Jan 6, 2020

ભાગવત રહસ્ય-૧૫૦

મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ-જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫)

Jan 5, 2020

ભાગવત રહસ્ય-૧૪૯

અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.
અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ -એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું.

Jan 4, 2020

ભાગવત રહસ્ય-૧૪૮

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 
નામ-જપનો મહિમા અનેરો છે.જપ કરવાથી જન્મકુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે.નામ-જપ તો જનાબાઈએ કર્યા- એવા કરવા જોઈએ. કથા એવી છે-કે-જનાબાઈ છાણા થાપે અને તે કોઈ ચોરી જાય. એટલે જનાબાઈએ નામદેવ ને ફરિયાદ કરી.
નામદેવ કહે-છાણા તો સહુના સરખાં હોય.તારાં છાણા ઓળખાય કેવી રીતે ? ચોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું- મારાં છાણા ઓળખી શકાશે.
મારું છાણું કાન આગળ ધરશો-તો વિઠ્ઠલ-વિઠ્ઠલ –એવો ધ્વનિ સંભળાશે.