Jan 20, 2020

ભાગવત રહસ્ય-૧૬૪

પ્રહલાદ ની જેમ –જે-ભગવાનની ગોદમાં વિરાજે છે-તેને કાળ કંઈ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.

Jan 19, 2020

ભાગવત રહસ્ય-૧૬૩

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.

Jan 18, 2020

ભાગવત રહસ્ય-૧૬૨

દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.