May 24, 2020

ભાગવત રહસ્ય -૨૮૪

કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ 
કૃષ્ણકથા-ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?

May 23, 2020

ભાગવત રહસ્ય -૨૮૩

ઉઘાડી આંખે જગત “ના” દેખાય –પણ પરમાત્મા શ્રીકૃષ્ણ દેખાય એ જ સમાધિ છે.
સાચા જ્ઞાનીને ઉઘાડી આંખે આખું જગત બ્રહ્મમય દેખાય છે.ગોપીઓની ‘સહજ’ સમાધિ છે,તેમની નજર જ્યાં જાય ત્યાં તેમને શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
દેહાભિમાન નો નાશ થતાં વેંત જ જીવ પરમાત્મા ને તત્વ થી જાણી લે છે.એટલે કે સર્વવ્યાપક પરમાત્માની સાથે પોતે અભિન્ન છે (જુદો નથી) તેવો અનુભવ થઇ જાય છે.
પછી જ્યાં જ્યાં તેનું મન જ્યાં જાય, ત્યાં ત્યાં તેને સમાધિ લાગે છે,બધું વાસુદેવમય છે,એવું જણાય છે.સમાધિ આવી ‘સહજ’ જોઈએ. ગોપીઓની સમાધિ આવી ‘સહજ’ –હતી.

May 22, 2020

ભાગવત રહસ્ય -૨૮૨

સમાધિમાં બેઠા પહેલાં યોગીઓને મન અને સર્વ ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે.ઈન્દ્રિયોને કાબુમાં રાખી તેના બધા દરવાજા બંધ કરવા પડે છે.આંખ બંધ કરવી પડે છે,નાક બંધ કરવું પડે છે.તેમ છતાં વાસના રૂપી ધૂળ ક્યારે ઘુસી જાય છે તે ખબર પડતી નથી.તેથી જ્ઞાનમાર્ગને કઠણ માન્યો છે,જ્ઞાનમાર્ગમાં પતનનો ભય હોય છે.જયારે-ભક્તિમાર્ગમાં ઇન્દ્રિયો જોડે ઝગડો નથી,ભક્તિમાર્ગમાં આંખ અને સર્વ ઇન્દ્રિયો શ્રીકૃષ્ણને આપવાની હોય છે.