May 30, 2020

ભાગવત રહસ્ય -૨૯૦

વસુદેવ ગોકુળમાં આવ્યા છે,યોગમાયાના પ્રભાવથી,સર્વ સૂતાં છે.ગોકુલમાં આવી-વસુદેવે શ્રીકૃષ્ણને યશોદા પાસે મૂકી અને યોગમાયાને લઇ પાછા ફર્યા.માર્ગમાં વસુદેવજી મનમાં વિચારે છે-કે-હજુ મારું પ્રારબ્ધ બાકી છે, એટલે પરમાત્માને આપી ને હું માયાને લઇને પાછો જાઉં છું.વસુદેવ યોગમાયાને ટોપલીમાં લઈને કારાગૃહમાં પાછા આવ્યા છે.માયાને લઈને પાછા આવ્યા એટલે હાથપગમાં બેડીઓ આવી,કારાગૃહના દરવાજા બંધ થયા.ફરીથી બંધન આવ્યું. ભગવાનની આજ્ઞા થી વસુદેવે બંધન સ્વીકાર્યું છે.

May 29, 2020

ભાગવત રહસ્ય -૨૮૯

શ્રાવણ માસ,કૃષ્ણપક્ષની અષ્ટમીએ,મધ્યરાત્રીએ દેવકી-વસુદેવ સમક્ષ-કમલનયન,અદભૂત બાળકરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ થયો છે,સંતતિ અને સંપત્તિનો નાશ થયા છતાં,અતિ દીન બની વસુદેવ-દેવકીએ નારાયણનું આરાધન કર્યું છે,એટલે પ્રભુએ, દેવકી-વસુદેવને નારાયણે સહુ પ્રથમ,ચતુર્ભુજ સ્વરૂપના દર્શન આપ્યાં છે,ચાર હાથ માં શંખ,ચક્ર,ગદા અને પદ્મ છે.પ્રભુ એ કહ્યું-કે –“મારા સ્વરૂપના દર્શન કરો અને પછી અગિયાર વર્ષ ધ્યાન કરો,તે પછી હું તમારી પાસે આવીશ”

May 28, 2020

ભાગવત રહસ્ય -૨૮૮

શુકદેવજી વર્ણન કરે છે-આ બાજુ દેવકીને આઠમો ગર્ભ રહ્યો છે,કંસે સેવકોને કહ્યું છે-કે-સાવધાન રહેજો,મારો કાળ હવે આવશે.સેવકો કહે છે-અમે રાત્રે બેસતા પણ નથી,
બેસીએ તો કદાચ આંખ મળી જાય,ખડે પગે,ખુલ્લી તલવારે,ઉભા રહી અમે પહેરો ભરીએ છીએ.બાળક થશે એટલે અમે ખબર આપીશું.કંસ પણ –“આઠમો-આઠમો” કરતા તન્મય થયો છે.