Jul 25, 2020

ભાગવત રહસ્ય -૩૪૨

હવે શ્રીકૃષ્ણની દામોદર લીલાનું વર્ણન આવે છે. પહેલાં દામોદર લીલાનું તત્વજ્ઞાન જોઈએ.પરમ-પ્રેમથી પરમાત્મા બંધાય છે,યશોદાજીએ લાલાને બાંધ્યો હતો.
શ્રીકૃષ્ણ પરમાત્મા પરમ-પ્રેમનું સ્વરૂપ છે.પ્રેમ અને પરમ-પ્રેમમાં તફાવત છે.પુત્ર,પત્ની વગેરે સાથેનો સ્નેહ તે પ્રેમ.થોડો સ્વાર્થ રાખીને પ્રેમ કરે તેને પ્રેમ કહે છે.પણ સર્વ જીવો સાથે નિસ્વાર્થ પ્રેમને પરમ-પ્રેમ કહે છે.માનવ સ્વાર્થ રાખીને પ્રેમ કરે છે,પરમાત્માને કોઈ અપેક્ષા નથી,તેમ છતાં જીવ સાથે પ્રેમ કરે છે.

Jul 24, 2020

ભાગવત રહસ્ય -૩૪૧

ગોકુલની કૃષ્ણલીલાનું તાત્પર્ય એ છે કે-શ્રીકૃષ્ણને ગોપીઓને મર્યા પછી નહિ પણ જીવતા જ મુક્તિ આપવી છે.એટલે તે ગોકુલ લીલા કરે છે.
મનુષ્ય ભક્તિમય જીવન ગાળે,કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો-તેને જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.ગોપીઓ ભલે ઘરમાં રહે પણ તેમનું મન કૃષ્ણમાં રહે છે.કોઈ પણ ધ્યાન ધારણા વગર,ગોપીઓના મનનો નિરોધ થઇ તે મન શ્રીકૃષ્ણમય થયું છે.એટલે ગોપીઓ ભક્તિમાર્ગ ની આચાર્યાઓ છે.

Jul 23, 2020

ભાગવત રહસ્ય -૩૪૦

મનુષ્યનું બંધન આ વાનર જેવું છે.મનુષ્યને કોણે બાંધ્યો છે ? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી,પણ અજ્ઞાનથી-આસક્તિવશ થઇ તે માને છે કે હું બંધાયેલો છું.જીવ પરમાત્મા નો અંશ છે,તેને કોઈ બાંધી શકે જ નહિ.પણ અજ્ઞાનથી-આસક્તિથી બંધન લાગે છે.
અજ્ઞાનનો-ઉપાધિ નો- નાશ થયો,એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી-હાંડલીમાં વિષયો-રૂપી-ચણા ભર્યા છે,ચણાને પકડે નહિ તો,જીવ છુટો જ છે.