Jun 13, 2020

ભાગવત રહસ્ય -૩૦૪

કંસને જયારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે-તારો કાળ જન્મી ચુક્યો છે.તેથી કંસ ગભરાયો.કંસના પોતાના માણસોએ તેને કહ્યું કે-જન્મ થયો એટલે હજુ એ બાળક જ હશે.આપ આજ્ઞા કરો તો ગોકુળનાં તૂરતનાં જન્મેલાંથી ત્રણ વર્ષ સુધીનાં-તમામ બાળકોને મારી નાખીએ.“તો ના રહે બાંસ ના રહે બાંસુરી “ અને કંસે મંજૂરી આપી.
અને આમ નક્કી થયા મુજબ –ત્રણ વર્ષ સુધીનાં તમામ બાળકોને મારી નાખવા -પૂતના (રાક્ષસી) ને ગોકુળ તરફ રવાના કરવામાં આવી.

Jun 12, 2020

ભાગવત રહસ્ય -૩૦૩

મહાત્માઓ કહે છે-કે-“તમારો મિત્ર તમને મળે તો –તમારાં સુખ,સંપત્તિને તમારી માન-બડાઈની વાતો તેને ન કરો.પણ તેને શું અડચણ છે,તે પૂછો.મિત્રના સુખદુઃખની વાતો કરી તેણે દિલાસો આપો.દુઃખીને દિલાસો આપવો તે મહાન પુણ્ય છે.દુઃખીને તમારાં સુખની વાતો સંભળાવશો નહિ.”ઘણા મનુષ્યો તો બીજાને મળે ત્યારે પોતાની જ વાતો કરે છે.”મને માન-પત્ર મળ્યું,મારો વરઘોડો કાઢ્યો” એ બહુ સારું નથી.

Jun 11, 2020

ભાગવત રહસ્ય -૩૦૨

શિવજી નું તાંડવ નૃત્ય પુરુ થયું.પછી યશોદાજીએ -શિવજીને આસન પર બેસાડ્યા છે.યશોદાજીએ દાસીને આજ્ઞા કરી,મારે તેમની પૂજા કરવી છે.વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે.શિવજી લેવાની ના પડે છે.”મારા ગુરૂની આજ્ઞા નથી. ચંદન પુષ્પ ચાલશે” યશોદાજી કહે છે-કે-તમે કંઇક તો લો.તમારા જેવા સંત અમારે આંગણે આવે અને જો તેમનું સન્માન ના કરવામાં આવે તો ધન સંપત્તિ શા કામનાં?તમારા માટે નહિ તો અમારા કલ્યાણ માટે તમે કંઈ લો.