Apr 24, 2020

ભાગવત રહસ્ય -૨૫૫

શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતોની ધનથી સેવા કરી શકતી,પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી “મહારાણી એક વખત પ્રયાગરાજ ગયાં,ત્યાં અનેક મહાત્માઓનાં દર્શન કર્યાં,અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે –બીજા જન્મમાં મને સાચા સંતોનો સત્સંગ થાય-સેવા થાય.બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.

Apr 23, 2020

ભાગવત રહસ્ય -૨૫૪

રામ-લક્ષ્મણ આશ્રમમાં પાછા આવ્યા અને જોયું તો સીતાજી આશ્રમમાં નથી.
રઘુનાથજીએ નાટક કર્યું છે,અજ્ઞાનથી –વિયોગમાં- સામાન્ય જીવ રડે છે-દુઃખી થાય છે.રામજી પાસે અજ્ઞાન આવી શકે નહિ.તેમ છતાં-સ્ત્રીવિયોગમાં પુરુષ જેવી રીતે રડે છે-તેનું નાટક કર્યું છે.એકનાથજી એ સીતા-વિયોગ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે.
રામ,--હે સીતે-હે સીતે--કરીને આંખો બંધ કરીને વિલાપ કરે છે-ત્યારે લક્ષ્મણ સમજાવે છે-ધીરજ રાખો,આંખો ઉઘાડો.

Apr 22, 2020

ભાગવત રહસ્ય -૨૫૩

વાસના પણ શૂર્પણખાની જેમ પહેલાં સુંદર લાગે છે અને પછી,પોતાનું પોત પ્રકાશિત કરે છે.વાસનાની પક્કડમાંથી જલ્દી છૂટી શકાતું નથી.વાસના ઇન્દ્રિયોમાંથી ઉદ્ભવે છે,અને ઇન્દ્રિયોના ઉપભોગમાં કદી શાંતિ મળતી નથી.શાંતિ ભોગથી નહિ પણ ત્યાગથી મળે છે.મનુષ્યે વાસના રૂપી શૂર્પણખાથી સાવધાન રહેવાની જરૂર છે.
જયારે શૂર્પણખા રામજીની પાસે આવી ત્યારે રામજીએ તેને નજર આપી નથી. જયારે વાસનાનો પ્રસંગ આવે ત્યારે આંખને પરમાત્માના ચરણ તરફ રાખવાની.......