Feb 29, 2020

ભાગવત રહસ્ય-૨૦૪-સ્કંધ-૯

સ્કંધ-૯-આ સ્કંધની શરૂઆત કરતાં પહેલાં અત્યાર સુધીમાં આવી ગયેલા સ્કંધોના તત્વજ્ઞાનનું થોડું મનન કરીએ.(૧)-પહેલાં સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન છે.
શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે,એ સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું,પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો.
વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.અધિકાર વગર જ્ઞાન દીપે નહિ. અનાધિકારી જ્ઞાનનો દુરુયોગ કરે છે.

Feb 28, 2020

ભાગવત રહસ્ય-૨૦૩

પરમાત્મા સર્વના હૃદય માં રહી,દીવાની જેમ-માત્ર સાક્ષીરૂપે પ્રકાશ આપે છે.
જીવ પાપ કરે કે પુણ્ય કરે તેની અસર –સાક્ષી પરમાત્માને થતી નથી.
ઈશ્વરને ન કહેવાય-નિષ્ઠુર કે ન –કહેવાય દયાળુ. ઈશ્વરના માટે કોઈ ધર્મ નથી.
ઈશ્વર આનંદરૂપ છે,સર્વવ્યાપક છે.આપણી બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. 
બુદ્ધિમાં પ્રકાશ ઈશ્વર આપે છે.ઈશ્વરને પ્રકાશ આપનાર કોઈ નથી.ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વર સિવાય સર્વ પરપ્રકાશ્ય છે.

Feb 27, 2020

ભાગવત રહસ્ય-૨૦૨

બલિરાજાને ત્યાં જવા,લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો છે.ને પાતાળલોકમાં આવ્યા છે.કોઈ તેમને ઓળખી શક્યા નહિ. લક્ષ્મીજીએ બલિરાજા ને કહ્યું-કે –હું બ્રાહ્મણ કન્યા છું.આશાથી આવી છું.જગતમાં મારે કોઈ ભાઈ નથી,અને મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બહેન નથી,આજથી તું મારો ધર્મનો ભાઈ અને હું તારી ધર્મની બહેન.બલિને આનંદ થયો છે.બલિરાજાએ પ્રણામ કર્યા. ને કહ્યું-કે-અત્યાર સુધી મને એક દુઃખ હતું કે મારે કોઈ બહેન નથી.હવે મને બહેન મળી ગઈ.આ બધું તમારું છે.આને તમારું પિયર માનજો.