Feb 6, 2020

ભાગવત રહસ્ય-૧૮૧

ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની આજ્ઞા કરી છે.ગૃહસ્થે બાર મહિનામાં એક માસ એકાંતમાં નારાયણની સાધના કરવી.ગંગાકિનારે કે ઘરમાં લૌકિક વાતો છોડી નારાયણનું ધ્યાન કરવું જોઈએ.ભક્તિ કરવામાં સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે.
માર્કંડેય પુરાણમાં એક કથા છે.રામ-લક્ષ્મણ એક જંગલમાંથી જતાં હતા.એક જગ્યાએ લક્ષ્મણજીની બુદ્ધિ બગડી છે.

Feb 5, 2020

ભાગવત રહસ્ય-૧૮૦

આત્મા –અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. વેદોની વાણી ગૂઢ હોય છે.
કોઈ અધિકારી પાસેથી તેનો સાચો અર્થ સમજવો જોઈએ.
એક ઉદાહરણ છે.એક શેઠે પોતાના ચોપડામાં લખી રાખેલું કે ગંગા-યમુનાની મધ્યમાં લાખ રૂપિયા રાખ્યા છે.છોકરાઓને એક વખત પૈસાની તાણ પડી.ચોપડામાં પિતાજીના હાથનું લખાણ વાંચે છે-પણ કંઈ સમજણ પડતી નથી.

Feb 4, 2020

ભાગવત રહસ્ય-૧૭૯

હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરુ થાય છે. 
૧૧ અધ્યાયથી ૧૫ અધ્યાય સુધી મિશ્ર વાસનાનું વર્ણન છે.
--મનુષ્યની મિશ્ર વાસના છે.-હું સુખ ભોગવીશ અને વધે તો બીજાને આપીશ –તે મિશ્ર વાસના.--સંત ની સદવાસના છે-જાતે દુઃખ ભોગવી બીજાને સુખ આપવું-તે સદવાસના.--રાક્ષસોની અસદવાસના છે-કોઈ કારણ વગર બીજાને દુઃખ-ત્રાસ આપવો-તે અસદવાસના.