Dec 13, 2019

ભાગવત રહસ્ય-૧૩૮

નારિયેર માં કાચલી અને કોપરું જુદાં છે.છતાં જ્યાં સુધી –નારિયેરમાં પાણી છે-ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી.શરીર એ કાચલી છે, શરીરમાં રહેલ જીવાત્મા એ કોપરા જેવો છે –અને પાણી એ વિષયરસ છે.જ્યાં સુધી વિષયરસ છે,આસક્તિ છે-ત્યાં સુધી આત્મા શરીરથી છુટો પડતો નથી. છુટો પડવો કઠણ છે.જેનો વિષયરસ તપ,ભક્તિ અને જ્ઞાનની મદદથી સુકાઈ જાય તે જ આત્માને શરીર થી છુટો પાડી શકે.

Dec 12, 2019

ભાગવત રહસ્ય-૧૩૭

Photo by -Anil Shukla 
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ? 
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)

Dec 11, 2019

ભાગવત રહસ્ય-૧૩૬---સ્કંધ-૫

સ્કંધ-૫-(સ્થિતિ લીલા)
સ્કંધ -૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે.
પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને  ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ?