બલિરાજા શુક્રાચાર્યને કહે છે-હું પ્રહલાદના વંશનો છું,હું વૈષ્ણવ છું.અમે વૈષ્ણવોગળામાં કંઠી ધારણ કરીએ છીએ.વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.શરીર ભોગ માટે નથી ભગવાનના માટે છે,તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે.અને ભગવાનનો થઈશ.એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું પડશે.કદાચ હું નરકમાં જાઉં તો ઠાકોરજીએ ત્યાં આવવું પડશે.આજે હું સર્વસ્વનું દાન કરીશ.છો ને પછી –ભલે- મારે નરકમાં જવું પડે.
Feb 22, 2020
Feb 21, 2020
ભાગવત રહસ્ય-૧૯૬
વામનજી કહે છે-સંધ્યા-ગાયત્રી કરવા માટે જમીન માગું છું,તારી જગ્યામાં બેસી સત્કર્મ કરીશ તો તને પુણ્ય મળશે. હું બ્રહ્મચારી છું.મારે માત્ર ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વી જ જોઈએ –તેનું તું દાન કર.બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.
Feb 20, 2020
ભાગવત રહસ્ય-૧૯૫
જેને ત્યાં દાન માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર જરા રંગમાં આવે છે.વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.
Subscribe to:
Posts (Atom)