Jul 1, 2020

ભાગવત રહસ્ય -૩૨૧

ગર્ગાચાર્યે,લાલાજીના નામકરણની વિધિ કરી, અને લાલાજીનું નામ “કૃષ્ણ” પાડ્યું.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.

Jun 30, 2020

ભાગવત રહસ્ય -૩૨૦

શ્રીકૃષ્ણની લીલા-માધુરી દિવ્ય છે.તેથી શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે.હવે લાલા ની વેણુ-માધુરી વિષે અને લાલા ની શ્રેષ્ઠતા વિષે ગોપી કહે છે-કે-વૈકુંઠના નારાયણ તો હાથમાં શંખ રાખે છે,ત્યારે કનૈયો તો હાથમાં વાંસળી રાખે છે.અરી,સખી,તું વિચાર કર કે-મધુર વાંસળી વગાડનાર શ્રેષ્ઠ કે-શંખ વગાડનાર શ્રેષ્ઠ ? આ બીજા દેવો હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લઈને બેઠા છે.કોઈના હાથમાં સુદર્શન,કોઈના હાથમાં ધનુષ્ય-બાણ,કોઈના હાથમાં ગદા,તો કોઈના હાથમાં ત્રિશુલ છે. મને લાગે છે-કે-આ બીજા દેવોને દુનિયાના લોકોની બીક લાગતી હશે,તેથી તેઓ હાથ માં શસ્ત્રો લઈને ઉભા છે.

Jun 29, 2020

ભાગવત રહસ્ય -૩૧૯

એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ 
“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.
તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે
“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “
“ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી”
કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી.