત્મામાં જ પ્રવર્તે છે.જેમ,પર્વતમાં પથરા-પણું,વૃક્ષમાં લાકડાપણું,અને તરંગોમાં જળપણું છે-તેમ તે પદાર્થોમાં આત્માપણું છે.
જે પુરુષ આત્માને સર્વ પદાર્થમાં અનુસ્યુત (વ્યાપી રહેલો) જુએ,સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્ત (સ્થપાયેલા) જુએ,અને આત્માને અકર્તા જુએ,તે પુરુષને જ દેખતો સમજવો.

Dec 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-687

ત્રૈલોક્યની અંદરના જળ અને બીજા અનેક પ્રકારના રસો,જીભ પર આવતા,
તે રસોનો જે "સામાન્ય અનુભવ" થાય છે તે "આત્મા" જ છે.સઘળાં શરીરોની અંદર
વિષયોથી રહિત-જે "સૂક્ષ્મ અનુભવ" રહ્યો છે-તે જ સર્વ-વ્યાપક આત્મા છે.
જેમ દુધની અંદર ઘી રહેલું છે-તેમ સર્વ પદાર્થોની અંદર અને દેહોની અંદર આત્મા રહેલો છે.
જેમ,રત્નોની અંદર અને બહાર તેજ રહેલું છે-
તેમ સઘળા દેહોની અંદર બહાર આત્મા રહેલો છે.

Dec 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-686

શ્રીકૃષ્ણ કહે છે કે-સાકાર અને નિરાકાર-એ રીતે મારાં બે સ્વરૂપો છે.
૧) હાથ-પગ આદિ અવયવ-વાળું,શંખ,ચક્ર,ગદાને ધારણ કરનારું-જે રૂપ છે તેને "સાકાર-સ્વરૂપ" સમજો.
૨) આદિ-અંત થી રહિત,એક અને નિર્દોષ-જે મારું (બ્રહ્મ) સ્વરૂપ છે-તેણે "નિરાકાર સ્વરૂપ" સમજો.
કે જે સ્વરૂપ બ્રહ્મ,આત્મા,પરમાત્મા-વગેરે શબ્દોથી ઓળખાય છે.

જ્યાં સુધી તમે અજ્ઞાનને લીધે આત્માને જાણો નહિ,ત્યાં સુધી ચાર-ભૂજા-વાળા સાકાર સ્વરૂપનું પૂજન કર્યા કરો,
પછી ચિત્ત-શુદ્ધિના ક્રમથી જ્ઞાન થશે-ત્યારે મારું આદિ-અંતથી રહિત જે નિરાકાર સ્વરૂપ છે તે જોવામાં આવશે.
કે જેને જાણવાથી ફરીવાર જન્મ લેવો પડતો નથી.

Dec 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-685

અર્જુન પૂછે છે-હે મહારાજ,જ્ઞાન,યોગ,બ્રહ્માર્પણ,સન્યાસ,સંગ-ત્યાગ અને ઈશ્વરાર્પણ -
એ બધાનાં સ્વરૂપ અનુક્રમથી મને કહો-જેથી મારો મોહ ટળી જાય.

શ્રીકૃષ્ણ કહે છે કે-સઘળા સંકલ્પો શાંત થતા,સઘળી વાસનાઓ વગરનું અને જેમાં કોઈ પણ ભાવના-વાળા-આકાર રહે નહિ-એવું જે પ્રત્યગાત્મા-સ્વ-રૂપ અવશેષ રહે-તે જ "પરબ્રહ્મ" કહેવાય છે.
૧) તેવા પરબ્રહ્મ-સ્વ-રૂપ ની પ્રાપ્તિ માટે જે ઉદ્યોગ કરવામાં આવે છે-તેણે વિદ્વાનો "જ્ઞાન" (અને યોગ) કહે છે.
૨) "સઘળું જગત અને હું પણ બ્રહ્મ છું" એવી સમજણથી જગતનો અને અહંકારનો નાશ-એને "બ્રહ્માર્પણ" કહે છે.

Dec 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-684

હે અર્જુન,ક્ષત્રિયોને માટે "શાસ્ત્રોમાં કહેલું-સંગ્રામોમાંથી નહિ નાસવા-રૂપ" આ તમારું "કર્મ" (સ્વ-ધર્મ-કર્મ) જો કે બંધુઓના વધરૂપ હોવાને લીધે ક્રૂર છે,છતાં પણ,ચિત્ત-શુદ્ધિ દ્વારા બ્રહ્મજ્ઞાન આદિ સુખોને આપનાર થશે,અને ધર્મ,યશ,રાજ્ય તથા સ્વર્ગ-આદિ પ્રગતિને આપનાર પણ થશે.
જો કે ભીષ્મ-દ્રોણ આદિ પૂજ્ય લોકોની ઉપર શસ્ત્રો ઉગામવાં (કે શસ્ત્રો નાખી દેવાં) વગેરે ઘણા અધર્મો જેવું દેખાવાથી (હોવાથી) આ યુદ્ધ-રૂપી કર્મ ખરાબ જણાય છે,
તો પણ,તે કર્મ શાસ્ત્રોના "જે પ્રમાણો"થી -ઉત્તમ "કર્તવ્ય" (કર્મ) તરીકે ગણાય છે,
તે "પ્રમાણો"થી તમે -આ યુદ્ધ-ધર્મ-રૂપી (સ્વ-ધર્મ-રૂપી) "કર્તવ્ય" (કર્મ) કરીને,આ (ધર્મ) યુદ્ધમાં વિજય પામો.

