Feb 11, 2020

ભાગવત રહસ્ય-૧૮૬

સમુદ્રમંથનમાંથી તે પછી-કામધેનું ગાયમાતા બહાર આવ્યા છે.પહેલાં સંપત્તિ આવે છે-તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. કામધેનું એ સંતોષનું પ્રતિક છે.
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.
તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.

Feb 10, 2020

ભાગવત રહસ્ય-૧૮૫

સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું.
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.

Feb 9, 2020

ભાગવત રહસ્ય-૧૮૪

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.