Dec 11, 2019

ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫

સ્કંધ-૫-(સ્થિતિ લીલા)
સ્કંધ -૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને  ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?

Dec 10, 2019

ભાગવત રહસ્ય-૧૩૫

જગતને રાજી કરવું મુશ્કેલ છે.પોતાના ઘરમાં યે બધાને રાજી કરવા મુશ્કેલ છે. સર્વ ને સદાકાળ રાજી કરી શકાતા નથી.એક જુનું અને જાણીતું ઉદાહરણ યાદ આવે છે.એક સમયે-બાપ-દીકરો ઘોડાને લઇ જતાં હતા.દીકરાએ બાપને કહ્યું કે-તમે ઘોડા પર બેસો. હું ચાલીશ. બાપ ઘોડા પર બેઠો.જતા હતા અને સામે માણસો મળ્યા. તે વાતો કરે કે –જુઓ આ બાપ કેટલો નિર્દય છે.પોતે ઘોડા પર બેઠો અને નાનો છોકરો તાપમાં ચાલે છે.બાપે આ સાંભળ્યું-તેણે છોકરાને કહ્યું-બેટા તું ઘોડા પર બેસ –હું ચાલીશ. દીકરો હવે ઘોડા પર બેઠો.

Dec 9, 2019

ભાગવત રહસ્ય-૧૩૪

પ્રચેતાઓ (દસ) –એ પ્રાચીનર્બહી રાજાના પુત્રો છે.ભાગવતમાં લખ્યું છે-કે-પ્રચેતાઓએ,એક બે વર્ષ નહિ,પણ દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા.ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા.જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે,મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે.રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવથી લખ્યું છે-કે-તેર કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે.જપથી પૂર્વજન્મના પાપ બળે છે. જપનું ફળ તરત જોવામાં ના આવે તો –માનવું કે હજુ પાપ બાકી છે-તેનો નાશ થઇ રહ્યો છે.