દાઉજી (બળદેવજી)નું પ્રાગટ્ય થયું છે-પણ દાઉજી આંખ ઉઘાડતા નથી. મનમાં વિચારે છે-કે-“જ્યાં સુધી મારા કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું હૃદયમાં ઉતારીશ પછી જ મારે જગત જોવું છે.મારે મારી આંખ બીજા કોઈને આપવી નથી ”યશોદાજીએ શાંડિલ્યઋષિનાં ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યાં અને બલદેવની નજર ઉતારવાનું કહ્યું.
May 27, 2020
May 26, 2020
ભાગવત રહસ્ય -૨૮૬
નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકીને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકોને માર્યા છે.કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વને –જીવમાત્રને કેદમાં નાખે છે.સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહમાં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.વસુદેવ-દેવકી કારાગ્રહમાં જાગે છે.
May 25, 2020
ભાગવત રહસ્ય -૨૮૫
વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે.
વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.
વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.
Subscribe to:
Posts (Atom)