છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.
Jan 12, 2020
Jan 11, 2020
ભાગવત રહસ્ય-૧૫૫
ચિત્રકેતુ રાજાએ પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. સગુણ ભગવાનના દર્શન થયા.રાજા મહાયોગી-મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો.એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો.ફરતો ફરતો તે કૈલાશધામમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠાં છે.તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો.
Jan 10, 2020
ભાગવત રહસ્ય-૧૫૪
પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે.
Subscribe to:
Posts (Atom)