ગર્ગાચાર્યે,લાલાજીના નામકરણની વિધિ કરી, અને લાલાજીનું નામ “કૃષ્ણ” પાડ્યું.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.
યશોદાજી ગર્ગાચાર્યને કહે છે-કે-મહારાજ મોડું થયું છે,ભોજનનો સમય થયો છે,હવે તમને ભૂખ લાગી હશે,હુ તમારા માટે રસોઈ બનાવું છું,એક વખત આપ ભોજન કરો –તે પછી બીજી વાત.ગર્ગાચાર્ય કહે છે-કે- હુ સ્વયંપાકી બ્રાહ્મણ છું,મને કોઈના હાથનું પાણી પણ ચાલે નહિ. મારી રસોઈ હું મારી જાતે જ બનાવીશ,યમુનામાંથી જળ પણ હું જ લઇ આવીશ.