Mar 14, 2020

ભાગવત રહસ્ય -૨૧૪

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પ ની કથામાં થોડો ફેર આવે છે.
પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે.
નારદજી હિમાલયમાં તપ કરતા હતા.ઇન્દ્રને શંકા ગઈ કે -નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું ? ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છેતેનું મન શંકાશીલ હોય છે.ઇન્દ્રે કામ ને બોલાવ્યો,અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.

Mar 13, 2020

ભાગવત રહસ્ય-૨૧૩

ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું,તેમના પછી તેમના પુત્ર દિલીપે ને તેમના પછી તેમના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયાં.( ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન-ગંગા ,એટલે કે જ્ઞાન મળે છે.)
પરંતુ ગંગાને આકાશ માંથી ઝીલે કોણ ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી.શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા.શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે.

Mar 12, 2020

ભાગવત રહસ્ય-૨૧૨

મનુ મહારાજને ત્યાં,ઇક્ષ્વાકુ નામનો પુત્ર થયો. તેના વંશ માં માંધાતા થયો.
માંધાતા રાજાની પચાસ કન્યાઓનું લગ્ન સૌભરીઋષિ સાથે થયેલું.
સૌભરી તપશ્ચર્યા કરતા હતા.તે સિદ્ધ થયા –એટલે લોકોની બહુ ભીડ થવા માંડી.
બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય છે,સૌભરી વિચારે છે-કે –હું ક્યાં જાઉં ? છેવટે સૌભરી યમુનાજીના ધરામાં પ્રવેશી તપશ્ચર્યા કરે છે.