શ્રીકૃષ્ણની લીલા-માધુરી દિવ્ય છે.તેથી શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.હવે લાલા ની વેણુ-માધુરી વિષે અને લાલા ની શ્રેષ્ઠતા વિષે ગોપી કહે છે-કે-વૈકુંઠના નારાયણ તો હાથમાં શંખ રાખે છે,ત્યારે કનૈયો તો હાથમાં વાંસળી રાખે છે.અરી,સખી,તું વિચાર કર કે-મધુર વાંસળી વગાડનાર શ્રેષ્ઠ કે-શંખ વગાડનાર શ્રેષ્ઠ ? આ બીજા દેવો હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને બેઠા છે.કોઈના હાથમાં સુદર્શન,કોઈના હાથમાં ધનુષ્ય-બાણ,કોઈના હાથમાં ગદા,તો કોઈના હાથમાં ત્રિશુલ છે. મને લાગે છે-કે-આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે,તેથી તેઓ હાથ માં શસ્ત્રો લઈને ઉભા છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 30, 2020
Jun 29, 2020
ભાગવત રહસ્ય -૩૧૯
એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ
“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.
તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે
“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી”
કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.
“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.
તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે
“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી”
કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.
Jun 28, 2020
ભાગવત રહસ્ય -૩૧૮
ગોપી કહે છે-કે-ચતુર્ભુજ નારાયણને હું વંદન કરું છું.પણ નારાયણને ચાર હાથ હોવાથી તેઓ થોડા બેડોળ લાગે છે,પણ મારો બે હાથ વાળો કનૈયો અતિ સુંદર છે. તેથી તે શ્રેષ્ઠ છે.વૈકુંઠના નારાયણ,રાજાધિરાજના જેમ અક્કડમાં ઉભા રહે છે,તમારી સાથે બોલતા પણ નથી,તેથી તેઓમાં જરા અભિમાન હોય તેમ લાગે છે,ત્યારે અમારો કનૈયો તો અમારી સાથે બોલે છે,અમારી સાથે રમે છે,અમારી સાથે ફરે છે,એ તો વગર બોલાવ્યે મારે ઘેર આવે છે,મારામાં કોઈ સૌન્દર્ય નથી,કંઈ નથી,છતાં મારી પાછળ પાછળ આવે છે.શું વૈકુંઠના નારાયણ વગર આમંત્રણે ઘેર આવશે? પણ મારા કનૈયામાં જરાય અભિમાન નથી,માખણ માટે મારી પાછળ પાછળ વગર આમંત્રણે આવે છે,મારી પાસે આવી અને નાચે છે, તેથી મારો કનૈયો શ્રેષ્ઠ છે.
Subscribe to:
Comments (Atom)


