Mar 11, 2020

ભાગવત રહસ્ય-૨૧૧

દુર્વાસા, અંબરીશ રાજાને કહે છે-કે-“રાજા મારી ભૂલ થઇ છે” દુર્વાસા,વંદન કરવા જાય છે.ત્યાં અંબરીશ કહે છે-કે-ના,ના,મહારાજ આપ બ્રાહ્મણ અને હું ક્ષત્રિય,તમે મને વંદન કરો તે શોભે નહિ.અંબરીશ રાજા ,દુર્વાસાને વંદન કરે છે.ભગવાનના લાડીલા ભક્તો ગમે તે થાય પણ મર્યાદા છોડતા નથી.દુર્વાસા કહે છે-રાજન તું વાતો કરે છે,પણ સુદર્શન ચક્રને કંઈ કહેતો નથી,તે મને બાળે છે.અંબરીશ,સુદર્શન ચક્રને કહે છે,-કે-શાંત થઇ જાવ.આજ દિન સુધી મેં જે કોઈ દાન કર્યું હોય,યજ્ઞ કર્યો હોય,સર્વની સેવા કરી હોય,તે પુણ્યપ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે.

Mar 10, 2020

ભાગવત રહસ્ય-૨૧૦

અંબરીશ રાજા –દુર્વાસાને કહે છે-કે-તેરસ પહેલાં પારણાં કરવાનું મારું વ્રત છે,માટે જલ્દી પધારજો.દુર્વાસા સંધ્યાપૂજા કરવા ગયા છે.જમનાજીના કિનારે  આવી,
સ્નાનવિધિ પતાવી અને પૂજામાં એવા તન્મય થયા છે-કે-સમયનું ભાન રહ્યું નથી. દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો નથી.આ બાજુ અંબરીશ ચિંતામાં છે,
બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે,બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહિ,

Mar 5, 2020

ભાગવત રહસ્ય-૨૦૯

એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે.ભગવાનની આરાધના માટે – મનુષ્ય ભાગવત વ્રત કરે –તો-તે સુખી થાય છે.આમે ય વૈજ્ઞાનિક કારણોસર પણ -પેટને (જઠરને)-મહિનામાં એક-બે દિવસ –રજા આપવાથી.શરીર નું સ્વાસ્થ્ય સારું રહે છે.(અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા હશે!!)
એકાદશીનું વ્રત ત્રણ દિવસનું બતાવ્યું છે,