રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.


