Jul 28, 2020

ભાગવત રહસ્ય -૩૪૫

કનૈયો ઘુંટણે ચાલતો યશોદામા ના પાસે આવ્યો અને મા ને કહે છે –મા મને ભૂખ લાગી છે.યશોદાજી એ ગોળી તરફ નજર કરી,થોડું માખણ ઉપર આવ્યું છે –તે વિચારે છે-કે-માખણ ઉતારીને લાલાને ધવડાવીશ.યશોદાજી એ જે કામ હાથમાં લીધેલું તે મુકવાનું મન થતું નથી.મા કનૈયા ને ગોદમાં લેતી નથી એટલે લાલો રડવા લાગ્યો.એટલે મા નું હૃદય પીગળ્યું છે.મા એ બધું કામ મૂકીને કનૈયાને ગોદ માં લીધો અને કનૈયાને ધવડાવવા લાગ્યા.

Jul 27, 2020

ભાગવત રહસ્ય -૩૪૪

ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપક છે.હૃદયમાં શ્રીકૃષ્ણ છે પણ સુષુપ્ત અવસ્થામાં છે.ઈશ્વર તો દરેકના હૃદયમાં છે,ફક્ત તેને જગાડવાની જ જરૂર છે.
યશોદાજી જેવી માનસ,વાચા અને કર્મણાથી ભક્તિ થાય તો કનૈયો જાગે છે.
શ્રીકૃષ્ણ એટલે આનંદ.આનંદ હૃદયમાં છે,તે આનંદને જગાડવાનો છે.મન,વચન અને કર્મ-આ ત્રણ ભક્તિરસમાં તરબોળ બને તો આનંદ જાગે છે.જીવ સંસારના જડ પદાર્થમાં આનંદ શોધવા જાય છે,એટલે આનંદ મળતો નથી.
આનંદ બીજામાં છે –એવી કલ્પના ખોટી છે.ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે.

Jul 26, 2020

ભાગવત રહસ્ય -૩૪૩

પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી.તેને વિસ્તારપૂર્વક સંભળાવો.શુકદેવજી કહે છે-કે રાજન,શ્રવણ કરો.
ગોપીઓએ કનૈયા નું નામ રાખ્યું છે માખણચોર.યશોદાજી ને લાલાને કોઈ માખણચોર ના નામથી બોલાવે તે ગમતું નથી.એટલે તે લાલાને સમજાવે છે.કે તું ઘરનું માખણ કેમ ખાતો નથી ? કનૈયો કહે છે-કે-હું ઘરનું ખાઉં તો ખૂટી જાય,હું તો બહાર કમાઈને ખાઈશ.ગોપીઓનું માખણ મીઠ્ઠું છે.ગોપીના માખણમાં મીઠાશ નથી પણ ગોપીના પ્રેમ માં મીઠાશ છે.