Mar 15, 2020

ભાગવત રહસ્ય -૨૧૫

કામ જયારે મનમાં પ્રવેશ કરે છે-ત્યારે-વિવેકને તે ધક્કો મારે છે.
નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વમોહિની મળે.ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું.
નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?નારદજી એ વાત કહેવા માંડી, કહે-કે- મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે. 

Mar 14, 2020

ભાગવત રહસ્ય -૨૧૪

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પ ની કથામાં થોડો ફેર આવે છે.
પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે.
નારદજી હિમાલયમાં તપ કરતા હતા.ઇન્દ્રને શંકા ગઈ કે -નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું ? ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છેતેનું મન શંકાશીલ હોય છે.ઇન્દ્રે કામ ને બોલાવ્યો,અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.

Mar 13, 2020

ભાગવત રહસ્ય-૨૧૩

ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું,તેમના પછી તેમના પુત્ર દિલીપે ને તેમના પછી તેમના પુત્ર ભગીરથે તપ કર્યું. ત્રણ પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયાં.( ત્રણ ચાર જન્મનું તપ એકત્ર થાય ત્યારે જ્ઞાન-ગંગા ,એટલે કે જ્ઞાન મળે છે.)
પરંતુ ગંગાને આકાશ માંથી ઝીલે કોણ ? ભગીરથ રાજાએ ભગવાન શંકરને પ્રાર્થના કરી.શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા.શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે.