Jun 27, 2020

ભાગવત રહસ્ય -૩૧૭

યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે કે-લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે-તે તો કહો 
ગર્ગાચાર્ય કહે છે-કે-લાલો મહાજ્ઞાની થશે,તેના જન્માક્ષર બહુ સારા છે.ત્રણે ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં પડ્યા છે.મોટો રાજા થાય તેવો યોગ છે.જન્મકુંડળીમાં આઠ ગ્રહો સારા છે પણ એક રાહુ ગ્રહ ખરાબ પડ્યો છે.નંદબાબા ગભરાયા છે.રાહુ ખરાબ પડ્યો છે,તો 
શું થશે ?મહારાજ આપ આજ્ઞા કરો અને બ્રાહ્મણોને રાહુના જપ કરવા બેસાડી દો.

Jun 26, 2020

Yog-Tatva-Gujarati Book-By Anil Shukla

ભાગવત રહસ્ય -૩૧૬

નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે. જીવ-જયારે - મા ના પેટમાં આવે ત્યારથી સંસ્કાર કરવા પડે છે.મન બુદ્ધિને વિશુદ્ધ કરવા માટે સંસ્કાર છે.શાસ્ત્રમાં સોળ સંસ્કાર બતાવ્યા છે.પણ આજકાલ તો બધા સંસ્કાર ભૂલાઈ ગયા છે માત્ર એક લગ્ન સંસ્કાર બાકી રહ્યો છે.બાળકનો જન્મ થાય એટલે તેનો જાત-કર્મ-સંસ્કાર કરવો પડે છે.જન્મ થાય પછી મધ ચટાડવાનું હોય છે,તે પછી,તેના ઉપર કોઈ પવિત્ર સંત,પવિત્ર બ્રાહ્મણની નજર પાડવી જોઈએ.