Dec 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-683

આત્મા મર્યાદા (માપ) થી રહિત છે,સર્વદા એક-રૂપ છે,આકાશથી પણ સુક્ષ્મ છે,
અને સર્વ-વ્યાપક છે.માટે તેનું,શું-શાથી અને શી રીતે નાશ પામે?
એ અવ્યક્ત અને આદિ-મધ્ય-અંતથી રહિત આત્માનું અવલોકન કરો.
મર્યાદાઓથી રહિત અને નિર્દોષ જે આત્મ-ચૈતન્ય છે-તે જ તમે છો.
તમે અજન્મા છો,નિત્ય  છો અને દોષો-રૂપી રોગોથી રહિત છો.

Dec 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-682

આ પ્રમાણે થતાં,દેવતાઓ,પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઘણીઘણી યુક્તિઓથી એ વિચિત્ર પ્રાણીઓનો નાશ કરવાની ગોઠવણ કરે છે.આવી પદ્ધતિ ચાલતાં હજારો યુગો,વ્યવહારો અને અનંત બ્રહ્માંડો વીતી ગયાં છે.
આ સૃષ્ટિમાંના યમ-રાજા કે જે સૂર્યના પુત્ર છે,અને પિતૃઓના અધિપતિ કહેવાય છે,
તે કેટલાએક કાળ ગયા પછી,પોતાના પાપના નાશને માટે બાર વર્ષ સુધી તપ કરશે,અને
લોકોને મારવાનું કામ બંધ રાખશે.

Dec 4, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-681

સૂર્ય-મંડળના જીવો સ્વપ્નથી મોહ પામ્યા હોય,તેમ સૂર્યની અંદર પણ ત્રૈલોક્ય-રૂપી ભ્રમને દેખે છે,
અને ભેદોની કલ્પનાઓથી,તેઓ (જીવો) પોતે પણ ભમ્યા કરે છે.
વ્યક્તિગત જીવો,વાસ્તવિક રીતે સર્વ-વ્યાપક પણાને લીધે, અને મર્યાદા (માપ)થી રહિત-સત્ય,હોવાને લીધે,જે જે વસ્તુઓની ભાવના કરે છે,તે તે વસ્તુને તરત પોતાની સત્તાના આરોપથી સત્ય જેવી માની લે છે,
એટલા માટે સંસાર સંબંધી વસ્તુઓમાં "આસક્તિ"ના ત્યાગથી,
"સંસાર સાચો છે-એવા ભ્રમ"ની નિવૃત્તિ થતા,તત્વવેત્તાને જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે.

Dec 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-680

આ સંસારમાં કંઈ છોડાતું નથી અને કંઈ લેવાતું પણ નથી,કેમ કે આત્મા જ બહારના તથા અંદરના આકારો-રૂપે પ્રકાશે છે.જે આ સઘળું બ્રહ્માંડ છે-તે ચૈતન્યનો જ ચમત્કાર છે,માટે ભેદોની કલ્પનાઓ જ છોડી દો.
આપણે તત્વ-બોધથી શોભી રહ્યા છીએ.
આ બહારનું કે અંદરનું જગત-કોઈ પણ કાળે,ચૈતન્યથી જુદું છે જ નહિ.

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-679

એ લિંગ શરીર આકાર વિનાનું હોવા છતાં પણ અત્યંત પુષ્ટ છે,વાયુ-રૂપ છતાં પણ દુર્ભેદ્ય છે અને સુક્ષ્મ છતાં દ્રઢ છે.
એ લિંગ શરીર,વૈરાગ્ય-આદિના અભ્યાસથી અને શમાદિક સાધનોની સંપતિના ક્રમથી,
શાંત થાય તો જ મુક્તિ થાય છે.એ લિંગ શરીરની-સુષુપ્તિ અને સ્વપ્ન-એવી બે અવસ્થાઓ છે,
તેમાં સુષુપ્તિ અવસ્થામાં વાસના-રૂપે સઘળા જડ-પ્રપંચનો નાશ થાય છે પણ સ્વપ્નાવસ્થામાં જડ-પ્રપંચ દેખાય છે.
એ લિંગ-શરીર,મોક્ષ પ્રાપ્ત થતા સુધી,સ્થાવર-જંગમ-વગેરે આકારો લઈને ભમ્યા કરે છે.
સર્વ જીવોનું આ લિંગ-શરીર કોઈ સમયે સુષુપ્તિ અવસ્થામાં તો કોઈ સમયે સ્વપ્નાવસ્થામાં રહે છે.
પણ,લિંગ શરીરની સર્વથા શાંતિ તો મોક્ષમાં જ છે.